________________
(૭૯) સમિતિ-ગુપ્તિ
૨૮ ૯
પ્રમાદથી ઉપયોગ ચળે તો મુનિ પદ છઠ્ઠું આવે,
વિશેષ અંશે અલિત થાય તો અસંયમી બની જાવે. હો ભક્ત અર્થ :- પ્રમાદથી જો આત્મઉપયોગ ચલિત થાય તો મુનિ સાતમા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાનકમાં આવી જાય. જો ઉપયોગ વિશેષ અંશે ચલાયમાન થાય તો ફરીથી અસંયમવાળા એટલે રાગદ્વેષવાળા બની જઈ નીચેના ગુણસ્થાનકમાં આવી જાય છે.
પ્રમાદથી તે ઉપયોગ અલિત થાય છે, અને કંઈક વિશેષ અંશમાં અલિત થાય તો વિશેષ બહિર્મુખ ઉપયોગ થઈ ભાવઅસંયમપણે ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. તે ન થવા દેવાને અને દેહાદિ સાઘનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છોડી શકાય એવી હોવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ થઈ શકે એવી અભુત સંકળનાથી ઉપદેશી છે, જેને પાંચ સમિતિ કહેવાય છે.” (વ.પૃ.૫૯૬) I/૪રા.
તે ન થવા દેવા કહીં સમિતિ અંતર્યામી નાથે,
આજ્ઞા આરાધે મુનિજન તો અંતર્મુખતા સાથે. હો ભક્ત અર્થ :- ઉપયોગ ચલિત ન થવા દેવા અર્થે અંતર્યામી એવા ભગવાને આ પાંચ સમિતિની યોજના કરી છે. એ પાંચ સમિતિ ભગવાનની આજ્ઞા પ્રમાણે જે મુનિજન આરાઘશે તે અંતર્મુખતાને પામશે. I૪૩
સમિતિમાં સૌ સંયમ-વર્તન સમાય સર્વ પ્રકારે.
તેમ વર્તતાં સતત જાગૃતિ ઉપયોગન મુનિ ઘારે. હો ભક્ત અર્થ:- આ પાંચ સમિતિમાં, સંયમમાં પ્રવર્તવાના બીજા સર્વ પ્રકારો સમાય છે. તે પ્રમાણે વર્તન કરતાં આત્મ ઉપયોગની સતત જાગૃતિ મુનિ ઘારણ કરે છે. “જે જે સંયમમાં પ્રવર્તવાના બીજા પ્રકારો ઉપદેશ્યા છે, તે તે સર્વ આ પાંચ સમિતિમાં સમાય છે; અર્થાત્ જે કંઈ નિગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે, તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશક્ય છે, તેની જ આજ્ઞા આપી છે; અને તે એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપયોગ તેને જેમ અમ્મલિતતા રહે તેમ આપી છે. તે જ પ્રમાણે વર્તવામાં આવે તો ઉપયોગ સતત જાગ્રત રહ્યા કરે, અને જે જે સમયે જીવની જેટલી જેટલી જ્ઞાનશક્તિ તથા વીર્યશક્તિ છે તે તે અપ્રમત્ત રહ્યા કરે.” (વ.પૃ.૫૯૬) I/૪૪
જ્ઞાન-વીર્ય-શક્તિ જે કાળે પ્રગટે જેવી જેવી,
અપ્રમત્ત સૌ રહ્યા કરે છે, અદ્ભુત સમિતિ એવી. હો ભક્ત અર્થ :- જે જે સમયે જીવની જેટલી જ્ઞાનશક્તિ અને વીર્યશક્તિ પ્રગટ હશે તેટલા પ્રમાણમાં તે સૌ અપ્રમત્ત રહ્યા કરશે. એવી અદભુત પાંચ સમિતિની યોજના ભગવંતે કરી છે. IT૪પા
રહસ્યદ્રષ્ટિ કહીં સંક્ષેપે, મુમુક્ષુ મન ભાવી;
સન્દુરુષની દ્રષ્ટિ વિના તે દુષ્કર છે સમજાવી. હો ભક્ત અર્થ - આ રહસ્યપૂર્ણ દ્રષ્ટિ સંક્ષેપમાં અત્રે જણાવી છે, જે મુમુક્ષુને મન ભાવશે. પણ સરુષની દ્રષ્ટિ વિના તે રહસ્ય સમજાવું દુષ્કર છે. ૪૬ાા
કમળપત્ર પાણીમાં સ્નેહે, જેમ નહીં લેપાયે, સમિતિથી તેમ જીંવાકુલ જગમાં પાપ ન મુનિને થાય. હો ભક્ત