SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ કરેમિ ભંતે સૂત્ર-વિવેચન ૨૬૩ ગુરુ (કે અન્ય) સમક્ષ પોતાના દોષોની કબૂલાત કરવાના અર્થમાં વપરાયેલો છે. (આવશ્યક નિર્યુક્તિમાં તે માટે કહ્યું છે કે−) ‘ગર્હ સ્પષ્ટ રીતે નિંદાની જાતિની જ છે. પણ તેનો વ્યવહાર પોતાના દોષો બીજા સમક્ષ પ્રગટ કરવાના અર્થમાં થાય છે, અહીં ‘પર' શબ્દ થકી મુખ્યતાએ ‘ગુરુ સમક્ષ' એમ સમજવું. -૦- આ રીતે ભૂતકાલીન પાપને અંગે (સાવદ્ય યોગ કે અશુભપ્રવૃત્તિના સેવનને અંગે) ‘પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ' શબ્દોનો પ્રયોગ થયેલ છે. તેની સાથેનું સંકડાયેલું મહત્ત્વનું પદ છે ‘અપ્પાણે વોસિરામિ’ ભૂતકાળમાં પાપ વ્યાપાર કરનારા તે મારા આત્માને (પાપી પર્યાયને) સર્વથા (વિશેષ પ્રકારે) તજુ છું. ૦ અપ્પાળ - (આત્માનમ્) - અતીતના સાવદ્યયોગકારી આત્માને - ૦ વોસિરામિ - (વ્યુસૃજામિ) - વિ + ત્ + સૃન્ નું પહેલાં પુરુષ એકવચનનું રૂપ છે. વિ શબ્દ વિવિધ અર્થમાં કે વિશેષ અર્થમાં વપરાયેલ છે. ત્ શબ્દ અત્યંત અર્થમાં છે. સુમિ અર્થાત્ ત્યજુ છું એટલે કે અતીતકાલીન સાવદ્યયોગ (અશુભ પ્રવૃત્તિ) યુક્ત આત્માને હું વિવિધ પ્રકારે અથવા વિશેષ પ્રકારે અત્યંતપણે ત્યજુ છું. ૦ તસ ભંતે ! પછી જે શબ્દો મૂકાયા તેનાથી ગૃહીત પ્રાયશ્ચિત્તુ - અહીં અતીત સંબંધી સાવદ્યયોગના પ્રાયશ્ચિત્તનો સંક્ષેપથી સંગ્રહ કરવા માટે પશ્ચિમામિ આદિ શબ્દો મૂકાયા છે. પ્રાયશ્ચિત્તના આલોચના આદિ ભેદો છે, જે સૂત્ર૬ ‘તસ્સ ઉત્તરી૦'માં જણાવી દીધેલા છે. અહીં પડિક્કમામિ, નિંદામ અને ગર્દામિ શબ્દના ગ્રહણથી આલોચના અને પ્રતિક્રમણ ઉભય પ્રાયશ્ચિત્તનું ગ્રહણ કર્યું છે અને ‘વ્યુત્કૃજામિ' શબ્દથી ‘વિવેકથી છેદ' પર્યન્તના ચાર પ્રાયશ્ચિત્તનું ગ્રહણ કર્યું છે. બાકીના મૂળ-આદિ ત્રણ પ્રાયશ્ચિત્ત ચારિત્રથી ઉત્તીર્ણ જીવોને હોય છે. તેથી અહીં સંભવતા નથી. કેમકે અહીં સામાયિકમાં ચારિત્રપ્રતિપત્ર જીવોનો અધિકાર છે. ૦ આત્માને વોસિરાવું છું કહ્યું – તે કયો આત્મા જાણવો જેને માટે વ્યુતૃમિ શબ્દ વપરાયો તે અલ્પાળું નો અર્થ કષાય પરિણત આત્મા એવો ગ્રહણ કરાય છે. કેમકે ભગવતીજી સૂત્ર-૫૬૦માં આત્માના આઠ પ્રકારો છે— (૧) દ્રવ્યાત્મા :- ત્રણે કાળવર્તી એવો આત્મા ‘દ્રવ્યાત્મા' કહેવાય છે. આવો આત્મા સર્વે જીવોનો હોય છે. (૨) કષાયાત્મા :- ક્રોધ આદિ કષાયયુક્ત આત્માને કષાયાત્મા કહેવાય છે. તે સકષાયી જીવોને હોય છે - પણ ઉપશાંતકષાય અને ક્ષીણકષાયને હોતો નથી. (૩) યોગાત્મા :- મન, વચન, કાયાના યોગવાળો - વ્યાપારવાળો આત્મા યોગાત્મા કહેવાય છે. તે સિદ્ધના જીવોને હોતો નથી. (૪) ઉપયોગાત્મા :- ઉપયોગવાળો આત્મા તે ઉપયોગાત્મા કહેવાય છે. તે સિદ્ધ અને સંસારી બધા જીવોને હોય છે. (૫) જ્ઞાનાત્મા :- સભ્યજ્ઞાનરૂપ સ્પષ્ટ બોધવાળો આત્મા ‘જ્ઞાનાત્મા' કહેવાય છે. તે સર્વ સમ્યક્ દૃષ્ટિ જીવોને હોય છે. (૬) દર્શનાત્મા :- સામાન્ય અવબોધરૂપ દર્શનવાળો આત્મા ‘દર્શનાત્મા’ કહેવાય
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy