Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 250
________________ છે. તો હવે એ પણ વિચારીએ કે તેઓ શા માટે આપણી પાછળ આટલો બધો ભોગ આપે છે? નથી કે તો આપણે એમનું કોઈ કામ કરનારા નોકરો ! કે નથી તો આપણે એમની ઈચ્છાઓ પુરી કરી આપનારા જ કહેવૃક્ષો ! છતાં કોઈ ખોટી અપેક્ષાઓ વિના આપણા ઉપર ઉપકારોની હેલી વરસાવનાર એ સંઘની ? તે આપણી પાસે શું અપેક્ષા છે? : ધારો કે એમની આપણી પાસે કોઈ અપેક્ષા ન હોય છતાં એ સંઘ માટે આપણી ફરજ શું છે? સમજદાર શ્રાવકોને જો આ પ્રશ્ન પુછવામાં આવે તો તેઓ કહેશે કે, “સાહેબ ! માનવભવ ૪ 1 પામ્યા છતાં અમે સંસારમાં ખુંપીને ઘણું ગુમાવી ચૂક્યા છીએ. જ્ઞાન-દર્શન-ચારિત્રને પામવાને બદલે ? ' અમે માત્ર ધન પાછળ દોટ મૂકી છે. આપ સંસારત્યાગી છો મોક્ષમાર્ગના મુસાફર છો ! આપની જે જ 1 કંઈપણ ભક્તિ કરીએ છીએ એની પાછળ અમારી આપની પાસે એક જ અપેક્ષા છે કે આપ અમને સાચા માર્ગે લઈ જાઓ. અમારી રત્નત્રયી વૃદ્ધિ પમાડી આપો. અમારું ખરું ધન અમને મેળવી આપો. બસ ૪ સાહેબ ! એ સિવાય આપની પાસે અમારી કોઈ જ અપેક્ષા નથી.” છે એટલે એ વાત તો નક્કી છે કે આપણા ઉપર ઉપકારોની હેલી વરસાવનાર શ્રીસંઘ પ્રત્યે આપની જ કે ફરજ એ જ છે કે આપણે “એમનો આત્મા મોક્ષમાર્ગમાં આગળ વધે, વધુને વધુ ધર્મિષ્ઠ બને એવી છે જ પ્રવૃત્તિ કરવી. કે આપણી પ્રત્યેક પ્રવૃત્તિ, આપણા પ્રત્યેક વચનો એવા જ હોવા જોઈએ કે જેમાં શ્રીસંઘના જ સભ્યોનો આત્મા વધુ નેં વધુ નિર્મળતાને પામતો જાય. જો આમ થાય તો જ આપણે એમના ઉપકારની સામે પ્રત્યુપકાર વાળી આપેલો કહેવાય. - કદાચ આપણે એમને મોક્ષમાર્ગ તરફ આગળ ધપાવી ન શકીએ અને એ રીતે એમના ઉપર ૧ ઉપકાર ન કરી શકીએ તો કંઈ નહિ, પણ આપણા નિમિત્તે તેમના ઉપર અપકાર તો કોઈપણ ભોગે ન જ આ જ થવો જોઈએ. ભલે તેઓ આપણા દ્વારા વધુ ધર્મી ન બને પણ મેળવેલો ધર્મ પણ આપણા દ્વારા ગુમાવી દે તો? આ એ તો ન જ થવું જોઈએ ને ? જ . મારે એટલું જ કહેવું છે કે ઉપકારીના ઉપકારને બરાબર યાદ રાખીને એ ઉપકારી ઉપર સમય જ આવે ત્યારે પ્રત્યુપકાર કરે એ કૃતજ્ઞ કહેવાય. છેવટે ઉપકારી ઉપર અપકાર તો કદિ ન જ કરે એ પણ જ આ કૃતજ્ઞ કહેવાય. પણ ઉપકારી ઉપર અપકાર કરે એ કૃતઘ્ની કહેવાય. અને કૃતજ્ઞતા જેવો કોઈ મોટો દોષ છે જ નથી. જ એટલે આપણી બધાની બે ફરજ બને છે : (૧) આપણા કોઈપણ સંયમી દ્વારા શ્રાવક- ૪ ન શ્રાવિકાઓની ધર્મભાવનાની વૃદ્ધિ જ થવી જોઈએ. આપણી પ્રવૃત્તિ-વચન એમની ધર્મભાવનાને જ જ વધારનારા જ હોવા જોઈએ. (૨) જો એ શક્ય ન હોય તો ય આપણી કોઈપણ પ્રવૃત્તિ દ્વારા એમની જ જ ધર્મભાવના ઘટવી તો ન જ જોઈએ. તો હવે આપણે એ નક્કી કરવું પડશે આપણી એવી કોઈ પ્રવૃત્તિ છે? કે જેનાથી શ્રાવક- ૪ શ્રાવિકાઓની ધર્મભાવના ખલાસ થતી હોય? તેઓ પામેલો ધર્મ પણ ગુમાવી દેતા હોય? સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ... (૨૨૯)

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294