________________
૨૬૪
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ છે. તે સર્વ જીવોને હોય છે.
(૭) ચારિત્રાત્મા :- હિંસાદિ દોષની નિવૃત્તિરૂપ ચારિત્રવાળો આત્મા તે ચારિત્રાત્મા કહેવાય છે. તે વિરતિવાળાને હોય છે.
(૮) વીર્યાત્મા :- વીર્યવાળો આત્મા “વીર્યાત્મા' કહેવાય છે. તે કરણવીર્યવાળા સંસારી જીવોને હોય છે. કરણવીર્ય એટલે ક્રિયા કરતું વીર્ય તેમાં સત્તારૂપ કે લબ્ધિરૂપ વીર્યનો સમાવેશ થતો નથી.
આ રીતે ભગવતીજી સૂત્રમાં આત્માને આઠ પ્રકારે વિવક્ષિત કર્યો છે. તેમાંથી પપ્પાઇi વસિમ શબ્દોની વિચારણા કરતી વખતે “કષાયાત્માનો ત્યાગ કરવાનો છે. કારણ કે તે સંસારવૃદ્ધિના કારણરૂપ છે. આધ્યાત્મિક પ્રગતિમાં બાધક છે. સામાન્ય ભાષામાં કહીએ તો આત્માની જે સ્થિતિમાં કષાયો ઉદ્દભવે છે, તે સ્થિતિ સાવદ્યયોગવાળી છે તેથી ત્યાજ્ય છે.
૦ ૩ષાળું વોસિરામિ – પદોની વિચારણા સૂત્ર-૭ અન્નત્થામાં પણ કરાયેલ છે. તે ત્યાંથી ખાસ જોવી.
-૦- આ રીતે અતીત કાળમાં સાવદ્ય યોગમાં પ્રવર્તનાર આત્માને વોસિરાવ્યો અર્થાત્ ત્યાગ કર્યો. ત્યારે પ્રશ્ન એ થાય કે – આરંભમાં રેમિ ભંતે આદિ પદોથી પ્રતિજ્ઞા કરી, પછી સાવદ્ય યોગનું સ્વરૂપ વિચાર્યું પછી ચાર પદો પડઘમ આદિ દ્વારા ભૂતકાળના સાવદ્યયોગ અર્થાત્ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કર્યો, તો વર્તમાન અને ભાવિકાળ સંબંધી સાવદ્ય યોગનું શું ?
આ પ્રશ્નનું સમાધાન આવશ્યક નિર્યુક્તિ-૧૦૪૬માં આપેલ છે. તે આ પ્રમાણે - જ્યારે સાફાં મિ. એમ બોલે છે, ત્યારે વર્તમાન સંબંધી સાવદ્ય યોગનો ત્યાગ થાય છે. જ્યારે વિશ્વામિ શબ્દનું ઉચ્ચારણ કરે છે, ત્યારે અનાગત-ભવિષ્યકાલીન સાવદ્ય યોગનો ત્યાગ થાય છે અને પરિશ્રમ આદિ શબ્દોથી અતીત-ભૂતકાળ સંબંધી સાવદ્ય યોગનો ત્યાગ થાય છે.
આ રીતે મદ્ય નિમિ, પડ્ડપ્પન સંવનિ, ૩ULYN પ્રસ્થામિ એ ત્રણે પદો નિંદા, સંવર, પ્રત્યાખ્યાન થકી સાર્થક થાય છે.
૦ વરમ – ક્રિયા દ્રવ્યથી કે ભાવથી ?
સામાયિક કરવો બેઠેલો શ્રાવક સાવદ્યયોગનો ત્રણે કાળને આશ્રીને ત્યાગ કરે છે. પણ આ વોસિરમ - ત્યાગ કરવાની ક્રિયા દ્રવ્યથી પણ હોય છે અને ભાવથી પણ હોય છે. જેમકે સામાયિક દરમિયાન બાહ્ય સ્વરૂપે તેણે વચનથી અને કાયાથી તો સાવદ્ય યોગ છોડેલો જ હોય તેથી તેને વ્યુત્સર્ગ તો કહેવાય. પણ દ્રવ્ય વ્યુત્સર્ગનો શાસ્ત્રીય અર્થ બે રીતે કર્યો છે. (૧) ગણ, ઉપધિ, શરીર, અન્ન-પાનાદિનો ત્યાગ તે દ્રવ્ય વ્યુત્સર્ગ ત્યાગ છે. (૨) આર્તધ્યાન આદિ પૂર્વકનો કાયોત્સર્ગ પણ દ્રવ્યત્યાગ જ કહ્યો છે. જ્યારે ભાવ વ્યુત્સર્ગ-ત્યાગ પણ બે પ્રકારે છે – (૧) અજ્ઞાન આદિનો જે પરિત્યાગ તે અથવા (૨) ધર્મ-શુક્લ ધ્યાનથી યુક્ત હોવું તે.
આ બંને વિષયમાં નિર્યુક્તિકાર પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત આપે છે -