________________
(૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩
૨ ૨૯
તો પોતાનો આત્મા જ ભગવાનરૂપ ભાસે. ૪૯ાા.
વ્યવહાર-નય-નિપુણ કો ગણેઃ “દેહ ર્જીવ એક,
જીવ વેદના વેદતો, કથંચિત મૂર્તિક.” ૫૦ અર્થ :- વ્યવહારનય નિપુણ એટલે વ્યવહારનયને મુખ્ય કરવાવાળા કોઈ એમ માને છે કે આ દેહ અને આત્મા એક જ છે. આ જીવ શરીરમાં રહીને વેદનાને વેદે છે. માટે કોઈ અપેક્ષાએ તે દેહના આકારે રહેલો હોવાથી મૂર્તિક એટલે રૂપી પણ ગણાય. ૫૦ગા.
“ગરમ ઘી’ સમ ભ્રમ વડે અંગ-ગુણ-આરોપ
જીવમાં જ્ઞાની ના ગણે; જડ-ગુણે જીંવ-લોપ. ૫૧ અર્થ - ઘી માં ગરમી અગ્નિની હોવા છતાં ઘીને “ગરમ ઘી’ કહીએ છીએ. તેના સમાન ભ્રાંતિથી રૂપી એવા અંગ એટલે શરીરના જડ ગુણોને અજ્ઞાની એવો પ્રાણી તેને જીવ તત્ત્વમાં આરોપે છે. પણ જ્ઞાની કદી તેમ ગણે નહીં. કારણ કે જડના રૂપી આદિ ગુણોને જીવ-તત્ત્વમાં આરોપવાથી અરૂપી એવા જીવ તત્ત્વનો જ લોપ થઈ જાય. પેલા
નજરે ના દેખાય છે, મન-વચને અગ્રાહ્ય
તે સ્વ-પ્રકાશી જીવમાં નહીં મૂર્તતા ક્યાંય. પર અર્થ :- જીવ નજરે દેખાતો નથી કે મન વચને પણ ગ્રહણ કરી શકાય એમ નથી. તે તો સ્વપર પ્રકાશી છે. એવા જીવ તત્ત્વમાં ક્યાંય મૂર્તતા એટલે રૂપીપણું દેખાતું નથી. //પરા
મૂર્ત ગુણે જો વેદના, જડમાં કેમ ન હોય?
અશુદ્ધ આત્મ-ગુણે ગણો, સરળ દ્રષ્ટિથી જોય. ૫૩ અર્થ - મૂર્ત એટલે રૂપી એવા આ દેહમાં જો વેદના વેદવાનો ગુણ હોય તો તે પુદ્ગલ એવા જડ તત્ત્વમાં કેમ ન હોય? શરીરમાં વેદનાનો અનુભવ તો અશુદ્ધ એવા આત્માના વેદનગુણનાં કારણે જાણો. સરળ દ્રષ્ટિથી જોતાં સુખ દુઃખ વેઠવાનો ગુણ તો આત્માનો છે, તે જડ એવા પુદ્ગલ દ્રવ્યનો નથી. //પલા
તન-મન-વાણી-વર્ગણા આત્માથી છે ભિશ,
ઘન આદિ તો દૂરનાં, તેથી ન થાવું ખિન્ન. ૫૪ અર્થ - શરીર મન કે વચનની વર્ગણાઓ તે પુગલની છે. તેનો આત્માના પ્રદેશો સાથે એક ક્ષેત્રાવગાહી સંબંધ હોવા છતાં પણ તે આત્માથી સાવ ભિન્ન છે. જ્યારે ઘનાદિ પદાર્થો તો આ જીવથી સાવ દૂરના દેખાય છે. માટે આત્માથી ભિન્ન જ છે. તેથી તેના વઘઘટ સમયે આત્મામાં ખિન્નતા એટલે ખેદ લાવવો નહીં. ૫૪
મૂર્તિક ગુણ પુદ્ગલ તણો, આત્મ-ગુણ તો જ્ઞાન,
પુદ્ગલથી ઑવ છે જુદો, ભાખે જિન ભગવાન. ૨૫ અર્થ :- મૂર્તિક એટલે રૂપી ગુણ પુદ્ગલ દ્રવ્યનો છે. જ્યારે આત્માનો ગુણ તો જ્ઞાન એટલે જાણપણું છે. તેથી પુદગલ દ્રવ્યથી જીવ દ્રવ્ય સાવ જુદું છે. એમ કેવળજ્ઞાનથી જોઈને શ્રી જિનેશ્વર ભગવાને ભાખ્યું છે. પપા.