________________
૯૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
૨૮ જોવું)
૮. કષાય નિગ્રહ :- ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોનો નિગ્રહ કરવો. (વિશેષ વર્ણન પંચિંદિય. સૂત્ર-૨માં જોવું).
-૦- કરણ સિત્તરી :- ઉપાધ્યાય મહારાજાનો પચીશમો ગુણ છે આ ગુણમાં પણ સીત્તેર બાબતોનો સમાવેશ થાય છે. ૧. પિંડવિશુદ્ધિ-ચાર, ૨. સમિતિ-પાંચ, ૩. ભાવના-બાર, ૪. પ્રતિમા-બાર, ૫. ઇન્દ્રિયનિરોધ-પાંચ, ૬. પડિલેહણ-પચ્ચીશ, ૭. ગુપ્તિ-ત્રણ, ૮. અભિગ્રહો-ચાર. એ પ્રમાણે – ૪ + ૫ + ૧૨ + ૧૨ + ૫ + ૨૫ + ૩ + ૪ = ૭૦ થાય
૧. પિંડ વિશુદ્ધિ ચાર :- આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિ એ ચારની શુદ્ધિ.
૨. પાંચ સમિતિ :- ઇર્ષા, ભાષા, એષણા, આદાનભંડમત્તનિક્ષેપણા અને પારિષ્ઠાપાનિકા એ પાંચ સમિતિનું પાલન કરવું. (પાંચ સમિતિની વધુ જાણકારી પંચિંદિય-સૂત્ર-૨માં આપેલી છે.)
૭. ત્રણ ગુતિ :- મનોગતિ, વચનગુતિ, કાયવુતિ એ ત્રણે ગુતિનું પાલન કરવું. (વિશેષ માહિતિ-જુઓ વંચિંદિય સૂત્ર-૨).
૩. બાર ભાવના :- અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આશ્રવ, સંવર, નિર્જર, લોક, બોધિ દુર્લભ અને સ્વાખ્યાત ધર્મ એ બારની ચિંતવના.
૪. ભિક્ષની બાર પ્રતિમા :- એક માસિકી, હિ માસિકી, ત્રણ માસિકી, ચાર માસિકી, પાંચ માસિકી, છ માસિકી, સાત માસિકી, પહેલી સાત અહોરાત્રની, બીજી સાત અહોરાત્રની, ત્રીજી સાત અહોરાત્રની એક ત્રણ અહોરાત્રની અને એક રાત્રિકી. એ બાર ભિક્ષુપ્રતિમાનું પાલન કરવું
૫. ઇન્દ્રિયનિરોધ પાંચ :- સ્પર્શના, રસના, ધ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં રાગદ્વેષ ન કરવો. (વિશેષ માહિતી માટે પંચિંદિય સૂત્ર-૨ જુઓ)
૬. પચ્ચીશ પડિલેહણા :- સાધુએ સવારે અગિયાર વસ્તુની અને ત્રીજા પ્રહરને અંતે ચૌદ વસ્તુની એ રીતે પચ્ચીશ ઉપકરણોની પડિલેહણા કરવાની હોય છે. (વર્તમાન કાળે પરંપરા થોડી જુદી છે, માટે નોંધેલ નથી.)
૮. અભિગ્રહો :- દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે ગૌચરી સંબંધી અભિગ્રહો જાણવા.
આ પ્રમાણે ઉપાધ્યાય મહારાજાના પચ્ચીશ ગુણો જાણવા. • ઉપાધ્યાયનો વિશિષ્ટ ગુણ :
જેમ અરિહંતનો વિશિષ્ટ ગુણ માર્ગદશકતા છે, સિદ્ધનો અવિનાશીપણું, આચાર્યનો આચાર ગુણ છે તેમ ઉપાધ્યાયનો વિશિષ્ટ ગુણ છે “વિનય”. તેઓ સ્વયં ઉત્તમ વિનયગુણોના ભંડાર છે અને સાધુઓને પણ એવા જ વિનયગુણથી યુક્ત બનાવે છે.
• ઉપાધ્યાયને નમસ્કાર શા માટે ? ઉપાધ્યાયનો અર્થ અને ગુણો જાણ્યા પછી, “નમો” શબ્દ પૂર્વકનો અર્થ વિચારો