Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 258
________________ કે વિધિમાર્ગનું નિરૂપણ કરીએ. સર્વત્ર “જિનાજ્ઞા શું છે? પરમાર્થ શું છે?” એ કહીએ. (૨) એ વિધિમાર્ગ ૪ જ ઉપર અતિશય બહુમાનભાવ ધારીએ. (૩) “આપણે શિથિલ હોઈએ એટલે આપણા આશ્રિતોને પણ $ આ શિથિલતામાં ખૂંપવા દેવા' એવું કદિ ન થવા દઈએ. આપણી શિથિલતાનો અંશ પણ આશ્રિતોમાં ઘુસવા જ ન દેતા તેઓને સાચા વિધિમાર્ગમાં સ્થાપિત કરીએ. (૪) આપણે અવિધિ આચરતા હોઈએ તો પણ છે જ સખત અવિધિખંડન કરીએ. લેશ પણ અવિધિ પરનો આપણો ઢળાવ ન થવા દઈએ. વિધિમાર્ગ એટલે જિનાજ્ઞા. આ ૨૦૦ નિયમો પણ એ જિનાજ્ઞારૂપ જ છે. એટલે સાર એ જ આવ્યો કે જો શ્રી સંઘના પરમોપકારનો બદલો વાળવો હોય, આત્મોદ્ધાર ? જે કરવો હોય તો (૧) સૌ પ્રથમ તો આ તમામ નિયમો કે શક્તિ મુજબ ઓછા-વત્તા નિયમો સ્વીકારીને જ ૪ સ્વયં આચારસંપન્ન, વિધિપાલક બનીએ, (૨) અશક્તિ કે પ્રમાદાદિને કારણે નિયમો ન લઈ શકીએ ? જ તો ઉપર મુજબ એ નિયમોની અર્થાત્ જિનાજ્ઞાઓની કટ્ટરતાપૂર્વક પ્રરૂપણા કરીએ. ઘોર પશ્ચાત્તાપથી ૪ જ આપણા પાપમલ ધોઈએ. છે. પ્રથમ વિકલ્પ સ્વીકારનારાઓ સાચી સર્વવિરતિને પામીને વહેલી મુક્તિ પામશે. બીજો વિકલ્પ છે કે સ્વીકારનારાઓ સમ્યગ્દર્શન ટકાવી રાખીને મોડી પણ મુક્તિ તો પામશે જ. ઉપસંહાર : ૪ દર ચોમાસી ચૌદશે આ નિયમો ગુરુ પાસે લેવા. ચાર-ચાર મહિના માટે આ નિયમો લેવા. બીજી જ ચોમાસી ચૌદશ આવે ત્યારે જુના લીધેલા નિયમોમાં જે કોઈ ફેરફાર કરવા હોય એ કરી ફરી એ નિયમો જ છે લેવા. ગુરુને વંદન કરી ભાવપૂર્વક ચાર-ચાર મહિના માટેના આ નિયમો લેવાના છે. ' ' એ નિયમો લીધા બાદ ચાર મહિના દરમ્યાન કોઈપણ નિયમમાં કારણસર છટ જોઈતી હોય. 3 અપવાદ સેવવો હોય તો ત્યારે પોતાની મેળે એ છૂટ-છાટ ન લેવી, પણ ગુરને પૂછી, એમની અનુમતિ જ જ લઈ એ છૂટ લઈ શકાય. આ નિયમોમાં આ વાત સમજી જ લેવી કે સદ્ગુરુની અનુમતિ લઈ એમાં જ કે ફેરફાર કરી શકાશે. ૪ અંતે શ્રમણ સંસ્થા પ્રત્યેના ભારોભાર બહુમાનભાવથી પ્રેરાઈને, જિનશાસન પ્રત્યેની કૃતજ્ઞતાથી જ પ્રેરાઈને આ પુસ્તક લખ્યું છે. એમાં કોઈની પણ નિંદા કરવાનો રૂંવાડામાં ય વિચાર નથી. જ્યાં પણ આ છે કંઈક કડક ભાષામાં લખાયું હશે ત્યાં એ ખરાબ પદાર્થનું જ ખંડન કર્યું છે. કોઇપણ વ્યક્તિ પ્રત્યેના દ્વેષથી છે છે એક અક્ષર પણ લખ્યો નથી. - રે આ ૨૦૦ નિયમોમાંથી હું પણ ક્યાં બધી બાબતો પાળું છું! એટલે જે નિયમો હું નથી પાળતો તેમાં હું ય દોષી છું. મેં માત્ર જિનાજ્ઞા બતાવવાનું કામ કર્યું છે. એમાં જો મારો નંબર ન હોય ? છે તો હું ય અપરાધી છું જ. પણ હું અમુક જિનાજ્ઞા નથી પાળતો એટલે એ જિનાજ્ઞાઓ મારે બીજાઓને બતાવવી પણ નહિ ! જ એ શું યોગ્ય છે? સસૂત્ર પ્રરૂપણા કરવી એ આત્મકલ્યાણ માટેનો મારો આરાધનામાર્ગ છે. આમ છતાં પુસ્તક દ્વારા કોઈને લેશ પણ દુઃખ થયું હોય તો એની ભાવભરી ક્ષમાપના ચાહું છું. $ वंदे वीरम् । સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૨૩૭)

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294