Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 223
________________ છે જલ્દી જલ્દી કરવાની કે વેઠ ઉતારવાની પ્રક્રિયા વધતી જાય. છે પ્રાચીનકાળમાં પ્રતિક્રમણ ક્રિયા ખૂબ નાની હતી. (૧૦૭) નમોડસ્તુની ત્રણ સ્તુતિઓ બોલાય એટલે આ જ પ્રતિક્રમણ પૂર્ણ થઈ જતું. પણ ધીમે ધીમે સ્તવન, સજઝાય, શાંતિ ઉમેરાઈ. ગીતાર્થ-સંવિગ્ન જ જ મહાપુરુષોએ આનો ઉમેરો કર્યો છે અને એમાં કોઈએ વિરોધ નથી કર્યો એટલે એ ક્રિયાઓ-સૂત્રો આજે જ છે. ભારતના તમામ સંઘો માન્ય રાખે છે. પણ એક વાત તો નક્કી કે આ રીતે પ્રતિક્રમણની ક્રિયા દોઢી- છે જ બમણી થઈ ગઈ. જ વધારે મુશ્કેલી એ થઈ કે જે ખરેખરી પ્રતિક્રમણ ક્રિયા છે કે જેનું સૌથી વધુ મહત્વ છે એની કિંમત જે ઘટી અને સ્તવન-સન્ઝાયની કિંમત વધી. સામાન્યથી આપણે પણ જોઈએ છીએ કે નમોડસ્તુ પહેલાની છે ક્રિયામાં આપણો આનંદ-ઉલ્લાસ કેટલો ? અને સ્તવન-સક્ઝાયમાં કેટલો ? સ્તવન-સન્ઝાય ખૂબ જ જ લંબાવીને પણ બોલીએ જ્યારે મૂળક્રિયા ઝડપથી પતાવીએ.કોઈ સાધુને ચાર થોય બાકી રહી ગઈ હોય જ શું તો એ “અભુઢિઓ” ખામીને ઝડપથી પ્રતિક્રમણ કરી, ચાર થોય કરી પાછો સ્તવનમાં ભેગો થઈ જાય. છે પણ એને એ ઉપયોગ ન આવે કે “નમોડસ્તુ સુધી હું માંડલી સાથે પ્રતિક્રમણ કર્યું અને પછી મારી સ્વતંત્ર છે જ ચાર થોયો કરવા છૂટો પડી જઈશ, કેમકે ખરું પ્રતિક્રમણ નમોડસ્તુ સુધીનું છે.” ખરેખર તો સંયમીના મનમાં આ પદાર્થ દઢ હોવો જ જોઈએ કે નમોડસ્તુ સુધીની પ્રતિક્રમણની જ ક્રિયા તો માંડલીની સાથે જ કરવી જોઈએ. કદાચ કારણસર મારે માંડલીથી છૂટા પડવું પડે તો પણ શક્ય છે જે હશે ત્યાં સુધી નમોડસ્તુ સુધીની ક્રિયા તો માંડલીની સાથે જ કરીશ.” છતાં આજે જેમ ચાલે છે એમ ચલાવી લઈએ તો ય એક વાત વિચારવા જેવી છે કે હવે લગભગ છે જ દરેક સંઘોમાં પ્રતિક્રમણ બાદ અરિહા શરણં, સમરો મંત્ર વગેરે જાત-જાતની સ્તુતિઓ બોલાતી જ જ સાંભળવા મળે છે. એ સ્તુતિઓ ખરેખર એકદમ ભાવવાહી જ છે. છે પણ મુશ્કેલી એ છે કે એ સ્તુતિઓ પણ જાણે કે પ્રતિક્રમણનો ર્જ એક ભાગ હોય એ રીતે જ છે બોલવાનો આગ્રહ રખાય છે. એ સ્તુતિ બોલ્યા વિના પ્રતિક્રમણ પારી ન શકાય એ રીતનો આગ્રહ છે આ પ્રવૃત્તિ કેટલાક સંઘોમાં જોવા મળે છે. જો આ રીતે ચાલે તો તો વર્ષો જતા આવી સ્તુતિઓ દ્વારા જ જે પ્રતિક્રમણ વધારે મોટું બની જવાનું. દા.ત. પહેલા સમરો મંત્ર... બોલાતું. હવે અરિહા શરણે બોલાતું જ છે સંભળાય છે અને એમાં પાછી નવી ગાથા ઉમેરાઈ છે કે “જગમાં જે જે...” એ પછી તાજેતરમાં જ વળી બીજી એક નવી ગાથા ઉમેરાઈ છે. કેટલાંક સંઘોમાં તો પાંચ-દશ મિનિટ ચાલે એટલી બધી જે સ્તુતિઓ પ્રતિક્રમણ બાદ અવશ્ય બોલાવાય છે. આ બધું શ્રાવકો પોતાની મેળે વધારતા હોય એ સંભવિત નથી લાગતું. તે તે સંયમીઓને તે જ તે સ્તુતિ ગમી હશે અને એણે પોતાના સ્થાનના શ્રાવકો પાસે એ બોલાવવાની શરૂ કરાવી હશે. બેયના છે જ ભાવ સારા છે, વિચાર કોઈનો ખરાબ નથી. પણ લાંબાકાળે આમાંથી ઉત્પન્ન થનારી મુશ્કેલીનો વિચાર છે જ કરવો જરૂરી છે. એક જગ્યાએ પ્રતિક્રમણ બાદ સ્તુતિ શરૂ થઈ ત્યારે જ કેટલાંક શ્રાવકોએ સામાયિક પારવાનું શરૂ ? જે કરી દીધું. સંયમીએ એમને અટકાવ્યા કે “તુતિ બાદ જ સામાયિક પારવાનું.” સમજુ શ્રાવકો પ્રતિક્રમણ ૪ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૨૦૨)

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294