________________
(૮૧) મહત્પરુષોની અનંત દયા
૩ ૦૯
જ્વલંત કેવળ-જ્યોતિથી જય૦ ગણઘર આદિ મશાલ રે ગુણ૦
તેથી ભવ્ય પરંપરા જય૦ શિવ-પથ રચે વિશાલ રે ગુણ૦ ૨૬ અર્થ - કેવળજ્ઞાનરૂપ જ્યોતિ સદા જ્વલંત છે. તેમાં ગણઘર આદિ પુરુષો માર્ગમાં પ્રકાશ કરવા માટે મશાલ સમાન છે. તેથી મોક્ષમાર્ગની ભવ્ય વિશાળ પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે. તેનો કોઈ કાળે ભંગ થતો નથી. સરકા
એક અંશ સાતા થકી જય૦ થતાં લગી નિષ્કામ રે ગુણ
સર્વ સુખ-મૅળ મહપુરુષ જય પરમ દયાના ઘામ રે ગુણ૦ ૨૭ અર્થ – એક અંશ શાતા સુખથી લગાવી પૂર્ણ નિષ્કામદશા પ્રાપ્ત થતા સુધી સર્વ સુખના મૂળભૂત કારણ તે પુરુષ છે. કેમકે તે પરમદયાના ઘામ હોવાથી પુણ્યનો કે સંપૂર્ણ આત્મશુદ્ધિનો માર્ગ બતાવનાર તેજ છે. “એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુઘીની સર્વ સમાધિ, તેનું સન્દુરુષ જ કારણ છે.”ારણા
પરંપરા સપુષથી જય સદાચાર-ઉપદેશ રે ગુણ૦
જગત ભયંકર તે વિના જય૦ પામે નહિ સુખ-લેશ રે ગુણ૦ ૨૮ અર્થ - સપુરુષોની પરંપરાના કારણે સદાચારનો ઉપદેશ પણ સદા ચાલ્યો આવે છે. જો તે સદાચારનો ઉપદેશ ન હોય તો આ જગતની દશા કેવી ભયંકર થાય? જીવો લેશ માત્ર સુખ પામી શકે નહીં એવી સ્થિતિ થઈ પડે. It૨૮.
ન્યાય, નીતિ ના હોય તો જય, કેવો વર્તે ફ્લેશ રે ગુણ
પાપી જન પણ પાપને જય૦ ઓઢાવે શુભ વેશ રે ગુણ૦ ૨૯ અર્થ - ન્યાયનીતિનું ચલન જો રાજ્યમાં ન હોય તો કેવું ક્લેશનું વાતાવરણ થઈ જાય. લોકો એક બીજાને લૂટતા ડરે નહીં. તેથી સર્વ જીવો ભયભીત બની સદા દુઃખી રહ્યા કરે. પાપી જીવો પણ અન્યાયથી પાપ કરી તેના ઉપર શુભ વેષ ઓઢાવી અર્થાત્ તે પાપને ઢાંકી સારો દેખાવ કરતા થઈ જાય. ૨૯
સારું જે જે સાંભળ્યું જય૦ તેવો દે દેખાવ રે ગુણ૦
તેવું વર્તન ના બને જય૦ તોપણ વર્તે ભાવ રે ગુણ૦ ૩૦ અર્થ - ભગવંતના ઉપદેશમાં જે જે સારું સાંભળ્યું હોય તેવા થવાનો સજ્જન પુરુષો પ્રયત્ન કરે છે. પણ જો તેવું આચરણ એકદમ બની ન શકે તો તેવા થવાનો ભાવ તેમના હૃદયમાં સદા વર્તે છે. ૩૦ના
સ્વાર્થી લંપટતા ટળે જય૦ મૈત્રી સૌની સાથ રે ગુણ
કરુણા જગ-જંતુ પ્રતિ જય૦ જ્યાં જ્યાં જીવ અનાથ રે ગુણ૦ ૩૧ અર્થ - સત્પરુષના ઉપદેશથી જેને અંતરમાં સાચા થવાનો ભાવ વર્તે છે તેનું સ્વાર્થીપણું અને ઇન્દ્રિય લંપટતા ટળે છે તથા સૌ જીવોની સાથે મૈત્રીભાવની વૃદ્ધિ થાય છે. જગતમાં રહેલ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવો જે અનાથ, અશરણ છે, તેમના પ્રત્યે તેને કરુણાભાવ ઉત્પન્ન થાય છે. ૩૧ાા.
ગુણી જનોના ગુણથી જય૦ પામે જીવ પ્રમોદ રે ગુણ૦
પરહિત જો ન બની શકે જય૦ કરે ન પર પર ક્રોઘ રે ગુણ ૩૨ અર્થ :- જગતમાં ગુણીજનોના ગુણો જોઈને તેના હૃદયમાં પ્રમોદભાવ ઊપજે છે. તથા જે ખલ