________________
૨૩૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ • કિત્તિય-વંદિય-મહિયા :- સ્તવાયેલા, વંદાયેલા, પૂજાયેલા.
૦ િિત્ત :- કીર્તન કરાયેલા, તવાયેલા, પોતાના નામોથી કહેવાયેલા, નામોથી ઉચ્ચારણ કરાયેલા, નામપૂર્વક સ્તરાયેલ.
૦ વંઢિય કે વંદ્રિક :- વંદન કરાયેલા, મન, વચન, કાયાના યોગ વડે સારી રીતે સ્તુતિ કરાયેલા, મસ્તક નમાવવા વડે વંદાયેલા, વાણી અને મન વડે ખવાયેલા, કાયા, વાણી, મન વડે સ્તવાયેલા, નમસ્કાર કરાયેલા
૦ મહિલા કે મહિયા :- પૂજાયેલા, પુષ્પ આદિથી પૂજાયેલા, મારા વડે.
– અહીં મહિમા અને મહિયા શબ્દનો પાયાનો તફાવત છે. આવશ્યક સૂત્ર-૮ની વૃત્તિમાં મહત્ત્વની નોંધ છે – મહિ શબ્દનું સંસ્કૃત રૂપાંતર કર્યા છે, તેનો અર્થ “મારા વડે' થાય છે. તેનું પાઠાંતર ક્રિયા છે. મંદિયા નું સંસ્કૃત રૂપાંતર મહિતા: છે. તેનો અર્થ છે પુષ્પ આદિથી પૂજાયેલા. આ રીતે બંને પાઠોને માન્ય કરી, બંનેના ભિન્ન-ભિન્ન અને સ્વીકારે છે. પણ જુદા જુદા ગ્રંથો - જેવા કે, યોગશાસ્ત્ર, ચૈત્યવંદન મહાભાષ્ય, ધર્મસંગ્રહ, લલિત વિસ્તરા આદિમાં ક્યાંક મહિમા અને ક્યાંક મહિયા પાઠ માન્ય કરેલ છે. અર્થની દૃષ્ટિએ પણ ભિન્ન-ભિન્ન બંને અર્થો સ્વીકારાયેલા છે.
મહિમા શબ્દના મહિયા, મા, મા એવા પાઠાંતરો જોવા મળે છે. પ્રચલિત અને પ્રસિદ્ધ પાઠ મહિયાં જોવા મળે છે. જ્યારે આવશ્યક સૂત્ર નામના આગમમાં મહિમાં શબ્દ માન્ય થયેલ છે. તેનો અર્થ પણ મા-મારા વડે જ માન્ય થયો છે.
જ્યારે મહિયા અર્થાત્ મહિતા – “પુષ્પાદિ વડે પૂજાયેલા”નો ઉલ્લેખ પાઠાંતર સ્વરૂપે થયેલો છે. પણ આવશ્યક સૂત્રના વૃત્તિકાર એવા હરિભદ્રસૂરિજી મહારાજ પોતે લલિત વિસ્તરા ટીકામાં તો મહિયા - “પુષ્પાદિથી પૂજાયેલા' અર્થને જ દેખાડે છે. સત્ય શું તે બહુશ્રુતો જાણે. અમે તો બંને પરંપરાનો નિર્દેશ કરી દીધેલ છે.
૦ પરંપરા-૧ મુજબ - “મારા વડે સ્તવાયેલા અને વંદાયેલા” અર્થ થશે. ૦ પરંપરા-૨ મુજબ – “સ્તવાયેલા, વંદાયેલા, પૂજાયેલા” અર્થ થશે. • જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા :- જે આ લોકમાં ઉત્તમ સિદ્ધ થયેલા.
ને ! - જે આ - ‘કિત્તિય, વંદિય, મડિયા પદ મૂક્યા પછી પ્રશ્ન એ છે કે આ શબ્દો કોના માટે કહેવાયા છે ? ને ! જે આ હવે પછી કહેવાનાર વિશેષણોથી વિશિષ્ટ છે તે. કે “જે આ પ્રત્યક્ષ છે તે.'
૦ નોર્સ :- લોકના, લોકને વિશે.
– આ શબ્દનું પહેલી ગાથામાં વિવેચન થઈ ગયેલ છે. છતાં ફર્ક એ છે કે, આવશ્યક સૂત્ર-૮ની વૃત્તિમાં અહીં લોકનો અર્થ ‘પ્રાણીલોક' કર્યો છે. જ્યારે ચૈત્યવંદન મહાભાષ્યમાં “સુર-અસુર આરૂિપ લોક એવો અર્થ કર્યો છે. બીજા અનેક ગ્રંથોમાં લોકનો અર્થ “પ્રાણીવર્ગ' કર્યો છે.
૦ ઉત્તમ - ઉત્તમ, પ્રકૃષ્ટ, શ્રેષ્ઠ, પ્રધાન. – આ પદ પ્રથમાં બહુવચનમાં છે, તે સિદ્ધ પદનું વિશેષણ છે. – આવશ્યક નિર્યુક્તિ ૧૦૯૩માં ઉત્તમ શબ્દનો અર્થ કરતા કહ્યું કે, મિથ્યાત્વ