________________
૧૧૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
કરવા માટે મહત્ત્વનો શબ્દ ‘‘મંગન’’ છે. તે સિવાય સવ્વસિં - નો સર્વ શબ્દ, પદ્યમં અને વરૂ શબ્દોના અર્થો જોવાના છે.
-૦- મંગલ :
જે સર્વ પ્રાણીઓના હિતને માટે પ્રવર્તે તે મંગલ. અથવા જેના દ્વારા દુર્ભાગ્ય દૂર ચાલ્યુ જાય તે મંગલ કહેવાય છે. વિશેષાવશ્યક ભાષ્યમાં મંગળ નામના દ્વારમાં ખૂબ જ વિસ્તારથી મંગલ શબ્દની ચર્ચા કરવામાં આવેલ છે. તેમાંથી અહીં મંગલ શબ્દના વિવિધ અર્થો રજૂ કરેલ છે.
-
- પ્રાપ્તિ અર્થમાં મંTM ધાતુ લેતા, જેના વડે હિત સધાય છે તે મંગલ. મંગ એટલે ધર્મ અને લા એટલે લાવવું. જે ધર્મને લાવે તે મંગલ મને જે સંસારથી/ભવથી દૂર કરે તે મંગળ
-
-
મંજન શબ્દ સિદ્ધ થાય છે. તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે—
―
M
-
-
-
-
મંગળ શબ્દ મળ્યું, મન્, મ, મુ‚ મ ્ ઇત્યાદિને ગત્ત પ્રત્યય જોડવાથી
―
(મતે) જેના વડે શાસ્ત્ર શોભાયમાન થાય તે મંગળ.
(મન્યતે) જેના વડે વિઘ્નના અભાવનો નિશ્ચય થાય તે મંગળ. (માન્તિ) જેથી હર્ષ થાય તે મંગળ.
(મોવન્તે) જેથી નિશ્ચિતપણે શાસ્ત્રનો પાર પમાય તે મંગળ.
(મદ્યન્તે) જેથી પૂજાય/પૂજાને પમાય તે મંગલ.
(માં માનતિ) મને જે સંસારથી છોડાવે તે મંગલ.
(મા માત:) જેથી શાસ્ત્રમાં કોઈ વિધ્ન ન થાય તે મંગળ. (માનિયનાત) સમ્યગ્દર્શનાદિ મોક્ષ માર્ગ પમાડનાર હોવાથી મંગળ.
આ મંગલ દ્રવ્યથી અને ભાવથી અથવા લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે છે. તેમાં દ્રવ્ય મંગલ એટલે બાહ્ય દૃષ્ટિએ મંગલરૂપ ગણાતા પદાર્થો જેમકે દહીં, દુર્વા, અક્ષત વગેરે. જ્યારે ભાવ મંગલ એટલે અંતર્દૃષ્ટિએ મંગલરૂપ ગણાતી વસ્તુઓ જેમકે – સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર
આ જ વસ્તુ લૌકિક અને લોકોત્તર દૃષ્ટિએ વિચારો તો લૌકિક મંગલમાં અષ્ટમંગલ ગણાવ્યા – (૧) સ્વસ્તિક, (૨) શ્રીવત્સ, (૩) નંદાવર્ત્ત, (૪) વર્ધમાનક – શરાવસંપુટ, (૫) ભદ્રાસન, (૬) કળશ, (૭) મત્સ્ય યુગલ અને (૮) દર્પણ જ્યારે લોકોત્તર મંગલ માટે વત્તરિ મંત્રં કહ્યું (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) સાધુ અને (૪) કેવલિ પ્રરૂપિત ધર્મ. આ ચારે વસ્તુનો સંક્ષેપ કરતા ધર્મને જ ઉત્કૃષ્ટ મંગલ કહ્યું – ધમ્મો માન મુäિ.
અહીં નવકાર મંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને પરમ મંગલરૂપ જણાવ્યા.
-
-
-૦- મંગલાણં ચ સવ્વેસિ :- અને સર્વ મંગલોમાં. અહીં સવ્વ શબ્દ વપરાયો તે એમ સૂચવે છે કે દ્રવ્યથી મંગલ હોય કે ભાવથી, લૌકિક હોય કે લોકોત્તર મંગલ. પણ સર્વે પ્રકારના મંગલોમાં જો કોઈ શ્રેષ્ઠ મંગલ હોય, પ્રથમ કે ઉત્કૃષ્ટ મંગલ હોય