________________
૨૨૦
પ્રજ્ઞાવબોધ વિવેચન ભાગ-૨
તારો નવો અવતાર થયો જાણ જે. નહીં તો હું તારા પ્રાપ્ત લેવાને પળની પણ ઢીલ કરું તેમ નહોતું. પણ તને શુદ્ધ વૈરાગ્ય અને જૈનધર્મમાં ઉતરેલો દેખી મારું કાળજું હળવે હળવે પિંગળતું ગયું. દલા ઉષા-રંગરંજન કરે જન-મન, મુજ મન તેમ
તુજ મન ઘર્મે વર્તતાં મૃદુ બની ઘરનું રે'મ. ૮૧
અર્થ :– પ્રભાતના રંગ જેમ લોકોના મનને રંજન કરે તેમ મારું મન પણ તારા મનને ધર્મમાં વર્તતું જાણી કોમળ બની જઈ તારા પર રહેમ કરવા લાગ્યું. ૮૧॥
સુણી મંત્ર-ઉચ્ચાર તે ઘરે સુમૈત્રી ભાવ,
તુજ હિત કરવા હું કહ્યું ઃ 'વાર ધર્મ પ્રભાવ. ૮૨
અર્થ – તારા મુખેથી મંત્રનો ઉચ્ચાર સાંભળીને મારું મન તારા પ્રત્યે સુમૈત્રીભાવ ઘરવા લાગ્યું. હવે તારા હિતને માટે કહું છું કે આ સત્ય જૈનધર્મના પ્રભાવને તું વિશેષ વધાર. ॥૮૨૫ થર્મ-બાળ-માબાપરૂપ વર્સ પણે મુનિરાય,
ધર્મ-પ્રેમથી સર્વને બોઘામૃત તે પાય. ૮૩
અર્થ :હવે તું પગ હેઠો આનંદથી મૂકી, ધર્મરૂપી બાળકના મા-બાપરૂપે મહામુનિશ્વર જે જિનશાસનના શૃંગાર તિલકરૂપ છે, તે અહીં આગળના સામા સુંદર બાગમાં બિરાજે છે. માટે ત્યાં તું જા. તે ધર્મપ્રેમથી સર્વને બૌધામૃત પાય છે, તેમનો પવિત્ર ઉપદેશ શ્રવણ કરી તારો આ માનવજન્મ કૃતાર્થ
કર. ॥૮॥
સિંહરાજ શ્રાવક ગણી, નિર્ભય રહી જા ત્યાંય.’
વંદન કરી તે સર્પને પામ્યો આપની છાંય. ૮૪
અર્થ :– સિંહરાજને પણ શ્રાવક ગણી તું નિર્ભય થઈ ત્યાં જા. પછી તે નાગદેવને વંદન કરી આપના દર્શન કરવા માટે હું આપની છત્રછાયામાં આવવા પામ્યો છું. ૫૮૪૫
મણિઘરનાં આવાં વચન સુણી પામ્યો છું હર્ષ,
થર્મ-બાળ મુજને ગણો, વ્યર્થ ગયાં મુજ વર્ષ. ૮૫
અર્થ :– હે મહા મુનિરાજ ! મણિધરનાં આવા વચન સાંભળીને હું અત્યંત હર્ષ પામ્યો. હવે મને
=
ઘર્મમાં બાળક જેવો ગણી ઉપદેશ આપો. આજ સુધીનાં મારા બધા વર્ષોં વ્યર્થ વહી ગયા. II૮૫]I
વગર મોતે જ હું મર્યો, જીવે સાચા સંત, મરણ-યોગથી જન્મિયો ઃ સમજ્યો જીવન–અનંત. ૮૬
અર્થ :– હમેશાં ભાવમરણ કરીને હું વગર મોતે જ મર્યો છું. સાચું જીવન તો સંતપુરુષોનું છે. મરણનો યોગ આવી મળવાથી હવે મારો નવો જન્મ થયો. અને હવે સમજ્યો કે આત્માનું જીવન તો અનંત છે, તે કદી મરતો નથી.
।।૮।
હર્ષ-ઘેલછામાં વ, સાચું જાણો આપ;
શરણે આવ્યો આપને, અચિંત્ય આપ પ્રતાપ. ૮૭
અર્થ :— હર્ષની ઘેલછામાં આવી કહું છું કે સાચું તો આપ જ જાણો છો. હવે આપના શરણે હું