________________
“અંકિંચિ' સૂત્ર
૩૧૯
કે પડાવશ્યક સૂત્ર બાલાવબોધ, ષડાવશ્યક વિવરણ, ષડાવશ્યક સૂત્રસાવચૂરિ, પ્રતિક્રમણ અવચૂરિ આદિમાં આ જંકિંચિ સૂત્ર તે સૂત્રની જ એક ગાથા સ્વરૂપે જણાવેલ છે.
– આ સૂત્રમાં તીર્થ વંદના તથા પ્રતિમાજી વંદના છે. આવા જ ભાવને સૂત્ર૧૪ ના વંતિ વેરૂયાડું માં પણ પ્રગટ કરેલ છે. ફર્ક માત્ર એટલો છે કે ત્યાં માત્ર ચૈિત્યોની વંદના કરેલી છે. (જો કે ચૈત્યનો પ્રતિમા અર્થ પણ છે જ.).
- સૂત્ર-નોંધ :– આ સૂત્રની ભાષા પ્રાકૃત છે અને છંદ “હા' છે.
– આ સૂત્રનું સ્પષ્ટ આધાર સ્થાન મળેલ નથી. પણ વિશેષ કથનમાં જે પ્રાચીન પ્રતોના નામ આપ્યા છે તેમાં આ ગાથા જોવા મળે છે.
– આ સૂત્રમાં ગાથા-૧, પદ અને સંપદા-૪, ગુરુવર્ણ-૩, લઘુવર્ણ-૨૯ અને સર્વે વર્ણો-૩૨ છે.
- ઉચ્ચારણમાં અનુસ્વારોનું ધ્યાન રાખવું જરૂરી છે. તથા જોડાક્ષરમાં તિર્થં, સગ્ગ, સબ્બાઇ ત્રણ શબ્દોમાં અડધો અક્ષર બોલતી વખતે ન છૂટી જાય તે ધ્યાન રાખવું જરૂરી છે.
XX
–x
——–
મુનિ દીપરત્નસાગર દ્વારા કરાયેલ પ્રતિક્રમણ સૂત્રના વિવેચનનો ભાગ-૧ પૂર્ણ થયો