________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
સિગ્ય: કહે છે. તેમાં સિદ્ધ શબ્દમાં રસ અને દ્ધ શબ્દ છુટા પાડી સિ એટલે બંધાવું
દ્ધ-ધમી નાંખવું. તેનો રિત-તિ એવો વિસ્તાર થાય છે. જેનો અર્થ છે - બાંધેલા આઠ કર્મો જેમણે બાળી નાખ્યા. ધમી નાખ્યા છે તે સિદ્ધ કહેવાય છે.
સિદ્ધ એટલે નિપુણ પોતાનું કાર્ય યોગ્ય રીતે પુરું કરનાર. અહીં કાર્યનો અર્થ મોક્ષપ્રાપ્તિ છે. મોક્ષને પ્રાપ્ત કરવાનું કાર્ય જેણે પૂરું કર્યું છે તે સિદ્ધ કહેવાય છે. સાવશ્ય નિર્યુજિ-૯૮૮માં જણાવે છે કે સર્વ દુઃખોને સર્વથા તરી ગયેલા, જન્મ, જર, મરણ અને કર્મના બંધનથી મુક્ત થયેલા તથા કોઈપણ પ્રકારના વ્યાઘાતથી રહિત એવા શાશ્વત સુખનો અનુભવ કરનારને સિદ્ધ કહેવાય છે.
ભગવતીજી વૃત્તિ અને આવશ્યક નિર્યુક્તિમાં સિદ્ધના અર્થ જણાવતા આ પ્રમાણે કહે છે–
લિ (સિત) જેણે આઠ પ્રકારે બાંધેલા કર્મરૂપી ઇંધણને (Hi) જાજ્વલ્યમાન શુક્લ ધ્યાનરૂપી અગ્નિ વડે બાળી નાંખ્યા છે, તેને નિરક્ત વિધિથી સિદ્ધ કહેવાય છે.
સિદ્ધ (વધુ તિ) એ વચનથી નિવૃત્તિપુરી અર્થાત્ મોક્ષમાં ગયા પછી જેને ફરી પાછા આવવાપણું - જન્મ લેવાપણું નથી તે સિદ્ધ.
અથવા ( સંસાધ્વી) વચનથી જેઓના કાર્યો સિદ્ધ થયા છે - નિષ્પન્ન થયા છે કે જેઓએ પોતાનો અર્થ (મોક્ષરૂપ કાર્ય) નિષ્ઠિત કર્યો છે તે, જેમ ચોખા પાકી જાય પછી ફરીથી પકાવવાના હોતા નથી તેમ જીવને કાર્ય નિષ્પન્ન થયા પછી ફરી કરવાનું હોતું નથી.
અથવા જેઓ શાસિત થઈને માંગલ્યરૂપતાને સદા અનુભવે છે તે સિદ્ધ.
અથવા સિદ્ધ એટલે નિત્ય કેમકે અપર્યવસાન સ્થિતિ (સાદિ અનંત સ્થિતિ) તેઓ પામેલ છે.
• સિદ્ધ તો અનેક છે. અહીં કયા સિદ્ધ ગ્રહણ કરવા ?
આવશ્યક સૂત્ર વૃત્તિકાર જણાવે છે કે – સામાન્યથી સિદ્ધ શબ્દોનો અર્થ ઉપર કહ્યો તે જ છે. પણ અર્થથી ચૌદ પ્રકારે સિદ્ધ શબ્દ વર્ણવાય છે. જેમકે–
૧. નામસિદ્ધ - જેનું સિદ્ધ એવું નામ રાખવામાં આવેલ હોય તે. ૨. સ્થાપના સિદ્ધ - કોઈ પદાર્થ કે આકૃતિની સિદ્ધરૂપે સ્થાપના કરાય. ૩. દ્રવ્યસિદ્ધ - જે હવે પછી સિદ્ધ થવાના છે તે. ૪. કર્મસિદ્ધ - કર્મમાં સિદ્ધ અર્થાત્ સર્વકર્મ કુશળ. ૫. શિલ્પસિદ્ધ - સર્વ શિલ્પમાં કુશળ અથવા તેમાં સુપરિનિષ્ઠિત.
૬. વિદ્યાસિદ્ધ - જે મંત્રની દેવતા સ્ત્રી (દેવી) હોય તેને વિદ્યા કહે છે. ચક્રવર્તીએ સર્વ વિદ્યાનો અધિપતિ હોવાથી તે વિદ્યાસિદ્ધ કહેવાય છે, જેને એક પણ વિદ્યા સિદ્ધ કરી હોય તે પણ વિદ્યાસિદ્ધ કહેવાય
૭. મંત્રસિદ્ધ - જે મંત્રનો દેવતા પુરુષ હોય તેને મંત્ર કહેવાય. જેને સર્વ મંત્ર સ્વાધીન છે, તે મંત્ર સિદ્ધ કહેવાય. એક પણ મંત્ર સિદ્ધ કર્યો હોય તો પણ મંત્ર સિદ્ધ