________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
૪૯ ભગવંતોને નમસ્કાર કરે છે. હવે મારે સર્વ પાપકર્મ અકરણીય છે" એ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કરે છે. પછી સામાયિક ચારિત્ર ગ્રહણ કરે છે. તે સમયે શક દેવોમનુષ્યોનો કોલાહલ તથા વાજિંત્ર આદિના ધ્વનિને બંધ કરાવે છે. ત્યાં ઉપસ્થિત સમગ દેવ સમૂહ અને મનુષ્યગણ ભીંત પર ચિતરેલા ચિત્રની જેમ સ્થિત થઈ જાય છે તે વખતે અરિહંત ‘મ સામાં રÒ સાવä ગોમાં પરિવામિ' પાઠનું ઉચ્ચારણ કરે છે. તેમાં અંતે શબ્દ બોલતા નથી. કેમકે તે પ્રમાણે અરિહંતનો શાશ્વત આચાર છે તે રીતે અરિહંત સર્વવિરતિ ચારિત્રવંત થાય છે.
• અરિહંતને મન:પર્યવ જ્ઞાનની ઉત્પતિ :
અરિહંત પરમાત્મા જ્યારે સામાયિક ચારિત્ર અંગીકાર કરે છે તે સમયે જ અર્થાત્ ક્ષાયોપથમિક સામાયિક ચારિત્ર ગ્રહણ કરતાં જ અરિહંત પરમાત્માને ગૃહસ્થ ધર્મ પછીનું (સાધુધર્મમાં ઉત્પન્ન થનારું) મન:પર્યવ નામક જ્ઞાન ઉત્પન્ન થાય છે. જેના દ્વારા અરિહંત અઢી કીપ અને મધ્યના બે સમુદ્રમાં સ્થિત સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત વ્યક્ત મનવાળા જીવોના મનોગત ભાવોને જાણે છે. અરિહંતો ગર્ભથી ગૃહવાસ પર્યન્ત મતિ, કૃત, અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હોય જ છે. જ્યારે સર્વ વિરતિ ચારિત્ર અંગીકાર કરે ત્યારે ચાર જ્ઞાનના સ્વામી બને છે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેઓ ચતુર્ગાની રહે છે.
અરિહંત પરમાત્માની દીક્ષા કલ્યાણકની ઉક્ત વિશેષતા અન્ય કોઈ સામાન્ય કેવલી કે દીક્ષા ગ્રહણ કરનાર બીજા કોઈ જીવોમાં જોવા મળતી નથી.
-૦- નાણ કલ્યાણક રૂપ વિશેષતા :
અરિહંત પરમાત્માના ચોત્રીશમાંના ત્રીશ અતિશયો, વાણીના ગુણ ઇત્યાદિ જે કંઈ વિશેષતા પૂર્વે જોઈ તે સર્વ વિશેષતા કેવળજ્ઞાન પ્રાપ્તિ બાદ જોવા મળે છે. કેમકે મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ચાર છાઘસ્થિક કર્મોનો સર્વથા ક્ષય થતા જ ઘણાં ગુણો, વિશેષતા કે દોષ રહિતતા ઉદ્ભવે છે.
• ભૂમિકા :- અરિહંત પરમાત્મા જે દિવસે દીક્ષા ગ્રહણ કરે, તે દિવસથી જ (ત્યારથી જ) શરીરની શુશ્રુષા છોડી દે છે, કાયાને વોસિરાવે દે છે. દેહના મમત્વભાવનો ત્યાગ કરે છે, શરીર પ્રતિ બિલકુલ ધ્યાન આપતા નથી. દેવ, મનુષ્ય કે તિર્યંચ દ્વારા જે કોઈ અનુકૂળ કે પ્રતિકુળ ઉપસર્ગો ઉત્પન્ન થાય છે, તે સર્વે ઉપસર્ગોને નિર્ભયપણે અને સમ્યક્ પ્રકારે સહન કરે છે. ક્રોધરહિતપણે ખમે છે, દીનતારહિતપણે અને કાયાની નિશ્ચલતાપૂર્વક સહન કરે છે કલુષિત મનવાળા થયા સિવાય, દુઃખરહિતપણે, અક્ષુબ્ધ ભાવથી મન, વચન, કાયાને સંયમિત રાખીને, શાંતિપૂર્વક સહન કરે છે ત્યારપછી અને કેવલજ્ઞાન પ્રાપ્તિ પૂર્વે ભગવંતનું અણગાર સ્વરૂપ આવા પ્રકારનું હોય છે–
• અરિહંતનું અણગાર સ્વરૂપ :
ઉક્ત પ્રકારે ઉપસર્ગો સહન કર્યા પછી અરિહંત અણગાર થાય છે. તે આ રીતે – ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ, મનઃસમિતિ, વચન સમિતિ, કાય સમિતિ એ આઠ [1] 4 ]