Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 259
________________ '૯. શાસનપતિ, ત્રિલોકગર, આસનોપકારી, ૐ દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીરદેવને કદિ ન ભલીએ !! મને નીચેના પ્રશ્નોના ઉત્તરો પાઠવો કે (૧) આજે જે શાસનને પામીને આપણે હજારો સંયમીઓ આત્માનું અનંતભવોનું ભ્રમણ કાપી ૪ રહ્યા છીએ. એ અલબેલું શાસન આપણને આપ્યું કોણે? (૨) આખા ય જીવન દરમ્યાન એક પૈસો પણ કમાવા જવું ન પડે, કોઈ ધંધો-નોકરી કરવા ન પડે, જ છે કોઈની પગચંપી કરવી ન પડે અને છતાં ખુમારીથી, મસ્તીથી સુંદર સંયમજીવન જીવી શકાય એવી અદ્ભુત વ્યવસ્થા આપણને કોણે બતાવી ? (૩) જે છરી પાલિત સંઘો, ઉપધાનો, ઉજમણાઓ, માસક્ષપણાદિ તપશ્ચર્યાઓ, તીર્થયાત્રાઓ, જે જી રથયાત્રાઓ, દેરાસરો, તીર્થો વગેરેને લીધે શ્રી જૈનસંઘ અત્યંત શોભી રહ્યો છે, ચેતનવંતો દેખાઈ રહ્યો છે ? ? એ તમામ આરાધનાઓ આપણને કોણે આપી? (૪) જે સંયમજીવન પામી આપણે લોકમાં પૂજ્ય બન્યા, જે શાસ્ત્રોનો અભ્યાસ કરી આપણે વિદ્વાન જે બની પરમસુખનો ઓછા-વત્તો રસાસ્વાદ પામ્યા જે નિર્મળતમ આચાર પાળી બધાયને પ્રિય બન્યા એ સંયમ, . જ શાસ્ત્રો, આચાર વ્યવસ્થા આપણને કોણે આપ્યા? એનો ઉત્તર એક જ છે – દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીરે ! અલબત્ત બધા તીર્થકરો પરસ્પર ગુણવત્તાની દષ્ટિએ સમાન છે. પણ આપણા ઉપર સૌથી વધુ ઉપકાર શાસનપતિ પ્રભુ વર્ધમાનનો જ છે. આ વાતનો કોણ નિષેધ કરી શકે? , બધા પંચમહાવ્રતધારી ગુરુજનો ગુરુતત્ત્વરૂપે સમાન હોવા છતાં જે ગુરુજને આપણો હાથ ઝાલી છે છે આપણા ઉપર વધુ ઉપકાર કર્યો હોય એ ગુરુજન બીજા બધા ગુરુઓ કરતા આપણા માટે વધુ આદરણીય બને છે જ જ છે ને ? તો જે પ્રભુ માટે શાસ્ત્રકારોએ વારંવાર “આસનોપકારી' શબ્દ વાપર્યો છે, એ પ્રભુ વર્ધમાન આપણા જે સૌ માટે વિશેષ આદરણીય કેમ ન બને? જેમ આપણે આપણા ગુરુજનને આપણા માટે વધુ મહાન પૂજનીય ગણીએ તેમાં બીજાઓનો છે અપલાપ કરવાની લેશ પણ ભાવના નથી. અને એવો દોષ પણ લાગતો નથી. છે તેમ બીજા બધા જ ભગવાન કરતા શાસનપતિ પ્રભુવીરને આપણે સર્વત્ર સૌ પ્રથમ સ્થાન આપીએ, ૪ એમને વધુ આદર આપીએ તો એ એકદમ યોગ્ય જ છે ને ? અત્યાર સુધીમાં છરી પાલિત સંઘોની, ઉપધાનોની, ચાતુર્માસિક-આરાધનાની, નૂતન જિનમંદિર જ નિર્માણની... ઘણી પત્રિકાઓ એવી જોવા મળી કે જેમાં ક્યાંય ખૂણે-ખાંચરે પણ સાવ નાનકડા અક્ષરોમાં પણ પ્રભુવીરના નામનો ઉલ્લેખ સુધ્ધાં ન હતો. ખૂબ આઘાત લાગતો, આ પરિસ્થિતિ જોઈને. આજે કોઈ શ્રાવક જ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૩૮)'

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294