________________
૨૧૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- આ નવે સિદ્ધાંતો જૈન સાધુપુરુષોના મુખથી ઘણીવાર સાંભળ્યા હતા, છતાં પણ તારી તે ભણી ભલી દ્રષ્ટિ જ ક્યાં હતી? હવે તે સિદ્ધાંતોની સ્મૃતિ અનુસાર વિચાર કર. ૬પાા
જિન સિદ્ધાંત યથાર્થ છે, ફેર નહીં મીનમેખ,
ઓછું નહિ જવભાર કે, વઘુ તલ-ભાર ન, દેખ. ૧૬ અર્થ - જિનેશ્વર ભગવંતોએ કહેલા આ સિદ્ધાંતો યથાર્થ છે. એમાં મીનમેખ પણ ફેરફાર નથી. એમાં જવભાર ઓછું નથી કે તલભાર વઘારે નથી. II૬૬ાા.
તન, મન, વચન દમી ચહો શાંતિ આત્માકાર,
ઠામ ઠામ જિન-વચન એ, સર્વ જીવહિતકાર. ૬૭ અર્થ :- “મન વચન અને કાયાનું દમન કરી આત્માની શાંતિ ઇચ્છો. એ જ એનું સ્થળે સ્થળે બોઘવું છે.” જે સર્વ જીવોને હિતકારક છે. ૬થા.
ના સંસાર તજી શકે, તેને શિયળ સાર;
એકપત્નીઘર મરદ ને પતિવ્રતા હો નાર. ૬૮ અર્થ - જે સંસાર ત્યાગ કરી શકે નહીં તેને શિયળ એટલે સદાચાર સારરૂપ છે. પુરુષોએ એક પત્નીવ્રત અને સ્ત્રીઓએ પતિવ્રત અવશ્ય પાળવું એવો ભગવંતનો ઉપદેશ છે. ૬૮ાા
સદાચારી ગણાય છે, ઘર્મયોગ્ય સંતોષ,
સીતા-રામ બીજાં ગણો ટળે રોગ ને દોષ. ૬૯ અર્થ :- એમ મર્યાદાથી વર્તતા પતિપત્ની તે સદાચારી ગણાય છે. એવા સંતોષી જીવો ઘર્મ આરાઘવાને યોગ્ય છે. તેમને બીજા સીતા-રામ જાણો. એમ વર્તવાથી રોગ અને બીજા અનેક દોષોથી દૂર રહી શકાય છે. ફલા
પરસ્ત્રી-ગામીને થતા ચાંદી, ક્ષય, પ્રમેહ,
પુનિત સ્વ-સ્ત્રીથી નહીં દેખા રોગો તેહ. ૭૦ અર્થ - પરસ્ત્રી-ગામી જીવ કલંકિત થાય છે. તેને ચાંદી, પ્રમેહ અને ક્ષય આદિ રોગો સહન કરવા પડે છે અને બીજાં અનેક દુરાચરણો વળગે છે. પુનિત એટલે પવિત્ર એવી પોતાની સ્ત્રીથી કોઈને તેવા રોગો થતાં જોયા નથી. II૭૦.
પતિવ્રતા સ્ત્રી તો સતી, મન તેનું સ્થિર થાય
સંસારી અભ્યાસ પણ ઘર્મે જો મન જાય. ૭૧ અર્થ - પતિવ્રતા સ્ત્રી તે સતી છે. તેનો સંસારી અભ્યાસ હોવા છતાં પણ જો ઘર્મમાં તેનું મન જાય તો તે મન સ્થિર થાય છે. (૭૧ાા
ભવમોક્ષ કય પક્ષમાં શ્રેયસ્કર સિદ્ધાંત,
સાચું તો સારું બથે, સમજી જીંવ, થા શાંત. ૭૨ અર્થ :- સંસાર કે મોક્ષ એ બેય પક્ષમાં એના સિદ્ધાંતો શ્રેયસ્કર છે. સાચું તો બધે સારું જ હોય. તેને હે જીવ હવે સમજી તું શાંત થા. I૭૨ાા