________________
૨૯૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પૂછ્યું તેં શી રીતે જાણ્યું? તે બોલ્યો કે તેણે મુનિને કેળાં આપ્યા. તેવાં કેળાં આપની વાડી સિવાય બીજે ક્યાંય થતાં નથી. અને મેં મુનિના મુખથી સાંભળ્યું. રાજાએ એ વાત સાંભળી, શ્રીદત્તને શિક્ષા કરી તેથી મારે વચનગુતિ નથી. એક વખત અરણ્યમાં ગયો હતો. ત્યાં થાકી જવાથી નિદ્રા પામ્યો. તે ઠેકાણે એક સાર્થવાહ આવ્યો અને બધાને કહ્યું કે સવારે વહેલા જવું છે માટે ભોજન-સામગ્રીની તૈયારી વહેલી કરી લો. તે સાંભળીને સર્વ લોકો અંધારામાં રસોઈ કરવા લાગ્યા. હું સૂતો હતો. મારા મસ્તક પાસે બે પથ્થર મૂકી અગ્નિ સળગાવ્યો. તે અગ્નિ લાગવાથી મેં મારું મસ્તક લઈ લીધું. તેથી મારે કાયગતિ પણ નથી. માટે હું ભિક્ષા યોગ્ય મુનિ નથી. આ પ્રમાણે મુનિના સત્ય ભાષણથી તે શ્રેષ્ઠી બહુ હર્ષ પામ્યો. મુનિને પ્રતિલાભિત કર્યા. મુનિની અત્યંત પ્રશંસા કરવાથી તે શ્રેષ્ઠીએ અનુત્તર વિમાનનું સુખ ઉપાર્જન કર્યું. મુનિ પણ આત્માની નિંદા કરતા ચારિત્રઘર્મ પાળી સ્વર્ગે સિધાવ્યા. (ઉપદેશપ્રાસાદ ભા.ભા.૪ના આધારે) //૫૮ી.
સંયમ-કારણ સમિતિ ભાખી અપવાદે તે સાચી,
ઉત્સર્ગે ગુપ્તિ, એ દ્રષ્ટિ ચૂકે ન મુનિ અયાચી. હો ભક્ત અર્થ :- સંયમ પાળવામાં કારણરૂપ પાંચ સમિતિઓ ભગવાને અપવાદમાર્ગે ભાખી તે સાચી વાત છે. પણ ઉત્સર્ગમાર્ગ એટલે રાજમાર્ગ તો ગુણિ છે. એ દ્રષ્ટિને અયાચક એવા મુનિ ચૂકતા નથી. પા.
આત્માર્થે આત્માર્થી જીવે લાભ અલૌકિક લેવા, શુદ્ધ સ્વરૂપે સ્થિર થયા ત્યાં શેષ ન લેવા દેવા.
હો ભક્તજન ઉર ઉલ્લાસ વઘારી. અર્થ - આત્માના કલ્યાણ અર્થે આત્માર્થી જીવો જીવન જીવે છે. તે લાભ અલૌકિક લેવા પાંચ સમિતિ પાળતા જ્યારે ત્રિગુપ્તિના બળે શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થયા, ત્યાં શેષ કંઈ લેવા કે દેવાપણું રહ્યું નથી; અર્થાત કતાર્થ થઈ ગયા, કેવળજ્ઞાન પામી સર્વથા સ્વરૂપમાં સમાઈ ગયા. II૬૦ના
સમિતિ ગુપ્તિમાં પ્રવર્તનાર મુનિ મહાત્માઓ, કર્મના નિયમો જે સિદ્ધાંતરૂપ છે તેને જાણી, નવીન કર્મનો બંઘ થવા દેતા નથી. સર્વ પ્રાણીઓએ કર્મના નિયમોને જાણી, શુભાશુભ કમને છેદી, મોક્ષ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. મળેલા માનવદેહનું એ જ સાર્થકપણું છે. એ સંબંધી વિસ્તાર આ પાઠમાં જણાવવામાં આવે છે :
(૮૦) કર્મના નિયમો
(દોહરા)
વંદું શ્રી ગુરુ રાજને, જેણે આપ્યો ઘર્મ, 1 શ્રુત ઘર્મે સમજી સ્વરૂપ, ચરણે કાપું કર્મ. ૧ અર્થ – પરમકૃપાળુશ્રી ગુરુ રાજપ્રભુને હું ભાવપૂર્વક પ્રણામ કરું છું કે જેણે અમને આત્મઘર્મ