Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 236
________________ પણ (૧૧૧) જેઓ મચ્છરો દૂર ક૨વા આખા ઉપાશ્રયમાં ધૂપ કરાવે છે તેઓના જીવદયાના પરિણામ અંગે વિચાર કરવાની ખાસ જરૂર પડે છે. એક તો અગ્નિ પેટાવીને જ એ ધૂપ કરાવી શકાય એટલે એમાં તેજસકાયની પુષ્કળ વિરાધના થાય. ઉપરાંત એ ધૂમાડા દ્વારા મચ્છરો વગેરેને પુષ્કળ ત્રાસ થાય, કદાચ મરી પણ જાય. આમ ત્રસકાયની પણ ઘણી વિરાધના થાય. વળી એ અગ્નિ પેટાવવા અને ધુમાડો ફેલાવવા માટે પુંઠા વગેરેથી જોર-જોરથી વીંઝવું પડે અને એમાં વાયુકાયની ચિક્કાર વિરાધના થાય. વાત તો હવે ત્યાં સુધી આગળ વધી કે કેટલાંક સંયમીઓ મચ્છરનાશક ઈલેક્ટ્રીક સાધનો પણ વાપરે છે. આખી રાત ઈલેક્ટ્રીક દ્વારા એ મશીન ચાલે. મચ્છરો મરે કે ન મરે પણ ઈલેક્ટ્રીકની ચિક્કાર વિરાધના સંયમીના માથે ચોટે. ડાંસ-મચ્છરના ચટકાઓ સહન કરી લઈને પણ આવી કોઈ જ વિરાધના ભવભીરુ સંયમીએ કરાવવી નહીં. જો આ પરિષહ સહન કરી ન શકાય અથવા તો આખી રાત ઉંઘ ન આવવાથી તબિયત બગડી જવાદિ ડર રહે તો છેવટે વધુમાં વધુ કાયમ સાથે રાખેલી મચ્છરદાનીનો ઉપયોગ હજી ચાલે. પણ ઉપરની વિરાધનાઓ કોઈપણ ભોગે ન ચાલે. કેટલાંક ભક્ત શ્રાવકો સંયમીના કહ્યા વિના પણ ઉપાશ્રયમાં ધૂપ-ધૂમાડા કરાવતા હોય છે. તે વખતે સંયમી એમ વિચારે કે ‘મેં તો એને ધૂપ કરવાનું કહ્યું નથી. એ એની જાતે કરે તો મારે શું વાંધો?’ એ ન ચાલે. કેમકે ઉપાશ્રયમાં એ ધૂપ સંયમીઓ માટે જ થાય છે. આપણા નિમિત્તે થઈ રહેલી એ વિરાધનાનો સ્પષ્ટ નિષેધ કરવો એ આપણી ફરજ બની રહે છે. ૨૦૯. હું ઉપાશ્રયમાં કચરા-પોતા કરાવીશ નહિ. સંયમી નિમિત્તે સંઘ કચરા-પોતા કરાવતો હશે તો એની ના પાડીશ : બહેનો પાસે કચરા-પોતા ન કરાવવાનો નિયમ બ્રહ્મચર્યની રક્ષા નિમિત્તે આગળ બતાવી દીધો છે. પણ હકીકત એ છે કે ઉપાશ્રયમાં સંયમી ભાઈ કે બહેન કોઈની પણ પાસે કચરા-પોતા ન જ કરાવી શકે. એ નોકરો ઝાડુ દ્વા૨ા જ કચરો કાઢે. અને શાસ્ત્રોમાં લખ્યું છે કે ‘સાવરણી, ઘંટી, માટીનો ઘડો, ફૂલો, ખંડણી-દસ્તો આ પાંચ વસ્તુ ગૃહસ્થોના ઘરમાં રહેલા પાંચ કતલખાના છે. એમાં જીવોની કતલ થાય છે.’ અર્થાત્ આ ઝાડુ વગેરે કર્કશ હોવાથી એના દ્વારા કચરો કાઢવામાં કીડીઓ મરવાની, એમને કિલામણા થવાની પાકી શક્યતા છે જ. જો ગૃહસ્થ માટે પણ એ સાવરણી કતલખાનું છે. તો સંયમી પોતાના માટે એ સાવરણી દ્વારા કચરો શી રીતે કઢાવી શકે ? · વળી આ રીતે કચરો કાઢવા આવનાર નોકરો સંયમીઓની સારી-સારી વસ્તુઓ જોઈ આકર્ષાય છે અને ચોરીઓ પણ કરે છે. બોલપેનો, નોટો, ઘડિયાળો, બામ વગેરે ચોરાઈ ગયાના પ્રસંગો પણ બને જ છે. એ નોકરને આ કામ બદલ પૈસા મળે, એનો સંસાર ચાલે, આમ આપણા નિમિત્તે અસંયતનું પોષણ થવાથી આપણને મોટો દોષ લાગે. સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૧૫)

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294