Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan
View full book text
________________
૨૯૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
કયા તીર્થંકરની છે તેનો ખ્યાલ આવે છે. કાયોત્સર્ગ કે પર્યંકાસને રહેલ પ્રતીમાજીને જોઈને અરિહંત પરમાત્માના નિર્વાણ વખતની ભૂમિકાનું દૃશ્ય ચક્ષુ સામે તરવરી ઉઠે છે. ૦ કમ્મટ્ઠ વિણાસણ :- આઠ કર્મનો વિનાશ કરનાર.
આઠ કર્મો તેના ઉત્તર ભેદોનું કથન સૂત્ર-૧ ‘નવકારમંત્ર'માં કરેલ જ છે. કર્મગ્રંથોમાં આ સ્વરૂપ પ્રસિદ્ધ છે. ભગવતીજી ટીકા, ઉત્તરાધ્યયન સૂત્ર, પત્રવણા આદિ આગમોમાં પણ તેના ઉલ્લેખો છે. અહીં ‘દ’ શબ્દથી આઠ કર્મોનો જે ઉલ્લેખ થયો છે તે તો માત્ર મૂળ પ્રકૃત્તિરૂપ છે. તે આ પ્રમાણે (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય
વિનાશ કરનાર.
આ અર્થનો વિસ્તાર સૂત્ર-૧ ‘નવકાર મંત્રના
૦ વિળાસન શબ્દનો અર્થ છે ૦ આઠે કર્મોનો વિનાશ કરનાર. સિદ્ધ પદમાં પણ સારી રીતે થયેલો છે. - વિશેષ એ જ કે આઠ કર્મોનો વિનાશ કરનારમાં ‘આઠ' એ સંખ્યાવાચી વિશેષણને ગૌણ કરીને વિચારીએ કેમકે ‘આઠ’ની સંખ્યા પ્રકૃતિથી કર્મબંધને જણાવે છે, પણ કર્મનો બંધ પ્રકૃતિથી, સ્થિતિથી, રસથી અને પ્રદેશથી એવા ચારે પ્રકારે થતો હોય છે. એ દૃષ્ટિએ ચારે પ્રકારે કર્મનો સમૂળગો નાશ કરનારા એમ કહેવાય. જો આઠ મૂળ પ્રકૃતિના ઉત્તર ભેદો વિચારીએ તો ૧૫૮ પ્રકારે પણ કર્મનો નાશ કરનારા કહેવાય. કર્મ વર્ગણાનો વિચાર કરો તો અનંતાનંત કર્મ વર્ગણાઓનો વિનાશ કરનારા કહેવાય છે.
-૦- આ રીતે પહેલી ગાથામાં જિનેશ્વર પરમાત્માના નવ વિશેષણો બતાવ્યા પછી વિશેષ્ય પદનો ઉલ્લેખ આવે છે चउवि पि जिणवर जयंतु ઞડિય સામળ - જેમનું શાસન કોઈથી હણાયું નથી તેવા (ઉપરોક્ત નવે વિશેષણોથી યુક્ત) ચોવીસે પણ જિનવરો જય પામો.
૦ દવિસંપિ - ચોવીસે પણ.
આ પદ ‘લોગસ્સ સૂત્ર-૮'માં પણ આવેલ જ છે. જુઓ સૂત્ર-૮. સૂત્ર-૮માં ‘પિ' શબ્દથી (ńપ) અર્થમાં અન્ય તીર્થંકરોને સમાવી લેવાયા હતા. પરંતુ અહીં ‘અષ્ટાપદ તીર્થ પર સંસ્થાપિત પ્રતિમા એવું જે વિશેષણ પૂર્વે મૂક્યું, તેનાથી ચોવીશ તીર્થંકરનો જ ઉલ્લેખ થશે. ઋષભ આદિ ચોવીશ સિવાયના અન્ય તીર્થંકરોનો સમાવેશ થશે નહીં.
-
-
—-
પાઠભેદ :- પ્રચલિત પરંપરામાં ઘવિર્સ પિ' બોલાય છે. પણ કેટલીક પ્રાચીન પ્રતો મુજબ ચડવીસ વિ પાઠ પણ જોવા મળે છે. જો કે અર્થની દૃષ્ટિએ તો બંને પાઠનો અર્થ સમાન જ છે.
♦ બિળવર - હે જિનવર !, હે તીર્થંકર !, હે અરિહંત ! આ શબ્દનું વિવેચન સૂત્ર-૮ ‘લોગસ્સ'માં થઈ ગયેલ છે. ૦ પરંતુ - જય પામો. મૂળ નિ ક્રિયાપદનું આ રૂપ છે. પાઠભેદ-કેટલીક પ્રાચીન પ્રતોમાં નયંતિ કે નયંત પાઠ પણ જોવા મળે છે.

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321