Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 176
________________ 3७० પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ માળા કર્યા છતાં તેને હાંકતા નથી. ૮૬ના ભમરી દર કર્સે કરી, વર્ષોમાં ભીંજાતા રે, સૂર્ય તપે શિર ઉપરે, વાર્યું ઠંડા વાતા રે. ૮૭ અર્થ - કાનમાં ભમરીએ દર કરી દીધા. વરસાદમાં ભીંજાય છે. સૂર્ય માથા ઉપર તપે છે અને ઠંડા વાયુ પણ થાય છે. દશા પૂર્વ વૈરી અસુર બે આવે દુઃખો દેવા રે, નભે જતી રંભાદિએ વિધ્ર ટાળી કરી સેવા રે. ૮૮ અર્થ - આ અવસરે પૂર્વના વૈરી અશ્વગ્રીવ પ્રતિવાસુદેવના બે પુત્રો જે દેવપણું પામેલ છે. તેમણે આવી સિંહ, વાઘ, હાથી, સાપ અને રાક્ષસોનું ભયંકરરૂપ વિકર્વિ તે દુષ્ટ દેવોએ મુનિશ્વરને અનેક ઉપદ્રવો કર્યા; છતાં મુનિ લેશ પણ ક્ષોભ પામ્યા નહીં. તે અવસરે આકાશમાર્ગે જતી દેવેન્દ્રની મુખ્ય રાણી રંભા અને તિલોત્તમાએ આ દુષ્ટ દેવોનો વચનોવડે તિરસ્કાર કરી વિઘ દૂર કર્યું. તથા તેમની સમક્ષ ભક્તિભાવથી મનોહર નૃત્ય કરી મુનિને વાંદી પોતાના સ્થાને ગઈ. ૮૮. વર્ષ પછી તે વિચરે, સંયમ ઉત્તમ પાળે રે, સહસ્ત્રાયુથ યતિ બને, દેહ સંયમે ગાળે રે. ૮૯ અર્થ - એક વર્ષની અતિ દુષ્કર પ્રતિજ્ઞાને પૂર્ણ કરી ઉત્તમ સંયમ પાળતા વિચરતા વિચરતા એકદા તે મુનિ સહસ્ત્રાયુઘ રાજાના નગરમાં આવ્યા. તેમનો ઉપદેશ સાંભળી સહસ્ત્રાયુથ યતિ એટલે મુનિ બની હવે દેહ માત્ર સંયમને અર્થે ગાળવા લાગ્યા. IIટલા સંન્યાસે મરી બે મુનિ (ગૈવેયકમાં જાતા રે, અહમિંદ્ર-સુખ ભોગવી ઘનરથ નૃપ-સુત થાતા રે. ૯૦ અર્થ -વજાયુઘ અને સહસ્ત્રાયુઘ બન્ને મુનિ ઈષત્માગુભાર નામના પર્વત ઉપર ચઢી ત્યાં પાદોગમન અનશન સ્વીકારી શુભધ્યાનવડે સંન્યાસ મરણ કરી નવમા રૈવેયકમાં દેવપણાને પ્રાપ્ત થયા. ત્યાં અહમિંદ્રનું સુખ લાંબો કાળ ભોગવી ઘનરથ રાજા જે તીર્થકર થવાના છે તેમના ઘરે બેય પુત્રપણે ઉત્પન્ન થયા. II૯૦ના પિતા-જીવ બંદુ વડો નામ (મેઘરથ ઘારે રે, દઢરથ નામ બીજા તણું; અવધિ ના વિસારે રે. ૯૧ અર્થ – પૂર્વભવના પિતા વજાયુથનો જીવ આ ભવમાં મોટોભાઈ થયો. જેનું નામ મેઘરથ રાખવામાં આવ્યું. એ શાંતિનાથ ભગવાનનો સાતમો ભવ છે. તથા પૂર્વભવનો પુત્ર સહસ્ત્રાયુધ આ ભવમાં નાનો ભાઈ થયો. જેનું નામ દઢરથ રાખવામાં આવ્યું. મેઘરથ પૂર્વભવમાં પામેલ અવધિજ્ઞાન વિસર્યા નથી. ૯૧ ફેંકડા બે લડતા હતા, સર્વ સભા-જન દેખે રે, ઘનરથ ભવ તેના પૅછે, જ્ઞાની મેઘરથ ભાખે રેઃ ૯૨ અર્થ – એકવાર સભામાં બે કૂકડાને લડતા સર્વ સભાજનો જુએ છે. ત્યારે ઘનરથ રાજાએ તેમના પૂર્વભવો પૂક્યાં. તેના જવાબમાં અવધિજ્ઞાની એવા મેઘરથકુમાર તેમનો પૂર્વભવ કહેવા લાગ્યા. ૯રા

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208