Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 239
________________ છે સાધુઓનો આ રોફ ? પેડ ન લેવું હોય તો ય ઠાવકાઈથી નિષેધ કરી શકાત. એના બદલે “અમે તો હાથ આ પણ ન લગાડીએ” એવા શબ્દો બોલવા એ શોભાસ્પદ ખરાં ? જ આજે મહાસંયમી કેટલાંક સંયમીઓ પત્રો લખવા પડે તો ય પેડ ન રાખે પણ પોતાના ઉપર જે પત્રો આવ્યા હોય એની જ પાછળની ખાલી જગ્યામાં લખાણ કરી એ જ પત્ર પરત મોકલે. અથવા છે પત્રિકા વગેરેના ખાલી ભાગનો ઉપયોગ કરી લે. આવો ઘોર સંવેગ ન પ્રગટે અને માટે જ પેડ રાખવું પડે તો પણ આટલું તો નક્કી કરી શકાય જ કે સાદા, સફેદ, સસ્તા પેડ વાપરીશ. શ્રાવકો મોંઘા, રંગબેરંગી લાવે, વહોરાવે, વિનંતિ કરે તો પણ જ સ્પષ્ટ ના પાડી દેવી કે અમારે સાદા પેડ જ ચાલે. આવા મોંઘા-રંગબેરંગી-આકર્ષક પેડો વાપરવામાં ? છે અમને પ્રાયશ્ચિત્ત આવે. વળી કેટલાંક પેડના પાનાઓની એક જ બાજુ લખતા હોય છે. બીજી બાજુ લખતા હોતા નથી. જ જ પણ આ યોગ્ય નથી. નકામો બગાડ શા માટે થવા દેવો? હા ! પાના એકદમ પાતળા હોવાથી અક્ષરો ? છે. એકદમ ઉપસી જતા હોય તો ભલે એકબાજુ લખીએ, પણ સામાન્યથી પેડના પાના એકદમ પાતળા નથી જ હોતા. તો એની પાછળની બાજુનો ઉપયોગ કરી શકાય. વળી અડધું જ પાનું લખાણ થાય તો આખું ૪ આ પાનું ફાડી ન નાંખવું. જેટલું લખાણવાળું પાનું હોય એટલું જ અડધું પાનું ફાડી એ મોકલી શકાય. આ જ બાકીના ભાગનો બીજીવાર ઉપયોગ થઈ શકે. ધારો કે ૧૫ લીટીનું પાનું છે. ૧૦ લીટી લખવાની છે. હવે જો એક જ બાજુ ૧૦ લીટી લખીએ જ તો એ ૧૦ લીટી જેટલું પાનું ફાડીને મોકલવું પડે. એમાં પાછળનો ભાગ તો ખાલી જ રહી ગયો હોવાથી જ જ એટલો બગાડ થયો કહેવાય. એટલે ખરેખર તો આગળની બાજુ માંચ લીટી અને પછી પાછળની બાજુ જ ૫ લીટી લખી એ પાંચ લીટી જેટલો જ પાનાનો ભાગ ફાડીને મોકલી શકાય. બાકીનો ૧૦ લીટી જેટલો છે ૪ ભાગ આપણી પાસે જ રહે. આ રીતે જો કરકસરપૂર્વક પેડનો ઉપયોગ કરીએ તો અત્યારે જો વર્ષે પાંચ પેડ વપરાતા હશે ! જે તો એને બદલે ૨-૩ પેડ જ વપરાશે. વિરાધના ઘટશે. વળી આ રીતે વાપરીએ તો કાગળની પારિઠાવણી ? જે પણ ઘણી જ ઘટી જાય. કેટલાંક સંયમીઓ પત્રો મોકલવા માટે તદ્દન નવા કવર બગાડવાને બદલે જુના આવેલા કવરો, જુની પત્રિકાના કવરોમાં જ પત્રો બીડીને મોકલી દેતા હોય છે. જુનું લખાણ છેકી નવું એડ્રેસ-ટીકીટ ? ૪ ચોંટાડી દેતા હોય છે. “જો ઓછામાં ઓછી વિરાધના થાય તો સારું.” એવો ભાવ પ્રગટશે તો આવા અનેક પ્રકારના જ છે જયણાના વિકલ્પો મનમાં ઉપસ્થિત થયા વિના નહિ રહે. ૨૧૧. હું ઉપાશ્રયમાં ખીલીઓ નહિ ઠોકાવું? ઉપાશ્રયમાં દોરી બાંધવા માટે ભીંત વગેરે ઉપર ખીલીઓ ઠોકેલી હોય તો અનુકૂળ રહે. દોરી ૪ જ ઝડપથી બંધાય. એમ મચ્છરદાની વગેરે બાંધવા માટે પણ ખીલીઓ ઉપયોગી થાય. આ કારણસર જે સંયમીઓ ઉપાશ્રયમાં અમુક અમુક સ્થાને શ્રાવકોને સુચના કરીને ખીલીઓ ઠોકાવતા હોય છે ? સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૧૮)

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294