________________
(૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩
૨ ૨ ૩
અર્થ :- જગતમાં મારી બુદ્ધિથી સંપ-શાંતિ પ્રસરાવું એવા ભાવો મારી કુમળી વયમાં ઉલ્લસિત થતા હતા. //પા
આદર્શ ભૂંપ થવા સદા કરતો હું પુરુષાર્થ,
પ્રથમ ગુણ આ સાથતો; બનું પૂર્ણ નિઃસ્વાર્થ. ૬ અર્થ – આદર્શ રાજા થવા હું સદા પુરુષાર્થ કરતો. તેના માટે પ્રથમ આ ગુણ સાઘતો હતો કે હું પૂર્ણ નિઃસ્વાર્થી બનું. //કા
ગર્ભશ્રીમંત ઘર સમું રાજ-કુટુંબ વિચારી,
સંસારી વૈભવ વિષે હિતબુદ્ધિ ન વિસારી. ૭ અર્થ - ગર્ભથી શ્રીમંત સમાન રાજકુટુંબને વિચારી, સંસારી વૈભવ વિષે રહેવા છતાં હું સ્વપર હિતબુદ્ધિને ભૂલી ગયો નહીં. શા
વણિક-બુદ્ધિએ વ્યય થતો, સ્પષ્ટ હિસાબ સહિત,
જઑર જેટલા નોકરો, પગાર યથા-ઘટિત. ૮ અર્થ - રાજ્યમાં વણિક બુદ્ધિથી વ્યય થતો હતો. તેનો સ્પષ્ટ હિસાબ રાખવામાં આવતો. જરૂર જેટલા નોકરો હતા. તેમનો પગાર પણ યથાયોગ્ય હતો. પાટા
પ્રજાહિત જેથી નથી તેવા કરો અયોગ્ય,
આપત્તિ-વેળા વિના; સૌને નૃપ-ઘેન ભોગ્ય. ૯ અર્થ :- જે વડે પ્રજાનું હિત નથી તેવા કર પ્રજા પર નાખવા અયોગ્ય છે. એક આપત્તિના સમર વિના રાજાનું ઘન સર્વને ભોગ્ય છે, એમ રાખ્યું હતું.
કરથી કોષ ભર્યો નહીં, પ્રજા કરી ઘનવાન,
રાજ્ય-મહત્તા સહ વધે ઘન, જો જન વિદ્વાન. ૧૦ અર્થ - કર નાખીને રાજ્યનો કોષ એટલે ભંડાર ભર્યો નહીં. પણ પ્રજાને ઘનવાન બનાવવાનો જ લક્ષ રાખ્યો હતો. તેથી હે વિદ્વાનો જુઓ, કે રાજ્યની મહત્તા સાથે ઘન પણ વધવા લાગ્યું. ૧૦ના
પ્રજાની સંપત્તિ વધે, તે યોજના સિવાય
કર નાખે જો નૃપતિ મૂંડી ખવાતી જાય. ૧૧ અર્થ - પ્રજાની સંપત્તિ વર્ધમાન થાય તે યોજના સિવાય જો રાજા કર નાખે તો રાજ્યની મૂડી પણ ખવાતી જાય. ||૧૧||
જે પ્રમાણમાં આપિયે ગાયાદિકને ખાણ,
તે પ્રમાણમાં દોહિયે કર-ઘૂંઘ ખરું પ્રમાણ. ૧૨ અર્થ :- જે પ્રમાણમાં ગાય ભેંસ આદિને ખાણ એટલે ઢોરને ખાવાનું અનાજ આપીએ તે પ્રમાણમાં દૂઘ દોહીએ છીએ. તેમ દાણ સમાન પ્રજાની સંપત્તિ વર્ધમાન થવા દેવાથી કર પણ તે મુજબ સારા પ્રમાણમાં મળ્યા કરશે. રાજ્યઘન પ્રાપ્તિનું એ જ ખરું પ્રમાણ છે. /૧૨ાા