Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 264
________________ કરેમિ ભંતે સૂત્ર-વિવેચન ૨૬૩ ગુરુ (કે અન્ય) સમક્ષ પોતાના દોષોની કબૂલાત કરવાના અર્થમાં વપરાયેલો છે. (આવશ્યક નિર્યુક્તિમાં તે માટે કહ્યું છે કે−) ‘ગર્હ સ્પષ્ટ રીતે નિંદાની જાતિની જ છે. પણ તેનો વ્યવહાર પોતાના દોષો બીજા સમક્ષ પ્રગટ કરવાના અર્થમાં થાય છે, અહીં ‘પર' શબ્દ થકી મુખ્યતાએ ‘ગુરુ સમક્ષ' એમ સમજવું. -૦- આ રીતે ભૂતકાલીન પાપને અંગે (સાવદ્ય યોગ કે અશુભપ્રવૃત્તિના સેવનને અંગે) ‘પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ' શબ્દોનો પ્રયોગ થયેલ છે. તેની સાથેનું સંકડાયેલું મહત્ત્વનું પદ છે ‘અપ્પાણે વોસિરામિ’ ભૂતકાળમાં પાપ વ્યાપાર કરનારા તે મારા આત્માને (પાપી પર્યાયને) સર્વથા (વિશેષ પ્રકારે) તજુ છું. ૦ અપ્પાળ - (આત્માનમ્) - અતીતના સાવદ્યયોગકારી આત્માને - ૦ વોસિરામિ - (વ્યુસૃજામિ) - વિ + ત્ + સૃન્ નું પહેલાં પુરુષ એકવચનનું રૂપ છે. વિ શબ્દ વિવિધ અર્થમાં કે વિશેષ અર્થમાં વપરાયેલ છે. ત્ શબ્દ અત્યંત અર્થમાં છે. સુમિ અર્થાત્ ત્યજુ છું એટલે કે અતીતકાલીન સાવદ્યયોગ (અશુભ પ્રવૃત્તિ) યુક્ત આત્માને હું વિવિધ પ્રકારે અથવા વિશેષ પ્રકારે અત્યંતપણે ત્યજુ છું. ૦ તસ ભંતે ! પછી જે શબ્દો મૂકાયા તેનાથી ગૃહીત પ્રાયશ્ચિત્તુ - અહીં અતીત સંબંધી સાવદ્યયોગના પ્રાયશ્ચિત્તનો સંક્ષેપથી સંગ્રહ કરવા માટે પશ્ચિમામિ આદિ શબ્દો મૂકાયા છે. પ્રાયશ્ચિત્તના આલોચના આદિ ભેદો છે, જે સૂત્ર૬ ‘તસ્સ ઉત્તરી૦'માં જણાવી દીધેલા છે. અહીં પડિક્કમામિ, નિંદામ અને ગર્દામિ શબ્દના ગ્રહણથી આલોચના અને પ્રતિક્રમણ ઉભય પ્રાયશ્ચિત્તનું ગ્રહણ કર્યું છે અને ‘વ્યુત્કૃજામિ' શબ્દથી ‘વિવેકથી છેદ' પર્યન્તના ચાર પ્રાયશ્ચિત્તનું ગ્રહણ કર્યું છે. બાકીના મૂળ-આદિ ત્રણ પ્રાયશ્ચિત્ત ચારિત્રથી ઉત્તીર્ણ જીવોને હોય છે. તેથી અહીં સંભવતા નથી. કેમકે અહીં સામાયિકમાં ચારિત્રપ્રતિપત્ર જીવોનો અધિકાર છે. ૦ આત્માને વોસિરાવું છું કહ્યું – તે કયો આત્મા જાણવો જેને માટે વ્યુતૃમિ શબ્દ વપરાયો તે અલ્પાળું નો અર્થ કષાય પરિણત આત્મા એવો ગ્રહણ કરાય છે. કેમકે ભગવતીજી સૂત્ર-૫૬૦માં આત્માના આઠ પ્રકારો છે— (૧) દ્રવ્યાત્મા :- ત્રણે કાળવર્તી એવો આત્મા ‘દ્રવ્યાત્મા' કહેવાય છે. આવો આત્મા સર્વે જીવોનો હોય છે. (૨) કષાયાત્મા :- ક્રોધ આદિ કષાયયુક્ત આત્માને કષાયાત્મા કહેવાય છે. તે સકષાયી જીવોને હોય છે - પણ ઉપશાંતકષાય અને ક્ષીણકષાયને હોતો નથી. (૩) યોગાત્મા :- મન, વચન, કાયાના યોગવાળો - વ્યાપારવાળો આત્મા યોગાત્મા કહેવાય છે. તે સિદ્ધના જીવોને હોતો નથી. (૪) ઉપયોગાત્મા :- ઉપયોગવાળો આત્મા તે ઉપયોગાત્મા કહેવાય છે. તે સિદ્ધ અને સંસારી બધા જીવોને હોય છે. (૫) જ્ઞાનાત્મા :- સભ્યજ્ઞાનરૂપ સ્પષ્ટ બોધવાળો આત્મા ‘જ્ઞાનાત્મા' કહેવાય છે. તે સર્વ સમ્યક્ દૃષ્ટિ જીવોને હોય છે. (૬) દર્શનાત્મા :- સામાન્ય અવબોધરૂપ દર્શનવાળો આત્મા ‘દર્શનાત્મા’ કહેવાય

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321