Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 263
________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ આ રીતે પચ્ચક્ખાણના સર્વભેદો સહિત સામાયિક કરવું જોઈએ. ૦ પચ્ચક્ખાણનું સ્વરૂપ જાણ્યા પછી હવે, ત્રણ કાળની અપેક્ષાએ ત્રણ વિભાગોમાં તે પાપ વ્યાપારની વિચારણા કરાઈ છે. ૨૬૨ ૦ તસ ભંતે ! પડિક્કમામિ નિંદામ ગરિહામિ – ૦ તસ્ય - તેનું, તે સાવદ્ય યોગનું, અહીં તસ્ય શબ્દનો જે પ્રયોગ કર્યો છે, તે શબ્દ ઉપર જણાવેલા ‘સાવદ્યયોગ’નો સંબંધ જણાવે છે. તસ્ય શબ્દથી ભૂતકાલીન સાવદ્યયોગની અનુમતિનો નિષેધ કર્યો. ૦ ભંતે ! હે ભગવન્ ! આ શબ્દની વ્યાખ્યા રેમિ પછી આપતા મંતે ! શબ્દ વખતે કરાયેલ જ છે. મંતે ! શબ્દનું ઉચ્ચારણ પહેલા થયું છે તો પછી ફરી કેમ કર્યું ? - મંતે શબ્દનું પુનરુચ્ચારણ ગુરુ પ્રત્યેનો પોતાની ભક્તિનો અતિશય બતાવવા, અથવા તો પ્રત્યર્પણ એટલે કે સામાયિકરૂપ કાર્ય મેં આપની કૃપાથી કર્યું છે, તેનો યશ આપને ઘટે છે, વગેરે કૃતજ્ઞપણું જણાવવા માટે ગુરુને પુનઃ આમંત્રણ કરેલ છે. વિશેષાવશ્યક ભાષ્યની ગાથા ૩૫૭૧માં તે બાબતે જણાવે છે કે– (અથવા) આ ‘ભંતે' શબ્દ સામાયિકના પ્રત્યર્પણનો પણ વાચક છે એમ સમજવું તેથી એમ કહેવામાં આવ્યું કે, “સર્વ ક્રિયાને અંતે પ્રત્યર્પણ કરવું જોઈએ. (પ્રત્યર્પણ (નિવેદન) એ વિનયરૂપ પ્રવૃત્તિ છે. જે કૃતજ્ઞતા પ્રગટ કરવા કરાય છે.) વળી આદિમાં મંતે શબ્દનું ઉચ્ચારણ સૂત્રના અંતપર્યન્ત તેની અનુવૃત્તિને માટે જ છે. અહીં મંતે ! શબ્દનું પુનઃ ઉચ્ચારણ તેના અનુસ્મરણ માટે જ છે અથવા સામાયિકની વિશુદ્ધિ માટે સામાયિકના અતિચારોની નિવર્તનાદિરૂપ પઽિમામિ આદિ માટે પણ મંતે શબ્દથી ગુરુની આજ્ઞા લેવામાં આવી છે. ૦ પશ્ચિમામિ - પ્રતિક્રમણ કરું છું, પાછો ફરું છું, નિવર્તુ છું. આ શબ્દની વ્યાખ્યા સૂત્ર-૫ ઇરિયાવહીમાં થઈ ગયેલ છે. અહીં મિનિ “ભૂતકાલીન સાવદ્યયોગથી હું નિવર્ત છું." એ પ્રમાણે અર્થ સમજવો. ૦ નિર્ઘામ - હું નિંદા કરું છું. મનથી તેને ખોટું માનું છું. નિંદા શબ્દ નિત્ ક્રિયાપદ પરથી બનેલ છે. તેનો અર્થ આત્માની નિંદા કરવી, ઠપકો દેવો, વખોડવું, ખોટું ગણવું ઇત્યાદિ અર્થો જાણવા સામાન્યથી નિંદા શબ્દ પશ્ચાત્તાપના અર્થમાં વપરાય છે. તેને માટે આવશ્યક નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે, “પોતાના ચરિત્રનો પશ્ચાત્તાપ તે નિંદ.' અર્થાત્ જેઓ પોતાના કોઈ ખોટા કાર્ય કે ભૂલને અંતરથી ખોટું માની તેના માટે ખેદ કરે છે, ફરી તે ન કરવાની બુદ્ધિ ધારણ કરે છે, તે જ સાચી નિંદા કરે છે. મારા આત્માની સાક્ષીએ (મેં સેવેલ સાવદ્ય યોગની-અશુભ निंदा પ્રવૃત્તિઓની) નિંદા-જુગુપ્સા કરું છું. શબ્દથી - - ૦ રિામિ - ગર્હા કરું છું, ગુરુ સાક્ષીએ નિંદા કરું છું. ગર્હા શબ્દ દ્ - ‘નિંદા કરવી, વખોડવું' ક્રિયાપદ પરથી બનેલો છે. અહીં તે

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321