Book Title: Ratribhojan Mimansa
Author(s): Kavin Shah
Publisher: Rupaben Astikumar Shah

View full book text
Previous | Next

Page 218
________________ સમર્થન કર્યું છે. પ્રકરણ ૫ માં જૈન દર્શન, પ્રકરણ ૬ માં જૈનેત્તર દર્શનના અન્ય સંપાદકોની સમાન રજૂ કર્યા છે. “નરક દ્વાર - રાત્રિભોજન” નામની પુસ્તિકા રાષ્ટ્રીય સંત પ.પૂ. આચાર્ય વિજય જયંતસેનસૂરીશ્વરજીએ હિન્દી ભાષામાં સં. ૨૦૪૧માં પ્રગટ કરી છે. પૂ. શ્રીએ સારભૂત વિચાર નીચે પ્રમાણે દર્શાવ્યા છે. ૪. રાત્રિભોજન છોડો, જીવનમાં સુખ જોડો. પૂ.શ્રીએ રાત્રિભોજન વિશે આ પુસ્તિકામાં નીચેના વિષયોનો સમાવેશ થયો છે. • રાત્રિભોજન ત્યાગ એ જીવનમાં સુખી થવાનો માર્ગ છે. • ૨૨ અભક્ષ, ૩ર અનંતકાયનો આહારમાં સર્વથા ત્યાગ કરવો. રાત્રિભોજન ત્યાગનો મહિમા દર્શાવતી કેશવની કથા. રાત્રિભોજન નરકનું દ્વાર છે તે દર્શાવવા માટે નારકીના જીવોની વેદના અને પારાવાર દુઃખનું વર્ણન. રત્નસંચય અને યોગશાસ્ત્ર ગ્રંથોમાંથી પ્રાપ્ત થતાં રાત્રિભોજનના વિચારોની માહિતી. જૈનેત્તર દર્શનના વિચારોનો સમાવેશ થયો છે તેમાં અન્ય ગ્રંથોની સાથે યોગ વશિષ્ઠ ગ્રંથના સંદર્ભ નોંધપાત્ર છે. જૈન તરીકેની ઓળખાણ રાત્રિભોજન ત્યાગમાં છે. કેટલાક ઉપદેશાત્મક વિચારો જોઈએ તો રાત્રે ચૌવિહાર કરવો, આઈસ્ક્રીમનો ત્યાગ, દ્વિદળ, કઠોળ, સૂકો મેવો જયણાપૂર્વક ઉપયોગમાં લેવો. પાણી વસ્ત્રથી ગાળીને વાપરવું. (વસ્ત્ર પૂર્વ પિબેતુ જલમ) માંસાહાર અને મદિરાનો સર્વથા ત્યાગ કરવો. ઈંડા સજીવ છે તેનો ત્યાગ કરવો. મહાઆરંભ – સમારંભવાળા ઈફ ક ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર કા ૧૮૧) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230