Book Title: Ratribhojan Mimansa
Author(s): Kavin Shah
Publisher: Rupaben Astikumar Shah

View full book text
Previous | Next

Page 183
________________ કર્યો. મુનિશ્રી વરસાદ બંધ થતાં ઉપાશ્રયે પધાર્યા અને પટુ પોતાના ઘરે ગયો. ત્યારબાદ બનાવ એ બન્યો કે - એ જ દિવસે પર્વ દિવસ હોઈ ખુશી મનાવવાની ખાતર મિષ્ટાન્ન તૈયાર કરવામાં આવ્યું હતું. સૌ રાત્રે ભોજન કરવા તૈયાર થયા પણ પટુએ ના પાડી કે મારે રાત્રિભોજન ન કરવાનો નિયમ છે. ભાઈઓને પરસ્પર પ્રેમભાવ હતો. એક ભાઈને છોડીને બીજા ભાઈઓ શી રીતે જમતા? બસ એટલે કોઈએ રાત્રે ભોજન ન કર્યું. જયારે ભાઈઓ ન જમે ત્યારે તેમની પત્નીઓ પણ કેવી રીતે જમે? એ પણ જમતી નથી. એકના ત્યાગે છછ આત્માને પણ કુદરતી રાત્રિભોજનના ત્યાગનો લાભ મળ્યો. સૌએ રાત્રિભોજન ન કર્યું અને જો કર્યું હોત તો બધાંના પ્રાણ ચાલ્યા જાત. ધર્મની પ્રતિજ્ઞા શું કામ કરે છે? ધર્મનો કેવો ગજબ પ્રભાવ છે? એમ બન્યું હતું કે રાત્રે મિષ્ટાન્ન તૈયાર કરતાં અંધારામાં ખબર ન પડી, ખાંડણીમાં સાપનો કણો હતો તે કુટાઈ ગયો. સર્પના બચ્ચાનાં ટુકડે ટુકડા થઈ ગયા. એ ઝેર મિષ્ટાન્ન સાથે ભળી ગયું અને સવાર થતાં સૌએ એ નજરે નિહાળ્યું. બધાને ભારે આશ્ચર્ય થયું આ શું! સારું થયું પટુના રાત્રિભોજનના ત્યાગે આપણે બધાએ ખાધું નહિ. બધાંયના પ્રાણ બચ્યા. ધર્મ પર દઢ આસ્થા થઈ, વડીલ ભાઈના નિયમની સૌ પ્રશંસા કરવા લાગ્યા. તે જ વખતે સૌએ પણ રાત્રિભોજન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. ( ૧ ૪ ૬ ) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230