________________
૨ ૩૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ગતિ-હેતુ ગુણ ઘર્મનો, આત્મગુણ તો જ્ઞાન,
ઘર્મ-દ્રવ્યથી વ જુદો, ભાખે જિન ભગવાન. ૨૬ અર્થ :- ગતિ એટલે હલનચલન કરવામાં કારણભૂત ગુણ તે ઘર્માસ્તિકાય નામના દ્રવ્યનો છે. આત્માનો ગુણ તો જ્ઞાન છે. માટે ઘર્માસ્તિકાય દ્રવ્યથી પણ જીવ જુદો છે એમ શ્રી જિનેશ્વર ભગવાને કહ્યું છે. પદા
ગુણ સ્થિતિ-હેતુ અથર્મનો, આત્મ-ગુણ તો જ્ઞાન,
અઘર્મ દ્રવ્યથી ર્જીવ જુદો, ભાખે જિન ભગવાન. ૨૭ અર્થ :- સ્થિતિ એટલે પદાર્થને કોઈ સ્થાને સ્થિર રહેવામાં કારણભૂત ગુણ તે અધર્માસ્તિકાયનો છે. આત્માનો ગુણ તો જ્ઞાન છે. માટે અઘર્માસ્તિકાય દ્રવ્યથી પણ જીવ જુદો છે. એમ શ્રી જિનેશ્વર ભગવાને ભાખ્યું છે. આપણા
*નભનો ગુણ અવકાશ દે, આત્મ-ગુણ તો જ્ઞાન,
જીવ જાદો આકાશથી, ભાખે જિન ભગવાન. ૨૮ અર્થ - નભ એટલે આકાશનો ગુણ પદાર્થને અવકાશ એટલે જગ્યા આપવાનો છે. જ્યારે આત્માનો ગુણ તો જ્ઞાન છે. માટે આકાશદ્રવ્યથી પણ જીવ જુદો છે. એમ શ્રી જિનેશ્વર ભગવાને કેવળજ્ઞાનથી જોઈને કહ્યું છે. પટા.
કાળ-ગુણ છે વર્તના, આત્મ-ગુણ તો જ્ઞાન,
કાળ દ્રવ્યથી ર્જીવ જુદો, ભાખે જિન ભગવાન. ૨૯ અર્થ - કાળ દ્રવ્યનો ગુણ તો સમયે સમયે પદાર્થના પરિવર્તનમાં સહાયક થવું તે છે, જ્યારે જીવનો ગુણ તો જ્ઞાન છે. માટે કાળ દ્રવ્યથી પણ જીવ જુદો છે, એમ શ્રી જિનેશ્વર ભગવાને કેવળજ્ઞાનથી જોઈને ભાખ્યું છે. પલા
એ પાંચે ય અજીવથી આત્મા જુદો જાણ,
વ્યક્તિ-ભેદે ભિન્ન આ અજીવ તત્ત્વ પ્રમાણ. ૬૦ અર્થ - પગલાસ્તિકાય, ઘર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળદ્રવ્ય એ પાંચેય અજીવ દ્રવ્યથી આત્માને તું જાદો જાણ. એ પાંચેય દ્રવ્યનું પરિણમન વ્યક્તિ દીઠ ભિન્ન ભિન્ન હોય છે. તથા પાંચેય અજીવ તત્ત્વ છે એમ તું પ્રમાણભૂત માન. II૬૦ના
પુણ્ય પાપો બે તત્ત્વથી, જુદો આત્મા જાણ,
શરીર-હેતું તત્ત્વ છે, પુગલરૂપ પ્રમાણ. ૬૧ અર્થ :- પૂણ્ય તથા પાપ, આ બે તત્ત્વથી પણ આત્માને તું જુદો જાણ. આ બેય તત્ત્વો શરીરને સુખદુઃખના કારણ છે. પુણ્યથી શાતાનું સુખ અને પાપથી અશાતાનું દુઃખ મળે છે. ૬૧
શુભ કહે જન પુણ્યને, પાપ અશુભ ગણાય,
બને ભવનાં બીજ છે; તો શુભ કેમ મનાય? ૬૨ અર્થ :- પુણ્યને લોકો શુભ કહે છે અને પાપ જગતમાં અશુભ ગણાય છે. પણ બન્ને ભવ એટલે સંસારના જ બીજરૂપ છે તો તે શુભ કેમ મનાય છે? Anકરા