________________
૨૭૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ક્યાંથી સમજી શકે. સ્વઆત્માની અને પર એવા પુગલના સ્વરૂપની જ્યાં સુધી સમજણ આવે નહીં ત્યાં સુધી જીવ સુખદુઃખના પ્રસંગમાં મુઝાય છે. “જીવ પોતાનું સ્વરૂપ જાણી શકતો નથી; તો પછી પરનું સ્વરૂપ જાણવા ઇચ્છે તે તેનાથી શી રીતે જાણી, સમજી શકાય? અને જ્યાં સુધી ન સમજવામાં આવે ત્યાં સુઘી ત્યાં રહી ગૂંચાઈ ડહોળાયા કરે છે.” (વ.પૃ.૭૪૬) I/૧૭ના
સ્વસ્વરૂપનું જ્ઞાન અલૌકિક પ્રગટ્યું નથી જ્યાં સુઘીજી,
પર પદાર્થ વિષે બહુ જાણે પણ અજ્ઞાને બુદ્ધિજી- સૂક્ષ્મ અર્થ - પોતાના આત્મસ્વરૂપનું અલૌકિક જ્ઞાન જ્યાં સુધી પ્રગટ્યું નથી, ત્યાં સુધી ભલે બીજા પદાર્થો વિષે બહુ જાણે તો પણ બુદ્ધિમાં અજ્ઞાન હોવાથી મોક્ષમાર્ગમાં તે કામ આવતું નથી.
“શ્રેયકારી એવું જે નિજસ્વરૂપનું જ્ઞાન તે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તોપણ તે કશા કામનું નથી;” (વ.પૃ.૭૪૬) I/૧૮ના
મોક્ષ-માર્ગમાં કામ ન આવે; ઉત્તમ રસ્તો આ છે જીઃ
બીજી બથી વાતો મૂકી દઈ, આત્મા ઓળખવા જે જી- સૂક્ષ્મ અર્થ :- અજ્ઞાનયુક્ત ગમે તેટલું જ્ઞાન હોય પણ તે મોક્ષમાર્ગમાં કામ આવે નહીં. માટે સૌથી ઉત્તમ રસ્તો આ છે કે બીજી બધી વાતો મૂકી દઈ એક સૂક્ષ્મ એવા આત્મ તત્ત્વની પ્રતીતિ એટલે શ્રદ્ધા કરીને તેની પૂરેપૂરી ઓળખાણ કરવી. “માટે ઉત્તમ રસ્તો એ છે કે બીજી બથી વાતો મૂકી દઈ પોતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરવો.” (વ.પૃ.૭૪૬) /૧૯ાા
પ્રયત્ન કરશે તે સભાગી, સારભૂત વિચારેજીઃ
આત્મા સત્તારૂપ, સદા છે; કર્તા કર્મોનો એ જી. સૂક્ષ્મ અર્થ - આત્માને ઓળખવાનો જે જીવ પ્રયત્ન કરશે તે આ પ્રમાણે સારભૂત વિચારો કરશે કે આત્માની સત્તા એટલે તેનું અસ્તિત્વ છે અને તેનું હોવાપણું સદા ત્રણે કાળમાં છે. તે કર્મનો કર્તા પણ છે.
જે સારભૂત છે તે જોવા સારુ આ “આત્મા સભાવવાળો છે?” “તે કર્મનો કર્તા છે, અને તેથી (કર્મથી) તેને બંઘ થાય છે, ‘તે બંઘ શી રીતે થાય છે?” “તે બંઘ કેવી રીતે નિવૃત્ત થાય?’ અને ‘તે બંઘથી નિવૃત્ત થવું એ મોક્ષ છે' એ આદિ સંબંથી વારંવાર, અને ક્ષણેક્ષણે વિચાર કરવો યોગ્ય છે; અને એ પ્રમાણે વારંવાર વિચાર કરવા યોગ્ય છે; અને એ પ્રમાણે વારંવાર વિચાર કરવાથી વિચાર વૃદ્ધિને પામે છે; ને તેને લીધે નિજસ્વરૂપનો અંશેઅંશે અનુભવ થાય છે. જેમ જેમ નિજસ્વરૂપનો અનુભવ થાય છે, તેમ તેમ દ્રવ્યનું જે અચિંત્ય સામર્થ્ય તે તેના અનુભવમાં આવતું જાય છે.” (વ.પૃ.૭૪૬) I/૨૦ગા.
બંઘ થાય છૅવને કર્મોથી, કયાં કારણે, જાણેજી,
બંઘ ટળે જીંવ મુક્ત બને છે, મોક્ષ-ઉપાય પ્રમાણેજી. સૂક્ષ્મ અર્થ - કયા કારણોને લઈને જીવને કર્મ બંઘ થાય છે તે જાણવા માટે પ્રયત્ન કરશે. પછી મોક્ષના
છે તેવાથી તે કર્મબંધ ટળી જઈ જીવનો મોક્ષ થાય છે વગેરે જાણી, તે પ્રાપ્ત કરવાનો ભાવ પ્રગટશે. ર૧ાા.
એ આદિ વિચાર ગહન સૌ, વારંવાર વિચારેજી, ક્ષણે ક્ષણે તે મનન કરે તો, વિચાર-વૃદ્ધિ થાશેજી. સૂક્ષ્મ