Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
રાજવલ્લભ
મનુ પિતાનું શુભ ઈરછનાર હોય તેમણે ઘરનાં દ્વારકામ પાટડાથી નીચે રાખવાં પણ તુળા તળગત એટલે ગમે તે દ્વાર પાટડાના તળાંચથી ઊંચું થવું જોઈએ નહિ, અને તે જ રીતે મુખ્ય શાળાના દ્વારની ઉંચાઈથી બીજા સર્વ દ્વારેને નીચેને ભાગ [ ઊંબરા નીચા રાખવા ] નીચાજ રાખવે તેમજ કુક્ષ અને પાછળના ભાગમાં પણ જાદે કમી ન કરતાં સરખાં દ્વારે રાખવાં જોઈએ, અને ઘરના કામમાં જોઈતાં લાકડાં પંચકમાં લાવવાં નહિ. તે લાકડાનાં મૂળે અથવા થડે ઘરને વિષે પૂર્વ અને ઉત્તર દિશા સામે રાખ નહિ. ૨૨
શાઢિની. द्वारोद्धैयद्वारमस्यप्रमाणं । संकीर्णवाशोभनंनाधिकतत् ॥ हस्वद्वाराण्येवयानिप्रथूनि । तेषांशीर्षाण्येकसूत्राणिकुर्यात् ॥२३॥
અર્થ: ઘરના દ્વાર ઉપર કાર મુકવામાં આવે તે દ્વાર, ઘરના નીચેના દ્વાર પ્રમાણે કરવું. નીચેના દ્વારથી ઉપરનું દ્વાર સાંકડું કરવું પણ તે સુશોભિત કરવું. નીચેના દ્વાર કરતાં ઉપરનું દ્વાર પહેળું કરવું નહિ તેમજ ઉદયમાં વધારવું નહિ. નાનાં અને મેટાં એ સર્વ દ્વારનાં મથાળાં સમસૂત્ર રાખવાં જેઈએ. અર્થાત્ નીચેના દ્વારના મથાળા પ્રમાણે નીચેનાં સર્વ અને ઉપરના દ્વારના મથાળા પ્રમાણે ઉપરનાં સર્વ દ્વારનાં મથાળાં એક સૂત્રમાં રાખવાં કહ્યાં છે. ૨૩ सर्वदारंचीयमानरुजायै । यद्वान्हस्वंतत्करोत्यर्थनाशं । गेहाचंयत्पूर्ववास्तुस्वरुपं । तेषांभंगान्नवसौख्यंकदाचित् ॥२४॥
અર્થ તૈયાર થએલાં સર્વ પ્રકારનાં દ્વારમાંથી કે પહાશાળી • લેવામાં આવે તે તેથી ધરા મનુભાવ: ઉપર શિયમ તથા પ્રથમથી જે પ્રમાણમાં દ્વાર હોય તે પ્રમાણ કરતાં જુદા પ્રમાણ માટે પ્રથમનું દ્વાર ખ્યાહી : . અથવા મેટું દ્વાર કરવામાં આવે છે તેથી ધનને નાશ થાય. એટલું જ નહિ પણ પ્રથમનું ઘર જે વાસ્તુ પ્રમાણે હોય તે વાસ્તુને ભંગ કરવામાં આવે તે તેથી ઘરના માલિકને કઈ દિવસ રસુખ પ્રાપ્ત થાય નહિ. ૨૪
૧ વાસ્તુનો ભંગ એટલે ઉભેલા ઘરની રવશ અથવા આકૃતિ ફેરવી નવીન પ્રકાર કરવો હોય તો તે ઘરને પાયામાંથી ઉખેડી કરી પાયો પૂરી, ફરી બીજી વખત વાસ્તુનું પૂજન કરી નવીન ઘરે કરવું કહ્યું છે, પણ જીર્ણોદ્ધાર કરેલ હોય તો પ્રથમના વાસ્તુનો ભંગ કરે નહિ એમ સમજવાનું છે.