Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 308
________________ જગચિંતામણિ સૂત્ર-વિવેચન ૩૦૭ શાશ્વત ચૈત્યસ્તવમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. ક્ષેત્રલોકપ્રકાશ સર્ગ-૨૩માં પણ છે. ( ખાસ નોંધ :- શાશ્વત પ્રતિમાજી અને શાશ્વત ચૈત્યો સંબંધે અહીં અમે જે સંખ્યાનું વિવેચન કર્યું છે, તે જગચિંતામણી સૂત્રને આશ્રીને કર્યું છે. તે માટે લોકપ્રકાશ, સકલતીર્થ સૂત્ર, શાશ્વત ચૈત્યસ્તવની સાક્ષી પણ આપી છે. તે સિવાય પણ ગ્રંથોમાં, અન્ય પદ્યો, પૂજાની ઢાળો આદિમાં ઉલ્લેખ મળે છે તો પણ એક વાત નોંધ પાત્ર છે કે – (વર્તમાનકાળે ઉપલબ્ધ) આગમોમાં આમાંના ઘણા ચૈત્યોનો ઉલ્લેખ જોવા મળતો નથી. આ વિષયમાં લઘુ ક્ષેત્ર સમાસના રચયિતા શ્રી રત્નશેખરસૂરિજી પણ ગાથા-૭૮માં નોંધે છે કે રિ૬-છંદ-નડું-૪, -છંવા-યમત્ત-સવિદ્દેતું; जिणभवण - विसंवाओ, जो तं जाणंति गीअत्था. કરિ ફૂડ, કુંડ, નદી, કહ (ઉત્તર, દક્ષિણ) કુર, કંચન પર્વત, યમલ પર્વતો, સમવૈતાઢ્યોમાં જિનભવન (છે કે નહીં તે બાબત) વિસંવાદ છે. આ વિષયમાં ગીતાર્થો (બહુશ્રુતો) જ કંઈક જણાવી શકે અથવા જાણે. આ એક નોંધપાત્ર મતભેદ તેઓએ તેમના કાળમાં નોંધેલ છે. તેનો અર્થ એ કે તે કાળે પણ સંખ્યા વિષયક આગમ પાઠો મળેલ નહીં હોય, અથવા તેઓને આ વિષયમાં શંકાનું સમાધાન મળેલ નહીં હોય) (લોકપ્રકાશ-સર્ગ-૨૭ પછી આપેલા યંત્રોમાં એક પાદનોધમાં જણાવે છે કે સકલતીર્થ મુજબ પ્રતિમાની સંખ્યા ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ છે. જ્યારે વિચાર સપ્તતિકામાં ૧,૪૦,૫૨,૫૫,૨૫,૫૪૦ પ્રતિમાજી કહ્યા છે.) વિશેષ કથન : ૦ ય વંદુ – ચૈત્ય વંદન - આ જગચિંતામણિ સૂત્રનું બીજું નામ ચૈત્યવંદન સૂત્ર છે. ચૈત્યવંદન એટલે શું ? - ચૈત્યને કરવામાં આવેલું વંદન કે ચૈત્યને આશ્રીને કરાતુ વંદન કે ચૈત્ય નિમિત્તે કરાતું વંદન કે ચૈત્ય દ્વારા કરાતું વંદન અથવા જેના વડે ચૈત્યને વંદન થાય તે “ચૈત્યવંદન” કહેવાય છે. – ચૈત્યનો પ્રસિદ્ધ અર્થ જિનાલય કે જિનમંદિર કહેવાય છે. – ચૈત્યનો બીજો અર્થ ઠાણાંગ સૂત્ર, સ્થાન-૩, ઉદ્દેશક-૧માં વૃત્તિકાર અભયદેવસૂરિજી જણાવે છે કે, “ચૈત્ય એટલે જિનપ્રતિમા જ જાણવું. – અનેક જૈન આગમોમાં પરમાત્માની સ્તુતિરૂપ વાક્ય બોલતા તેઓને માટે, છઠ્ઠામાં માત્ર ટ્રેવયં વેફર્યા પછુવાન” કહ્યું છે – આ વાક્યનો અર્થ છે – કલ્યાણરૂપ મંગલરૂપ, દેવરૂપ, ચૈત્યરૂપ એવા આપની હું પર્યાપાસના, ભક્તિ કરું છું. - ચૈત્યનો એક અર્થ હેમચંદ્રાચાર્યજીએ “અભિધાન ચિંતામણિમાં એવો કર્યો છે કે, “ચૈત્ય એટલે જિનમંદિર અને જિનપ્રતિમા.” – આવો જ અર્થ હરિભ્રસૂરિજીએ “સંબોધ પ્રકરણના દેવસ્વરૂપમાં કર્યો છે – ચૈિત્ય શબ્દ જિનેન્દ્ર-પ્રતિમાના અર્થમાં રૂઢ છે.

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321