________________
નવકાર મંત્ર-સાધુ
૧૦૫
નવકારમંત્ર નહીં પણ પંચ પરમેષ્ઠીનું માહાભ્ય જણાવે છે. નવકાર મંત્ર તો ૬૮ અક્ષરનો, નવ પદનો અને આઠ સંપદાનો જ છે. ‘શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રની રત્નશેખરસૂરીશ્વરજી રચિત અર્થદીપિકા ટીકામાં નવકાર મંત્રના વિવેચનમાં સાક્ષી પાઠમાં જણાવે છે કે – “વUTSાટ્ટિનવયવ અર્થાત્ નવપદયુક્ત શ્રી નવકાર મંત્રના અડસઠ વર્ણ અને આઠ સંપદા છે. તેમાં પ્રથમના સાતપદ પ્રમાણ સાત સંપદા છે અને છેલ્લા બે પદ પ્રમાણની સત્તર વર્ણની એક સંપદા છે. એ પ્રમાણે કુલ આઠ સંપદા છે. નવકાર મંત્રના પાંચ પદોના પાત્રીસ વર્ણ અને તે પાંચ પદો ઉપરની ચાર પદોવાળી ચૂલિકાના તેત્રીશ વર્ણ મળીને સ્પષ્ટ એવા અડસઠ વર્ષે આ નવકાર મંત્ર સમાપ્ત થાય છે. આ જ વાત પ્રવચન સારોદ્વાર શ્લોક છ૯માં પણ લખી છે.
શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર-વૃત્તિ (અનુવાદ)માં જણાવે છે કે – નવકાર મંત્ર કોઈ શ્લોકબદ્ધ કે છંદબદ્ધ નથી જ. છતાં કોઈ છેલ્લા ચાર પદ રૂપ ચૂલિકાને સિલોગો કે પ્રાચીન અનુરુપ રૂપે ઓળખાવે છે. સત્ય શું ? તે બહુશ્રુતો જાણે.
હવે નવકાર મંત્રના આ ચૂલિકારૂપ ચાર પદની વિવેચના કરીએ છીએ– • એસો પંચ નમુક્કારો :- આ પાંચ(ને કરવામાં આવેલો) નમસ્કાર...
-૦- એસો :- આ. આ એટલે ઉપર વર્ણવેલા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ.
-૦- પંચ - પાંચ. આ સંખ્યાવાસી શબ્દ છે તે ઉક્ત અરિહંતાદિ પંચ પરમેષ્ઠીને સૂચવવા માટેનો અંક છે.
-૦- નમુક્કારો :- નમસ્કાર. “નમો શબ્દથી કહેવાયેલ વાતને દૃઢ કરે છે.
-૦- આખા પદનો સમુદિત અર્થ :- આ પાંચ નમસ્કાર અર્થાત્ આ પાંચને કરવામાં આવેલો નમસ્કાર. આ પદનો સંબંધ પછીના ત્રણે પદો સાથે જોડાયેલો છે. કેમકે ધ્વ પાવપ્પUIો - સર્વ પાપનો નાશ કરે છે, પણ નાશ થાય કઈ રીતે ? - આ પંચ પરમેષ્ઠીને કરાયેલા (ભાવ) નમસ્કારથી. એ જ રીતે છેલ્લા બે પદમાં કહ્યું કે, સર્વે મંગલોમાં આ પ્રથમ (ઉત્કૃષ્ટ) મંગલ છે. પણ પ્રથમ મંગલ શું છે ? - આ પાંચને કરાયેલ નમસ્કાર.
અહીં gg: પડ્યું - “એસો પંચ” એમ કરીને એકવચન વાપરેલ છે, તે એકવચન હેતપૂર્વકનું છે. તેનું રહસ્ય એ છે કે પાંચને સામુદાયિક નમસ્કાર જેમાં કરવામાં આવ્યો છે એવો “નમસ્કારરૂપી શ્રુતસ્કંધ” (સર્વ પાપનો નાશ કરનાર છે) એક પણ પદને ગૌણ કરો, પાંચમાંના એક પણ પરમેષ્ઠીની અવમાનના કે અવગણના કરો, તો આ નમસ્કાર કલ્યાણકારી થશે નહીં એ રીતે વચનભેદથી (એકવચનથી) ગર્ભિત સૂચન કરે છે.
પ્રશ્ન :- આવશ્યક નિર્યુક્તિ આદિમાં જણાવેલ છે કે – સિદ્ધ અને સાધુ એ માત્ર બે પદથી પણ દેવ અને ગુરુને નમસ્કાર થઈ જ જવાનો છે. તો પછી બે પદનો સંક્ષેપ નમસ્કાર કેમ ન કર્યો ?
-૦- ટીકાકાર મહર્ષિ તેનું સમાધાન આપે છે કે, જેમ માણસ માત્રને નમસ્કાર કરવાથી રાજા વગેરેના નમસ્કારનું ફળ મળતું નથી. તેમ સાધુ માત્રને નમસ્કાર કરવાથી