________________
૨ ૩ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પરાશ્રિત ભાવો તણો કર્તા, તે અભિમાન,
અજ્ઞાની બંઘાય ત્યાં, જ્ઞાની સાક્ષી માન. ૭૦ અર્થ - પણ આત્માથી પર એવા પુદ્ગલાદિક પદાર્થના પરિણમનમાં પોતાને તેનો કર્તા માનવો તે માત્ર જીવનું અભિમાન છે. તેથી અજ્ઞાની જીવ કમોંથી બંઘાય છે. જ્યારે જ્ઞાની પુરુષ પરપદાર્થોના પરિણમનમાં સાક્ષીભાવે રહે છે. પોતાને તેના કર્તા માનતા નથી. માટે નવીન કર્મથી બંઘાતા નથી.
“હું કર્તા પરભાવનો, એમ જેમ જેમ જીવ જાણે,
તેમ તેમ અજ્ઞાની પડે, બહુલ કર્મને ઘાણે.” [૭૦ના પુણ્ય-પાપરૅપ કર્મનો જીવ ન કર્તા જાણ,
ઇષ્ટ-અનિષ્ટ પદાર્થમાં રાગાદિ દુખ-ખાણ. ૭૧ અર્થ :- શુદ્ધ નિશ્ચયનયથી પુણ્ય પાપરૂપ કર્મનો કર્તા જીવ નથી અર્થાત્ પુણ્યપાપ કરવા એ જીવનો સ્વભાવ નથી. પણ ઇષ્ટ અનિષ્ટ એવા પૌલિક પદાર્થોના નિમિત્તે રાગદ્વેષાદિ ભાવો કરવા તે જીવને માટે દુઃખની ખાણ ખોદવા સમાન છે. II૭૧ાા
ધૂળ ચકાશે ચોટતી તેમ જ રાગ-દ્વેષ
કર્મબંઘનાં કારણો, જાણી તજો અશેષ. ૭૨ અર્થ:- જેમ ચીકાશ હોય તો તેના ઉપર ધૂળ ચોટે છે, તેમ રાગદ્વેષરૂપ ચિકાશ હોય તો જ જીવને કર્મનો બંઘ થાય છે. એમ જાણી અશેષ એટલે સંપૂર્ણપણે આ રાગદ્વેષનો ત્યાગ કરો. II૭રા.
પુણ્ય-પાપહીંન શુદ્ધ તે પરમાત્માનું ધ્યાન,
સ્તુતિ, ભક્તિ યોગ્ય છે, તેવા થવા, પ્રમાણ, ૭૩ અર્થ – પરમાત્માનું ધ્યાન તે પાપપુણ્યથી રહિત શુદ્ધ ધ્યાન છે. તે શુદ્ધ ધ્યાન પામવા માટે પરમાત્માની સ્તુતિ ભક્તિ કરવી તે યોગ્ય છે. એ પ્રમાણભૂત વાર્તા છે. I૭૩યા
પુણ્ય-પાપ રહિત સદા બ્રહ્મ નિત્ય છે ધ્યેય,
શુદ્ધનય મત જ્ઞાનનો યથાર્થ ઉપાદેય. ૭૪ અર્થ :- મૂળ સ્વરૂપે પુણ્ય પાપથી રહિત આત્મા સદા બ્રહ્મસ્વરૂપ છે. તે નિત્ય રહેનાર છે. તે સ્વરૂપે પ્રાપ્ત કરવું એ જ આપણું ધ્યેય છે. આવો શુદ્ધનિશ્ચયનયથી જ્ઞાનીનો મત છે, તે યથાર્થ છે અને તેજ ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય છે. II૭૪.
(૫)આસ્રવ, સંવર રૂપથી વિલક્ષણ જીંવ-જ્ઞાન,
અણુ આવે, રોકાય જ્યાં, ત્યાં બે તત્ત્વો માન. ૭૫ અર્થ:- કમોંના આસ્રવ અને સંવરથી જીવનું જ્ઞાન વિલક્ષણ અર્થાત વિચિત્ર બને છે. કર્મના અણુ આવે તેને આસ્રવ તત્ત્વ કહ્યું છે. અને આવતા કર્મો જે વડે રોકાય તેને સંવર તત્ત્વ કહેવાય છે. પાા
યોગ, કષાય, અવિરતિ મિથ્યાત્વાદિ ભાવ
આસ્રવ, જીવ-વિભાવથી પુદ્ગલ-કર્મ-જમાવ. ૭૬ અર્થ :- મિથ્યાત્વ. અવિરતિ પ્રમાદ, કષાય અને યોગ વડે થતા ભાવોને કર્મ આસ્રવના કારણો