________________
(૭૫) ૧૭ પદ-નિશ્ચય
૨૪૭
અર્થ :— તે સત્પુરુષોના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, જીવને સાતમા ગુણસ્થાનથી પણ આગળ વધારીને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત બની છેલ્લે અયોગી સ્વભાવને પ્રગટ કરી પૂર્ણ સુખરૂપ એવા અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર છે. આવી ત્રણે કાળ જયવંત વર્તનાર વસ્તુઓનો અપૂર્વ સુયોગ પામી, હવે તેનો લાભ લેવા કોઈ પણ કારણે અટકું નહીં. પણ અત્યંત પુરુષાર્થ આદરીને તે પદ પામવા પ્રયત્ન કરું. બીજા જીવો ભલે ગમે તેવી માન્યતા ધરાવે કે તે સંબંધી લવે અર્થાત્ લવારી કરે પણ હું તો આ ભવમાં ઉપરોક્ત પુરુષાર્થ કરી મારા આત્મભાવને પ્રગટ કરું. ૪||
પ્રથમ પદ - આત્મા છે
જો પાંગળો ચઢી આંઘળાના ક્રંથ ઉપર આવતાં, ઝાંખી નજરવાળો ન દેખે, બે જણા જુદા છતાં; તે પાંગળાની આંખને અંધા વિષે આરોપનો, ને આંધળાના પગ વડે પંગું ગણે છે ચાલતો. ૫
અર્થ :— જો પાંગળો માણસ આંઘળાના ખભા ઉપર ચઢીને આવતો હોય, ત્યારે જેની નજર ઝાંખી
=
છે તેને આ બેય જણા જુદા હોવા છતાં એક દેખાય છે. તે પાંગળાની આંખને આંઘળામાં આરોપે છે અને આંઘળાના પગને પાંગળામાં આરોપી, જાણે પાંગળો જ ચાલી રહ્યો છે એમ માને છે.
“પાંગળો અંઘ-ખંઘે ત્યાં, પંગુની દૃષ્ટિ અંઘમાં
આરોપે મુ. તે રીતે આત્માની દૃષ્ટિ અંગમાં.” સમાધિશતક |||| તેવી રીતે આ દેહ ને આત્મા જુદા મૂળે છતાં, અજ્ઞાની જાણે એકરૂપે, જૂઠી વૃષ્ટિ સેવતાં; આત્માની દ્રષ્ટિ જ્ઞાન તેને દેહમાં આરોપતો, કાયા તણી ક્રિયા થતી તે જીવની મૂઢ જાણતો. ૬
-
અર્થ – તેવી રીતે આ દેહ અને આત્મા મૂળમાં જુદા હોવા છતાં અજ્ઞાની બન્નેને એકરૂપે જાણે છે. એમ મિથ્યા છે વૃષ્ટિ જેની એવો અજ્ઞાની જીવ, આત્માની જ્ઞાનવૃષ્ટિને અર્થાત્ જાણપણાને તે દેહને વિષે આરોપે છે; અને જે ક્રિયા કાયાથી થાય છે તે ક્રિયા, જીવ કરે છે; એમ તે મુઢ અજ્ઞાની માને છે. કનો
આત્મા અરૂપી તેર્થી આંખે જોઈ કોઈ શકે નહીં; પણ પવનની શીતાદિ ગુણ કે કંપથી ખાત્રી લહી, તેવી રીતે જ્ઞાની અનુમાન ગુણો જાણી ગોપ્રત્યક્ષ દેહાર્દિી આત્મા ભિન્ન છે જ્ઞાતા પર્ણ. ૭
અર્થ :— આત્મા અરૂપી દ્રવ્ય હોવાથી આંખે કોઈ જોઈ શકતું નથી. જેમ ઠંડો પવન કે ગર્મીનો શરીરે સ્પર્શ થવાથી ખબર પડે છે, કે પવનવડે કપડાં આદિ કંપાયમાન થવાથી પવન છે એમ ખાત્રી થાય છે; તેમ જ્ઞાની પુરુષો પણ અનુમાનથી આત્મા અને પુદ્ગલના ગુણધર્મોને જાણી, આત્માને દેહ આદિ પદાર્થોથી પ્રત્યક્ષ ભિન્ન ગણે છે; અને જાણવું, દેખવું એ આત્માનો સ્વભાવ છે એમ માને છે. ।।૭।।
જ્ઞાન ગુણનું સ્થાન જીવ જો, તેના વિના શબ દેહ તો, ના યંત્રની ક્રિયા નિહાળી જીવ કોઈ માનતો;