________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
૨૬૫ ક્ષિતિપ્રતિક્તિ નગરે પ્રસન્નચંદ્ર રાજા હતો ત્યાં ભગવંત મહાવીર સમોસર્યા તે રાજા ધર્મ સાંભળીને સંવેગ જન્મતા પ્રવ્રજિત થયો. દીક્ષા લીધા પછી કાળક્રમે ગીતાર્થ થયા કોઈ વખતે જિનકલ્પ સ્વીકારવાની ઇચ્છાથી સમ્યક્ ભાવના પૂર્વક પોતાના આત્માને ભાવિત કરી રહ્યા હતા. તે કાળે રાજગૃહી નગરના શમશાનમાં પ્રતિમા સ્વીકારી રહેલા ભગવંત મહાવીર પણ ત્યાં સમોસર્યા લોકો વંદનાર્થે નીકળ્યા. તે વખતે બે વણિકો ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી ત્યાં આવેલા. એકે પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોઈને તેમની પ્રશંસા કરી - સ્તુતિ કરી, બીજા વણિકે નિંદા કરતા કહ્યું કે, આમની શું પ્રશંસા કરે ? તેનો પુત્ર રાજ્ય સંભાળવા અસમર્થ છે અને નિફ્ટના સામેતાદિથી પરાભવ પામવાનો છે.
આ સાંભળીને પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનમાં કોપ ઉત્પન્ન થયો. તે માનસ સંગ્રામથી રોદ્ર ધ્યાનમાં પ્રવૃત્ત થયા(મનથી સાવદ્ય યોગનું સેવન ચાલુ થયું. મનોમન લડાઈ લડી રહ્યા હતા. તેમના બધાં જ શસ્ત્ર આદિ ખલાસ થઈ ગયા મસ્તક પરનો મુગટ ફેંકીને પ્રહાર કરવા વિચાર્યું પણ મસ્તકે હાથ જતાં ત્યાં તો લોચ કરાયેલ કેશવિહિન મસ્તક જોયું તુરંત જ ધ્યાનની ધારા પલટાણી પરિણામો વિશુદ્ધ થવા લાગ્યા. આત્માની નિંદા કરતા સમાધિ પ્રાપ્ત થઈ. પુનઃ શુક્લધ્યાનમાં લીન બન્યા. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું દેવોએ વાંદુભિનો નાદ કર્યો અને પ્રસન્નચંદ્ર રાજર્ષિનો કેવલજ્ઞાન મહિમા કર્યો
આ રીતે દ્રવ્ય અને ભાવ બંને વ્યુત્સર્ગ-ત્યાગમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિના દૃષ્ટાંતને નોંધ્યું છે. ફર્ક એટલો કે દ્રવ્ય ત્યાગની સ્થિતિ તેમને સાતમી નરક આપનાર હતી. ભાવ ત્યાગથી તેઓ કેવળજ્ઞાની બની ગયા, માટે વશિમિ ની ક્રિયા ભાવપૂર્વક જ થવી જોઈએ.
૦ કરેમિ ભંતે. સૂત્ર થકી બધી જ વિવેચના જાણ્યા પછી પ્રશ્ન એ થાય છે કે – તેનું સમગ્ર સ્વરૂપ નકારત્મક છે. તેમાં શું ન કરવું? તેની વિશદ્ સમજ છે. જેમકે સાવદ્ય યોગનું સેવન ન કરવું. તો કરવું શું ?
– પ્રશ્ન બરાબર છે. ઘણાંને આવો સંશય રહે છે કે, સાવદ્ય યોગ ન સેવવો તે બરાબર પણ સામાયિક દરમ્યાન કરવાનું શું ?
આ પ્રશ્નના ત્રણ ઉત્તરો આપી શકાય. (૧) હું સામાયિક કરું છું – “સમભાવની સાધના કરવી.' તે પ્રતિજ્ઞા છે. (૨) સાવદ્ય યોગનું સેવન ન કરો, પણ નિરવદ્ય યોગનું સેવન કરો. (૩) સ્વાધ્યાયમાં લીન બનો. આ ત્રણેને સ્પષ્ટ કરીએ તો
(૧) રેમિ ફામાાં થી સૂત્રનો આરંભ થયો છે. તે હકારાત્મક વાક્ય જ છે. આ સંકલ્પ અનુસાર સામાયિક કરવી અર્થાત્ વિષમભાવનો ત્યાગ કરી “સમભાવ'માં આવવા પ્રયત્ન કરવો.
(૨) સાવદ્ય અર્થાત્ પાપ પ્રવૃત્તિ છોડીને શુભ પ્રવૃત્તિ કરવી. બીજા શબ્દોમાં કહીએ તો અપ્રશસ્ત પ્રવૃત્તિ છોડીને પ્રશસ્ત પ્રવૃત્તિ કરવી.
-૦- મનની પ્રશસ્ત પ્રવૃત્તિના કેટલાક સૂચનો - અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિવ, આશ્રવ, સંવર, નિર્જરા, લોકસ્વરૂપ, બોધિદુર્લભ