________________
(૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩
૨૩૭
અર્થ - જે જીવ ખરેખર છૂટવા માટે જીવે છે તે કર્મથી બંઘાય નહીં. આ અનુભવ કરીને કહેલું વચન છે એમ તું જાણ. આ વાત વૈરાગ્ય હોય તો સમજાય એવી છે. ૧૦૩ાા.
માત્ર શાસ્ત્ર પરોક્ષ-થી; બંઘ-બુદ્ધિ પ્રત્યક્ષ,
શાસ્ત્ર શાખા-ચંદ્ર સમ દર્શાવે દિલક્ષ. ૧૦૪ અર્થ - દૂધમાં કડછીની જેમ માત્ર શાસ્ત્રમાં ફરતી આત્મઅનુભવ વગરની પરોક્ષ બુદ્ધિ તે જીવને પ્રત્યક્ષપણે કર્મબંધ કરાવનારી છે. શાસ્ત્રો તો માત્ર અંધકારમાં ચંદ્રમાની કિરણ સમાન મોક્ષરૂપી દિશાનો લક્ષ કરાવનાર છે. ૧૦૪
શ્વેત શંખ સુણ્યા છતાં દેખે પતિ પ્રત્યક્ષ
કમળાવાળો, તેમ આ શાસ્ત્ર-જ્ઞાનથી લક્ષ. ૧૦૫ અર્થ - શંખ શ્વેત એટલે સફેદ હોય છે. એમ સાંભળ્યા છતાં કમળાના રોગવાળો તેને પ્રત્યક્ષરૂપે પીત એટલે પીળો જૂએ છે. તેમ પોતાની મતિકલ્પનાએ સ્વચ્છેદે શાસ્ત્ર ભણવાવાળો નર તેના મૂળ મર્મને પામી શકતો નથી. ૧૦પા.
શીખે અધ્યાત્મ-શાસ્ત્ર જો સદ્ગુરુ-આજ્ઞાઘાર
સુણી, વિચારી, સ્મરી બહુ, અનુભવે બહુ વાર. ૧૦૬ અર્થ - પણ શ્રી સદગુરુની આજ્ઞાનુસાર અધ્યાત્મશાસ્ત્ર શીખે, સાંભળે, વિચારે કે બહવાર સ્મરે અર્થાત્ ફેરવે અને તેમાં કહેલા વચનામૃત અનુસાર જીવનમાં બહુવાર તેનો અનુભવ કરે અર્થાત્ તે પ્રમાણે વર્તે તો આત્મ પ્રાપ્તિ થાય. ૧૦૬
સંતત અભ્યાસે ટળે બંઘ-બુદ્ધિ-વિકલ્પ,
તો સાક્ષાત અનુભવે આત્મા નિર્વિકલ્પ. ૧૦૭ અર્થ :- શાસ્ત્રોના સંતત એટલે સતત અભ્યાસ કરવાથી કર્મબંઘ કરનારી બુદ્ધિના વિકલ્પો મટે છે. અને તે સાક્ષાત એવા નિર્વિકલ્પમય આત્માના અનુભવને પામે છે. II૧૦ળા
દ્રવ્ય (૯) મોક્ષ કર્મો ટળ્ય, આત્માથી એ ભિન્ન;
ભાવ મોક્ષ આત્મા ખરો, રત્નત્રયમાં લીન. ૧૦૮ અર્થ - હવે મોક્ષતત્ત્વ સંબંધી જણાવે છે. આત્માનો દ્રવ્ય મોક્ષ તો સર્વ કર્મોના નાશથી થાય છે. કર્મો આત્માથી સર્વથા ભિન્ન છે માટે ટળે છે. પણ જ્યારે ખરેખર આત્મા સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ રત્નત્રય સ્વભાવમાં લીન થાય ત્યારે દેહ હોવા છતાં પણ તે આત્માનો ભાવથી મોક્ષ થયો એમ કહેવાય છે. ll૧૦૮
મોક્ષ-હેતુ રત્નત્રયી, નહીં વેશ-વ્યવહાર;
ભાવલિંગ વિના નહીં મોક્ષ, સર્વનો સાર. ૧૦૯ અર્થ:- મોક્ષ પ્રાપ્તિનું કારણ તો સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રમય રત્નત્રય પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ છે, નહીં કે ઉપરનો વેષ વ્યવહાર માત્ર. રાગદ્વેષનો ત્યાગ કર્યા વિના ભાવલિંગ આવે નહીં, અને તે વિના જીવનો કદી મોક્ષ થાય નહીં. માટે રાગદ્વેષનો ત્યાગ કરવો એ જ સર્વ તત્ત્વનો સાર છે. ૧૦૯ાા