________________
(૭૫) છ પદ-નિશ્ચય
૨ ૫ ૫
વગર પણ થઈ જશે. એવું માની તું કેમ બેસી રહેતો નથી; અને ખાવા માટે કેમ દોડે છે. પણ કારણ વગર કોઈ કાર્ય બનતું નથી. એમ તારું જ વર્તન જણાવે છે. પાપકાર્યમાં તો તું ઉદ્યમ કરે છે અને ઘર્મકાર્ય ભાગ્યને આધીન જણાવે છે. એ તારી માન્યતા મિથ્યા છે; યથાર્થ નથી. ૩રા
સમ્યક ગુણો જે જ્ઞાન, દર્શન, ધ્યાન, સંયમરૂપ જે, તે મોક્ષ-કારણ સત્ય છે; ત્યાં કેમ સંશય થાય છે? સૌ સત્ય કારણ સાઘતા, પણ મોક્ષ સાથે ના મળે,
તો કેમ ફળમાં ભેદ દીસે? એ જ સંશય ના ટળે. ૩૩ અર્થ - મોક્ષપ્રાપ્તિના સાચા કારણો જે સમ્યકજ્ઞાન, દર્શન, ધ્યાન, સંયમરૂપ આત્માના ગુણો છે; તેમાં તને કેમ સંશય થાય છે? તેના જવાબમાં જિજ્ઞાસુ કહે છે કે સર્વ જીવો મોક્ષના સાચા કારણો સાધતા છતાં બઘાને મોક્ષ સાથે કેમ મળતો નથી. મોક્ષ પ્રાપ્તિના ફળમાં ભેદ કેમ દેખાય છે? અર્થાતુ કોઈ જલ્દી મોક્ષ પામે અને કોઈ લાંબા કાળે પામે. એ શંકા મને થાય છે; તે ટળતી નથી. [૩૩ના
બહુ કર્મરૂપી ઇંઘનોને કાળ બહુ બળતાં થતો, ને અલ્પ સંચય હોય તે તો અલ્પ કાળે બળી જતો; કારણ વિષે છે સત્યતા જો, તુર્ત પુરુષાર્થે વળો,
વર્ષા થતાં ખેડૂત વાવે ઘાન્ય; નરભવ આ કળો. ૩૪ અર્થ - કર્મરૂપી લાકડા ઘણા હોય તો તેને બળતાં ઘણો કાળ જાય અને અલ્પ કર્મોનો સંચય હોય તો અલ્પ કાળમાં તે બળી જાય. માટે જો તમે પામેલા મોક્ષના કારણો સાચા હોય, તો તુર્ત પુરુષાર્થને આદરો. જેમ વરસાદ થતાં ખેડૂત ઘાન્યની વાવણી કરે છે, તેમ મોક્ષ મેળવવા માટે આ નરભવને સીજન સમાન જાણી અમૂલ્ય અવસરનો હવે જરૂર લાભ લઈ લો. If૩૪
સમ્યક ગુણો સાથી ગયા મોક્ષે ઘણા, તે આદરો; વૈરાગ્ય, ભક્તિ આદિ સાઘન સુગુરુ-આજ્ઞાથી કરો, એકાંત વાદ ના ખળો, સ્વાવાદ સત્ય બતાવતો,
સર્વજ્ઞ-વાણી ભવ-કપાણી જાણ શૌર્ય બઢાવજો. ૩૫ અર્થ – સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્ર આદિ ગુણોને સાધ્ય કરી ઘણા પૂર્વે મોક્ષે ગયા. તે માર્ગને તમે પણ આદરો. તથા વૈરાગ્ય, ભક્તિ આદિ મોક્ષના સાઘન સગુરુ આજ્ઞાનુસાર કરો. એકાંતવાદમાં કદી ખળી રહેશો નહીં. પણ સ્યાદ્વાદયુક્ત વીતરાગ માર્ગ જ સત્યને બતાવનાર છે. તે સ્યાદ્વાદ સર્વજ્ઞ પુરુષો દ્વારા ઉપદિષ્ટ વાણીમાં રહેલ છે. માટે ભગવાનની વાણીને સંસાર હણવા અર્થે કૃપાણી એટલે તલવાર સમાન માની, તે પ્રમાણે વર્તવા આત્મશૌર્ય એટલે આત્માની શૂરવીરતામાં વિશેષ વૃદ્ધિ કરજો. ૩પી.
સૌ દર્શનો છે રત્ન છૂટાં, સૂત્ર આ સ્યાદ્વાદથી માળા મનોહર મોક્ષ-સુખો આપતી ઉલ્લાસથી કુળાગ્રહો તર્જી સત્ય પામો એ જ અંતે વિનતી,
સંક્લેશથી જગ દુઃખી છે, તે ક્લેશ ટાળે સુમતિ. ૩૬ અર્થ – બીજા બધા દર્શનો એટલે ઘર્મો તે છૂટા રત્ન સમાન છે. તે બધા ઘર્મોને સ્યાદ્વાદરૂપી