________________
(૭૮) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ
૨૭૧
અર્થ - શ્રી જિનેશ્વર ભગવંતનો બોઘ એમ જણાવે છે કે આત્માની નિર્મળતા, મૂળ સ્વરૂપે જોતાં સ્ફટિક રત્ન જેવી છે. તે આત્માની નિર્મળતા પ્રબળ કહેતા બળવાન એવા અનંતાનુબંધી કષાયનો અભાવ થયે પ્રગટે છે. જેથી સહજ સ્વાભાવિક આત્મામાં જ રહેલા સમ્યક્દર્શનાદિ ઘર્મ પ્રગટમાં આવે છે અને ક્રમે કરી તે વિકાસ પામી પૂર્ણતાને પામે છે. ૩
સદા દ્રવ્ય અત્યંત પ્રકાશિત, સર્વ કર્મ ક્ષય થાતાજી,
અસંગતા સહ સુખ-સ્વરૃપતા; જ્ઞાન-વચન આ સાચાંજી. સૂક્ષ્મ અર્થ – સર્વ કર્મ કહેતા આઠેય કર્મનો ક્ષય થતાં પોતાનું આત્મદ્રવ્ય સદા સંપૂર્ણ પ્રકાશમાન રહે છે. સર્વ કર્મથી અસંગ એટલે રહિત થવાની સાથે જ આત્માનું અનંતસુખસ્વરૂપ પ્રગટે છે. આ જ્ઞાનીપુરુષના અનુભવસિદ્ધ વચનો હોવાથી અત્યંત સાચી છેજા.
જગ-સંકલ્પ-વિકલ્પો ભૂલો, થશો શુદ્ધ ઉપયોગીજી,
લક્ષ થવા નિર્વિકલ્પતાનો થવું ઘટે સ્થિર-યોગીજી. સૂક્ષ્મ અર્થ - પોતાના અનંત સુખસ્વરૂપને પ્રગટ કરવા માટે આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજો. તો આત્માનો જ્ઞાનદર્શનમય ઉપયોગ શુદ્ધ થશે. સંકલ્પ-વિકલ્પને ભૂલી નિર્વિકલ્પતાનો લક્ષ સિદ્ધ થવા માટે મનવચનકાયારૂપ ત્રણે યોગની સ્થિરતા કરવી આવશ્યક છે. પા.
તે માટે સ્થિરતાનાં કારણ યથાશક્તિ ઉપાસોજી,
સવિચાર, વૈરાગ્ય, ઉપશમ, સત્ સમાગમે વાસોજી. સૂક્ષ્મ અર્થ - ત્રણેય યોગની સ્થિરતા કરવાના કારણો જીવે યથાશક્તિ ઉપાસવા યોગ્ય છે. તે આ પ્રમાણે છે. સતપુરુષોના વચનોનો વિચાર કરવો, વૈરાગ્યભાવમાં નિમગ્ન રહેવું, કષાયોને ઉપશમાવવા અને પુરુષના કે તેના આશ્રિત જીવોના કે સત્કૃતના સમાગમમાં નિત્ય રહેવું એ મનવચનકાયાના યોગોની સ્થિરતા થવાના મુખ્ય સાઘનો છે. કા.
સુંઘારસ, સલ્ફાસ્ત્ર સુહેતું, જ્ઞાની ગુરુ જો દાતાજી,
સત્સમાગમ સૌથી સહેલો, પહેલો, સૌની માતાજી. સૂક્ષ્મ અર્થ :- સ્થિરતા લાવવા માટે સુથારસની યોગ ક્રિયા અને સલ્લાસ્ત્રો ઉત્તમ કારણો છે. પણ તેના દાતાર જ્ઞાની ગુરુભગવંત હોવા જોઈએ. નહીં તો સ્થિરતાના કારણ એવા “સુથારસને જ આત્મા માની બેસે. જેથી સમ્યકદર્શન આદિની પ્રાપ્તિ ન થાય અને જીવ તેમાંજ અટકી આગળ વધી શકે નહીં. તેમ ગુરુગમ વગર શાસ્ત્રો પણ શસ્ત્રરૂપે પરિણમે છે. અહંકાર આદિ માન કષાયને પોષનાર થાય છે. માટે સૌથી સહેલો અને સૌથી પહેલો સત્સમાગમ એટલે સત્સંગ કર્તવ્ય છે જેથી સહુ સાઘન સુલભ થાય છે. સત્સંગ એ સર્વ ગુણોને ઉત્પન્ન કરનાર માતા સમાન છે.
“સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે; “સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાઘન છે.” (વ.પૃ.૭૫) નાગા
જ્ઞાનીપુરુષના દૃઢ આશ્રયથી સુલભ મોક્ષપદ, ભાખ્યુંજી; આત્મસ્થિરતા, મોક્ષમાર્ગ તો કેમ સુલભ નહિ? દાખ્યુંજી. સૂક્ષ્મ