________________
૨૭૧
સામાઇય-વયજુરો સૂત્ર
સૂત્ર-૧૦ ન સામાઇય-વયજુરો સૂત્ર
(સામાયિક પારવાનું સૂત્ર )
(૨)
સૂત્ર-વિષય :- આ સૂત્રથી સામાયિક પરાય છે. આ સૂત્ર જણાવે છે કે, જેટલી વાર સામાયિક કરે તેટલી વાર અશુભ કર્મોનો નાશ કરે છે. તેમજ શ્રાવક સાધુના જેવો થાય છે. માટે વારંવાર સામાયિક કરવી. સૂત્રને અંતે ગુજરાતી પાઠ દ્વારા સામાયિકમાં લાગતા બત્રીશ દોષ કહ્યા છે.
સૂત્ર-મૂળ :સામાઇયવય-જુનો, જાવ મણે હોઈ નિયમ-સંજુરો; છિન્નઇ અસુહં કમ્મ, સામાઇય જરિયા વારા
(૧) સામાઇઅંમિ ઉ કએ, સમણો ઇવ સાવઓ હવઇ જષ્ઠા; એએણ કારણેણં, બહુસો સામાઇએ કુજા
સામાયિક વિધિએ લીધું, વિધિએ પાર્ક, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિકડું.
દશ મનના, દશ વચનના, બાર કાયાના એ બત્રીશ દોષમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
સૂત્ર-અર્થ :
સામાયિક વ્રતધારી જ્યાં સુધી અને જેટલી વાર મનમાં નિયમ રાખીને સામાયિક કરે છે, ત્યાં સુધી અને તેટલી વાર તે અશુભ કર્મનો નાશ કરે છે. -૧
(વળી) સામાયિક જ કરતો (કર્યો છ0) શ્રાવક સાધુ જેવો થાય છે. એ કારણથી વારંવાર સામાયિક કરવું જોઈએ. -૨
આ સામાયિક મેં વિધિપૂર્વક ગ્રહણ કર્યું અને વિધિપૂર્વક પૂર્ણ કર્યું છે. આ બંને ક્રિયામાં જો કોઈપણ અવિધિ કે ભૂલ થઈ ગઈ હોય તો તે સંબંધી મારું તે સર્વ પ્રકારનું પાપ નિષ્ફળ થાઓ.
વળી આ સામાયિકની સાધના દરમિયાન મનના દશ, વચનના દશ અને કાયાના બાર એમ કુલ બત્રીશ દોષોમાંથી જો કોઈ દોષનું સેવન થઈ ગયું હોય તો તે સંબંધી પાપ મન, વચન, કાયા દ્વારા સર્વ પ્રકારે મિથ્યા થાઓ.
શબ્દ-જ્ઞાન :સામાડય - સામાયિક
વયજુરો - વ્રત સહિત, વ્રતયુક્ત જાવ - જ્યાં સુધી
મણે હોઈ - મન હોય