________________
૨૬૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
તારા હૃદયમાં પ્રવેશ પામ્યો નથી. /૧૭થા.
જ્યાં હિત સમજે ત્યાં ઉદ્યમ બનતો કરતો, કહે મોક્ષને ઉત્તમ, પણ અણસમજે વદતો.” તે જિજ્ઞાસું કહે : “વચન, તમારું સાચું' હજીં શંકા ઉર છે, ઉત્તર તેનો યાચું. ૧૮
અર્થ - જ્યાં તું પોતાનું હિત સમજે ત્યાં તો બનતો પુરુષાર્થ કરે છે. પણ મોક્ષને ઉત્તમ કહે છે તે તો માત્ર અણસમજણથી બોલે છે. જેમ ડોસીમાં રોજ ભગવાન પાસે મોક્ષ માગે. એકવાર ડોસીમાંની પાડી મરી ગઈ ત્યારે રડવા બેઠા. તે વખતે કોઈએ આવી કહ્યું કે માજી તમે રોજ મોક્ષ માગતા હતા તે આપવાની ભગવાને શરૂઆત કરી છે. પહેલાં પાડી મરી ગઈ પછી બધું મુકવું પડશે. તે સાંભળી માજી બોલ્યા આવો મોક્ષ મારે જોઈતો નથી. મારે તો બધું રહે અને મોક્ષ મળે તો જોઈએ છે. તેના જેવું થયું. ત્યારે જિજ્ઞાસુ કહે : તમારું વચન સાચું છે. હજી મારા મનમાં શંકા છે. તેનો ઉત્તર ઇચ્છું છું. ૧૮
જો દ્રવ્યકર્મ-ઉદયે રાગાદિ થાતાં, તો દ્રવ્યકર્મ બંઘઈ સત્તામાં જાતાં; તે ઉદય થશે ત્યાં થશે ફરી રાગાદિ, ના બને મોક્ષ-ઉપાય જ, ચક્ર અનાદિ.” ૧૯
અર્થ - જિજ્ઞાસુ હવે પોતાની શંકા વ્યક્ત કરે છે. જો જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મના ઉદયથી રાગદ્વેષના ભાવો જીવને થાય છે. તેથી ફરી નવીન કર્મબંઘ થઈ તે સત્તામાં પડ્યા રહે છે. અને જ્યારે તેનો ઉદય થશે ત્યારે જીવને ફરી રાગદ્વેષાદિના ભાવો થશે. આ પ્રમાણે જોતાં મોક્ષ પ્રાપ્તિનો ઉપાય જ બની શકે નહીં. કેમકે આ ચક્ર તો અનાદિકાળથી ચાલ્યા કરે છે. ||૧૯ાા.
સગુરુ કહે: “સાંભળ, કર્મ-ઉદય ના સરખો, જીંવ-પરિણતિથી પણ પૂર્વ કર્મલે પલટો; શુભ પ્રબળ ભાવથી અશુંભ પૂર્વિક કર્મો અપકર્ષણ-સંક્રમે ભજે શિથિલ ઘમ. ૨૦
અર્થ - સદ્ગુરુ કહે : તેનો ઉત્તર સાંભળ. હમેશાં કર્મનો ઉદય એક સરખો રહેતો નથી. જીવના ભાવવડે પૂર્વે કરેલા કર્મ પણ પલટાઈ જાય છે. પ્રબળ શુભભાવવડે પૂર્વે કરેલા અશુભ કર્મોનું અપકર્ષણ એટલે તેની સ્થિતિ ઘટી જાય છે અથવા સંક્રમણ એટલે પાપના દળિયા પુણ્યરૂપ થઈ જાય છે. જેમકે દ્રઢપ્રહારીએ અનેક હિંસા કરવા છતાં જ્ઞાની ભગવંતના ઉપદેશથી છ મહિના સુધી લોકોના અનેક પરિષહો સહન કરી બધા કમોને ખપાવી કેવળજ્ઞાન પ્રગટ કર્યું. અથવા શુભ ભાવોવડે કમનો ફળ આપવાનો સ્વભાવ શિથિલ થઈ જાય છે. જેમ શ્રી નમિરાજર્ષિ અને અનાથીમુનિએ કરેલ સંસાર ત્યાગના શુભ ભાવવડે તેમની વેદના શમી ગઈ. તેમજ પરમપૂજ્ય પ્રભુશ્રીજીને પાંડુરોગ થયો હતો. તેના અનેક ઉપચારો કરવા છતાં પણ જે શમતો નહોતો; તે દીક્ષા ગ્રહણ કરવાના શુભ ભાવવડે સામાન્ય ઔષઘના પડીકાં માત્રથી શમી ગયો. ૨૦ાા.
શિથિલ રમે જે કર્મ ઉદયમાં આવે, નહી તીવ્ર તોષ, રોષાદિ કરી મૂંઝાવે; ત્યાં નવન બંથ પણ મંદપણે બંઘાતો, એ ક્રમ આરાધ્ય સપુરુષાર્થ સઘાતો. ૨૧
અર્થ - પછી શિથિલ થયેલા કર્મો જે મંદપણે ઉદયમાં આવે, ત્યારે તે તીવ્ર તોષ એટલે રાગ અને રોષ એટલે દ્વેષ આદિ કરાવીને જીવને મંઝવતા નથી. તેથી નવા કર્મનો બંઘ પણ શિથિલપણે બંઘાય છે. આવો ક્રમ આરાઘવાથી ક્રમે ક્રમે સપુરુષાર્થ વૃદ્ધિ પામતો જાય અને અંતે જીવ બળવાન થઈ સર્વ કર્મનો ક્ષય કરે છે. રા.