Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 190
________________ ૩૮૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ વ્યંતરદેવીની સભા હોય. પછી પશ્ચિમ દિશાથી પ્રવેશ કરતાં પ્રથમ જ્યોતિષ્ક દેવોની સભા, તેની પાછળ ભુવનપતિ દેવોની સભા અને તેની પાછળ વ્યંતર દેવોની સભા હોય. ત્યાર પછી ઉત્તર દિશાથી પ્રવેશતાં પ્રથમ વૈમાનિક દેવોની સભા, તેની પાછળ મનુષ્ય પુરુષોની સભા અને તેની પાછળ મનુષ્ય સ્ત્રીઓની સભા બેસે છે. I૬૮ાા. ચક્રાયુથ આદિ થયા છત્રીસ ગણઘર જ્ઞાની રે, ઇન્દ્રાદિ સઘળા સુણે ખરતી પ્રભુની વાણી રે - ૬૯ અર્થ – ચક્રાયુઘ આદિ પ્રભુના છત્રીસ જ્ઞાની પુરુષો ગણઘર થયા. ઇન્દ્રાદિક સર્વે પ્રભુની ખરતી દિવ્ય વાણીને પ્રેમપૂર્વક સાંભળવા લાગ્યા. /૬૯ “ભવરૂપ મોટું મૂળ છે દુઃખવૃક્ષનું જાણો રે, કષાય-ભૂમિમાં ટકે, તે ખણવા મન આણો રે. ૭૦ અર્થ -પ્રભુએ દેશનામાં જણાવ્યું કે દુઃખરૂપી વૃક્ષનું આ સંસારરૂપી મોટું મૂળ છે. તે દુઃખરૂપીવૃક્ષ કષાયરૂપી ભૂમિથી ટકેલ છે. માટે તે કષાયરૂપી ભૂમિને ખોદી દુઃખરૂપી વૃક્ષનું ઉમૂળન કરો. II૭૦. કષાય જો પોચા પડે ભવ-દુઃખતરુ સુકાતું રે, ઇન્દ્રિય-જય વિના નહીં કષાય-બળ જિતાતું રે. ૭૧ અર્થ - કષાય જો મોળા પડે તો આ સંસારરૂપી મોટા મૂળવાળું દુઃખરૂપી વૃક્ષ સુકાતું જાય છે. પણ પાંચ ઇન્દ્રિયોનો જય કર્યા વિના આ ક્રોધાદિ કષાયોનું બળ જિતાતું નથી. II૭૧ાા ઇન્દ્રિય-અશ્વો નાખતા દમ વગર દુઃખ ખાડે રે, ઘાત, પાત, વઘ આકરો દુર્ગતિમાં દેખાડે રે. ૭૨ અર્થ - આ ઇન્દ્રિયરૂપી ઘોડાઓ જીવને સુખે દમ અર્થાત્ શ્વાસ પણ ન લઈ શકાય એવા દુઃખરૂપી ખાડામાં નાખે છે. જ્યાં જીવની ઘાત કરે, પાત એટલે પતન કરે, વઘ કરે એવા આકરા દુર્ગતિના દુ:ખોને દેખાડે છે. I૭૨ાા ઇન્દ્રિયવશ શાસ્ત્રી છતાં બાળબુદ્ધિએ વર્તે રે; ભરત-બાહુબલી યુદ્ધ હા! લજ્જાસ્પદે પ્રવર્તે રે, ૭૩ અર્થ – શાસ્ત્રનો જાણકાર એવો શાસ્ત્રી પણ ઇન્દ્રિયવશ થવાથી બાળબુદ્ધિ જેવું વર્તન કરવા લાગે છે. ભરત બાહુબલી જેવા સજ્જન પુરુષો પણ હા! લજ્જાસ્પદ એવા યુદ્ધમાં પ્રવર્તે છે. II૭૩ાા ચરમશરીરી ભાઈ બે, ઇન્દ્રિયો જ લડાવે રે; સુર, નર, પશુ સર્વે લડે ઇન્દ્રિય-મોહનચાવે રે. ૭૪ અર્થ :- ભરત બાહબલી જેવા ચરમશરીરી અર્થાત તેજ ભવે મોક્ષે જનાર પુરુષોને પણ આ ઇન્દ્રિયો જ લડાવે છે. આ ઇન્દ્રિયો પ્રત્યેની આસક્તિ જીવને સર્વ ભવમાં નચાવે છે. દેવતા, મનુષ્ય, પશુ આદિ સર્વેને લડાવનાર એ જ છે. ૭૪. ભક્ષ્યાભઢ્ય ગણે નહીં, ગમ્યાગમ્ય ન જાણે રે, ઇન્દ્રિય-દાસ થયા પછી ગંદી વાત વખાણે રે. ૭૫

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208