Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 180
________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ ૩૭૪ યોગ્ય વસ્તુઓના ચાર ભેદ છે. ગા જ્ઞાન, દવા, આહાર ને અભય-દાન એ ચારે રે, પરંપરાએ મોક્ષ છે, મનાય એ સુવિચા૨ે રે, ૪ અર્થ :— જ્ઞાનદાન, ઔષઘદાન, આહારદાન અને અભયદાન; એ ચાર પ્રકારના દાન છે. જે પરંપરાએ જીવને મોક્ષનું કારણ થાય છે. આ વાત સુવિચાર કરવાથી મનાય છે, ॥૪॥ મોક્ષમાર્ગમાં સ્થિત જે, પોતે તરીને તારે રે, દાન-યોગ્ય સુપાત્ર તે, બોઘ દઈ ઉદ્ધારે રે. પ અર્થ :– જે જ્ઞાનના બળે મોક્ષમાર્ગમાં સ્થિત છે અને જે પોર્ન તરીને બીજાને તારે છે. તે દાન દેવા = યોગ્ય સુપાત્ર મહાત્મા છે કે જે બોઘ દઈ બીજાનો પણ ઉદ્ઘાર કરે છે. પા માંસાદિ ના દેય છે, પાત્ર ન તે જો યાર્ચ ૨, દાતા નઠિ દેનાર તે; નક-હેતુ તે સાચું રે. ૬ અર્થ :– માંસ મદિરાદિ વસ્તુઓ દાનમાં દેવા યોગ્ય નથી. જે આવી પાપમય વસ્તુની યાચના કરે તે પાત્ર જીવ નથી. તથા આવી હિંસક વસ્તુને દાન તરીકે આપનાર તે દાતા નથી. ખરેખર એ બધા નરકગતિના કારણો છે. ।। તેથી ગીઘ ન પાત્ર છે, કર્બુતર દેય ન જાણો રે,' સુણી એ દેવ કરે સ્તુતિ, દાન-વિવેક વખાણ્યો રે. ૭ અર્થ :— તેથી ગીઘ એ દાન લેવાને પાત્ર જીવ નથી, અને કબૂતર એ કંઈ દાન દેવા યોગ્ય પદાર્થ -- નથી. આવા મેઘરથ રાજાના વચનોને સાંભળીને જ્યોતિષી દેવે પોતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કર્યું અને મેઘરથ રાજાએ બતાવેલ ઉત્તમ દાન વિવેકના ખૂબ વખાણ કરી તેમની સ્તુતિ કરી. IIII વસ્ત્રાભૂષણ દઈ ગયો, કરી કુસુમની વૃષ્ટિ રે, ઇંદ્ર ફરી સ્તુતિ કરે : “ધન્ય! ઘીર સુષ્ટિ '૮ અર્થ :— પછી દેવે ખુશ થઈ પુષ્પોની વૃષ્ટિ કરી, ઉત્તમ વસ્ત્ર આભૂષણ આપીને દેવલોકે ગયો. = હવે એક દિવસ મેઘરથ રાજાએ નંદીશ્વર પર્વમાં મહાપૂજા કરીને ઉપવાસ કર્યો. તે જ રાત્રિએ પ્રતિમા ઘારણ કરીને મેરુપર્વતની જેમ ઘ્યાનમાં અડોલ સ્થિર હતા ત્યારે દેવલોકમાં ઈશાનેન્દ્રે ફરી દેવોની સભામાં હર્ષથી કહ્યું કે ‘અહો આશ્ચર્ય છે કે આ સંસારમાં તું જ શુદ્ધ સમ્યક્દ્ગષ્ટિ છો અને તું જ ખરેખર ધીર-વીર છો. II) પ્રશ્ન પૂછતાં તે કહે : “મેઘરથ પરિણામો રે, પ્રતિમા-યોગે સ્થિર છે, તેને કરું પ્રણામો રે.’” ૯ અર્થ :– એમ ઇન્દ્રને સ્તુતિ કરતા સાંભળીને દેવોએ ઇન્દ્રને પૂછ્યું કે આપ કયા સજ્જન પુરુષની આ સ્તુતિ કરો છો ? ત્યારે ઇન્દ્રે કહ્યું મેઘરથ રાજા શુદ્ધ સમ્યષ્ટિ છે અને આજે તેઓ મેરુપર્વત જેવી અડોલ પ્રતિમા ઘારીને શુદ્ધભાવમાં સ્થિત છે. તેમને હું ભાવભક્તિથી પ્રણામ કરું છું. ।।૯।।

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208