Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 240
________________ આ ઉચિત નથી. (૧) આપણા નિમિત્તે સુથાર વગેરે દ્વારા ભીંતમાં ખીલી ઠોકાય એમાં આપણને જ દોષ લાગે. (૨) એ ખીલી ઉપર ભમરાઓ ઘર બનાવે, ક્યારેક નિગોદ પણ થાય આ બધી જ વિરાધનાઓનો દોષ સંયમીને લાગે . કોઈપણ ઉપાશ્રયમાં દોરી બાંધવા માટે કંઈક તો મળી જ રહે. થોડીક મુશ્કેલી પડે પણ “દોરી કે બાંધવાનું સાધન ન જ મળે' એવું પ્રાયઃ બનતું નથી. એટલે આપણી વધારે સુવિધા માટે ખીલીઓ ઠોકાવવી અને એની કાયમી વિરાધના ઉભી કરવી એ સંયમી માટે યોગ્ય નથી. જ છતાં જો ચોમાસાના ચાર મહિના દરમ્યાન એવી કોઈપણ ખીલી ઠોકાવી હોય તો એ સ્થાન ? કે છોડતા પહેલા એ બધી ખીલી કઢાવી લેવી. જેથી આપણા ગયા બાદ એ ખીલી દ્વારા થનારી ભમરા ૪ વગેરેની કોઈપણ વિરાધના સંયમીને ન લાગે. શેષકાળમાં તો એક સ્થાને વધુ રહેવાનું ન હોવાથી પ્રાયઃ શેષકાળમાં કોઈપણ સંયમીઓ ખીલી ઠોકાવતા નથી. - ૨૧૨, હું ઉપાશ્રયમાં કોઈપણ પ્રકારના ફોટાઓ મુકાવડાવીશ નહિ : બૃહત્કલ્પસૂત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે (113) “જે સ્થાનમાં કોઈપણ પ્રકારના ચિત્રો કે ફોટાઓ હોય છે ત્યાં ઉત્સર્ગમાર્ગે સંયમીઓ રહી ન શકે.” માત્ર વિજાતીયના ખરાબ ફોટાઓ જ નહિ, પણ ભગવાનના ૪ કે ગુરુના પણ ફોટાઓ ઉપાશ્રયમાં શાસ્ત્રદષ્ટિએ ન ચાલે. જો ઉપાશ્રયમાં બહેનોના કે સાધ્વીજીઓના ફોટા હોય તો સાધુઓને બ્રહ્મચર્યમાં નુકસાનો જ થવાની શક્યતા છે. એ વાત હું મારી મતિથી નથી કરતો પણ શાસ્ત્રકાર ભગવંતો આ વાત કરે છે. - જો ઉપાશ્રયમાં ભગવાનના કે આચાર્યભગવંતોના ફોટા હોય તો સાધુઓને બ્રહ્મચર્ય સંબંધમાં તો છે છે કોઈ વાંધો ન આવે. પણ સાધુઓ એ ચિત્રને ધ્યાનથી જુએ. એ ચિત્ર ખૂબ જ સુંદર હોય તો પરસ્પર વાતચીત કરે કે, “આ ખૂબ જ સુંદર ચિત્ર છે. કેટલો અદ્ભુત દેખાવ છે?” અને એ રીતે આ વિષય ઉપર શરૂ થયેલી વાત અડધો-પોણો કલાક પણ ચાલે. બધા સંયમીઓ પોત-પોતાના અભિપ્રાયો આપે. છે “આના કરતાં ય જોરદાર ફોટો અમુક સ્થાને હતો. એ તમે જુઓને? તો આને ભુલી જાઓ...” કોઈક રું ૪ વળી કહે કે “આ ફોટો કોઈએ ચિત્રકામ કરી દોરેલો છે? કે કેમેરા દ્વારા સાક્ષાત ફોટો પાડેલો છે?” કોઈક જ ? વળી, કહે, ફોટો આમ તો સારો છે. પણ કલરીંગ નથી. જો કલરવાળો હોત તો દેખાવ સારો આવત...” છે. શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે આ બધી ચર્ચાઓ, વિચારણાઓમાં સંયમીઓનો અમૂલ્ય જે સમય વેડફાઈ જાય. આ ચર્ચામાં રત્નત્રયીની વૃદ્ધિ તો થતી નથી. ઉલ્ટે ક્યારેક પરસ્પર ઝઘડા થઈ જતા છે જ હોય છે. માટે જ ઉપાશ્રયમાં આવા કોઈપણ પ્રકારના ફોટા ન જોઈએ. ? આપણે કદાચ એમ કહીએ કે “ઉપાશ્રયમાં જો ભગવાનના કે ગુરુના ફોટા હોય તો બધાને ૪ જ દર્શનનો લાભ મળે...” પણ શાસ્ત્રકારોએ શા માટે એવી છૂટ ન દેખાડી ? એ પણ વિચારવું પડશે ને? જ જે દીર્ઘદૃષ્ટા શાસ્ત્રકાર ભગવંતોની આંખે જોઈએ તો તેઓને આ રીતે ફોટાઓ મૂકાવવામાં દોષ છે જ દેખાયો છે, અને માટે આપણે પણ એમને અનુસરીએ તો એમાં આપણું એકાંતે હિત જ છે ને? ૪ વળી માત્ર “સ્વાધ્યાય બગડે છે.” એટલો જ દોષ આ ફોટો મૂકાવવા પાછળ નથી. બીજા અનેક જ દોષો છે. ( સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૧૯) ]

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294