________________
૩૧ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પુરુષો છે તેમનું હિત ન કરી શકે તો તેના દોષ જોઈ તેના ઉપર ક્રોધ કરતા નથી; પણ મધ્યસ્થ ભાવ રાખે છે, કે ભગવાન એમને સદબુદ્ધિ આપો. If૩રા
પર-દુઃખ કારણ ના બને, જય૦ શિષ્ટાચાર ગણાય રે ગુણ
કૃત ઉપકાર ભેંલે નહીં જય૦ માનવ તે જ મનાય રે ગુણ૦ ૩૩ અર્થ - જેના ઉપર મહપુરુષોની અનંત દયા વર્ષે છે તે જીવો કોઈને પણ દુઃખનું કારણ બનતા નથી અને એ જ શિષ્ટ આચાર ગણાય છે. તેઓ પોતા પર કરેલા ઉપકારને કદી ભૂલતા નથી. તેથી ખરેખરું માનવપણું સમજવાથી તે માનવ ગણાય છે. [૩૩ના.
પુણ્યથી જે સુખ ભોગવો જય, તેનું કારણ સંત રે ગુણ
સંત-વચન સુણ્યા વિના જય૦ નહિ સન્માર્ગે ખંત રે ગુણ૦ ૩૪ અર્થ :- પુણ્યવડે જે સુખ ભોગવીએ છીએ તેનું કારણ પણ સંત પુરુષો છે. સંતપુરુષોના વચનો સાંભળ્યા વિના પુણ્યપાપનું સ્વરૂપ કેવી રીતે જાણી શકાય? અને પુણ્યોદય થયા વિના સત્યમાર્ગ આરાધવાની ખરી ઇચ્છા પણ અંતરથી જાગૃત થતી નથી. ૩૪.
નરભવ દેનારા ભલા જય૦ મહત્પરુંષ મનાય રે ગુણ૦
તો તેને શરણે સદા જય૦ જીવો તો એ ન્યાય રે ગુણ૦ ૩૫ અર્થ :- “બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો.” તે પુણ્યના કારણો બતાવનાર તો સપુરુષ છે. માટે પરોક્ષ રીતે જોતાં આ મનુષ્યભવને આપનાર ખરેખર સપુરુષ છે. તો હવે તે સપુરુષના શરણે રહી તેમની આજ્ઞામાં જીવન ગાળો તો તમે ન્યાયથી વાર્તા કહેવાઓ. ૧૩પા.
ઉત્તમ મળી આવી દશા જય, જેના યોગે જાણ રે ગુણો
તેના વચને વર્તતાં જય૦ પામો સૌ નિર્વાણ રે ગુણ૦ ૩૬ અર્થ - જાણે અજાણે પૂર્વભવમાં કે આ ભવમાં તેમની આજ્ઞાનું પાલન કરવાથી આવી ઉત્તમ દશા પ્રાપ્ત થઈ છે. તો હવે પણ તેમના વચનાનુસાર વર્તતાં કે જીવન જીવતાં તમે શાશ્વત સુખસ્વરૂપ એવા નિર્વાણ અર્થાત્ મોક્ષપદને સૌ પામશો; એમાં કોઈ સંદેહ નથી. /૩૬ાા
મહપુરુષોની અનંત દયાવડે જીવને સાચો નિર્જરાનો ક્રમ હાથ લાગે છે. કર્મોનું દેણું પતાવવું તેનું નામ નિર્જરા છે. તે કમનું દેણું કેમ પતે તે ક્રમ આ પાઠમાં બતાવવામાં આવ્યો છે. જે જાણી સર્વ કર્મને ખપાવી જીવ મુક્તિને મેળવી શકે.
(૮૨)
નિર્જરા-ક્રમ (ઠરે જહાં સમકિત તે સ્થાનક, તેહના ષ વિથ કહિએ રે–એ રાગ)
શ્રીમદ્ રાજચંદ્ર-પદ પ્રણમું, ભાવ નિર્જરા કાજે રે, જેનાં વચન અનુપમ પામી, આત્મ-રત્ન વિરાજે રે;