________________
છિક ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર બી
8
|
પાખેજ શ્રાવક ખંતથી શુભનિયમ નિશિ ભોજન તણો ધનદેવ તોડી નિયમને ભાજન બન્યો બહુ દુઃખનો એડકાક્ષ પ્રસિદ્ધિ પામે પરભવે સુખ ના જરા પામે વળી દુઃખ દુર્ગતિના જેહ લાગે આકરા.
(ગા. ૩૩૮) આ ભરતક્ષેત્રમાં દશાર્ણપુરનો રહીશ ધનપતિ નામે સાર્થવાહ હતો તેને ધનવતી પુત્રી હતી તેને મિથ્યાદષ્ટિ ધનદેવની સાથે પરણાવી હતી. ધનવતી પોતે શ્રાવિકા હતી તેથી રાત્રે જમતી ન હતી. પતિને રાત્રે ખાવાનો ગેરલાભ સમજાવી ચોવિહારનું પચ્ચખાણ કરાવ્યું. (ધનદેવની) બહેનનું રૂપ કરીને દેવે તેની પરીક્ષા કરવા સારું ભોજન આપ્યું તે જોઈને ધનવતીએ નિયમ યાદ કરાવ્યો. છતાં ધનદેવ ખાવા બેઠો. એટલે થપાટ મારીને દેવે બે આંખો કાઢી લીધી. આંધળો કર્યો. ધનવતીના ગુણને લઈને દેવને દયા આવવાથી એડક (ઘેટા)ની આંખ જોડી ધનદેવને તે દેવે દેખતો કર્યો. આવો બેડોળ જોઈને ધનદેવને લોકો એડકાક્ષ – અંડકાક્ષ એમ કહેવા લાગ્યા.
રાત્રિભોજન કરનાર અજ્ઞાની લોકો મરીને કાગડા, બિલાડી વગેરેના ખરાબ અવતાર પામે છે અથવા નરકગતિમાં જઈને ત્યાં ઘણાં પ્રકારનાં દુઃખો ભોગવે છે. આ પ્રમાણે શ્રી નિશીથ ભાષ્યમાં તથા શ્રી યોગશાસ્ત્રમાં વિસ્તારપૂર્વક ઘણું કહેલું છે. માટે શ્રાવકે અવશ્ય રાત્રિભોજનનો ત્યાગ કરવો. જો અનાજ અચિત્ત હોય તો પણ તેમાં ઘણી ઝીણી જીવાત ઉત્પન્ન થાય છે તેની સમજુ શ્રાવકો શું તે રાતે ખાવાની ઈચ્છા કરે? અર્થાત્ નજ કરે.
ચાલુ પ્રસંગે પ્રશ્ન કરનારને ગ્રંથકાર ઉત્તર આપે છે :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org