________________
(૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨
ગરમ કરી પાણી પીવું : સૌને આ ઉપદેશ, તેમ બને ના તો પીવુ, ગાળી પાણી વિશેષ. ૭૩
અર્થ :– પાણીને ગરમ કરીને પીવું એવો સઘળાને ભગવાનનો ઉપદેશ છે, તેમ જો ના બની શકે
=
તો પાણીને વિશેષપણે એટલે બેવડું ગરણું રાખીને ગાળીને પીવું. ।।૭૩।।
બન્ને પક્ષે લાભ કે સુન્ન કરે સુવિચાર,
વાળા-મરકી-હેતુ આ અણગળ પાણી ધાર. ૭૪
અર્થ :— સંસાર પક્ષ અને મુક્તિપક્ષ એમ બેય પક્ષે તે લાભકારક છે. માટે સુજ્ઞ તેના ઉપર સુવિચારણા કરે. સંસાર પક્ષે અળગણ પાણી પીવાથી, વાળા, મરકી, કોગળિયા આદિ અનેક જાતના રોગો થવાની શક્યતા છે. ।।૭૪ના
મુક્તિ-પક્ષે લાભ દે નિર્વિકાર જળ ઉષ્ણ, રસના જીતવામાં ભલું; જીવ થાય ઘીર અકૃષ્ણ. ૭૫
૨૧૯
અર્થ :— મુક્તિપક્ષે ગરમ કરીને પીધેલું પાણી નિર્વિકાર હોવાથી ૨સના ઇન્દ્રિય જીતવામાં તેમજ કામવિકાર જીતવામાં મદદરૂપ છે. જેથી જીવ વિકારી તૃષ્ણાઓથી રહિત થઈ ધૈર્યવાન બને છે. ૭૫)) હે! દુરાત્મા, કાળ સમ કાળો નાગ નિહાળ, પાસું ફેરવી તાકતો; ધર્મ-મંત્ર સંભાળ. ૭૬
અર્થ :– 'હૈ દુરાત્મા ! આ કાળો નાગ હવે પાકું ફેરવી નારા પર તાકી રહેવા તૈયાર થયો છે ઃ માટે નું હવે તે ધર્મના ‘નવકાર મંત્ર' ને સંભાર.' ।।૭૬||
મરણ પછી પણ ઘર્મ એ મળો મને, એ માગ;
ધર્મશરણ સાચું, હવે આવ્યો અપૂર્વ લાગ. ૭૭
અર્થ :– મરણ પછી પણ મને એ ઘર્મ જ મળો એવું માગ. એક ઘર્મનું જ શરણ સાચું છે. હવે એ ધર્મનો વિચાર કરવાનો તને અપૂર્વ લાગ આવ્યો છે. ।।૭।।
એવા ભાવો જ્યાં થયા, કૌતુક બન્યું. અચિંત્ય :
મંત્ર મુખે ઉચ્ચારતાં-અહો! ‘નમઃ અરિહંત’, ૭૮
અર્થ :— એવા ભાવો જ્યાં થયા કે ત્યાં એક અચિંત્ય કૌતુક બની ગયું. મેં મુખથી મંત્રનો ઉચ્ચાર કર્યો કે અહો! ‘નમો અરિહંતાણં.'' ।।૮।।
કાળો નાગ ખસી ગયો દૂર રાફડા પાસ, દયા કરી જાણે અરે! હરવા મારો ત્રાસ. ૭૯
અર્થ :— તે ભયંકર કાળો નાગ જે મારા પ્રાણ લેવા પાસું ફેરવતો હતો તે હવે દૂર રાફડા તરફ જતો
=
જણાયો. જાણે અરે ! મારા ત્રાસને હરવા મારા પર દયા કરતો હોય તેમ જણાયો. ।।૯।।
સર્પ સરી આઘો, વદે : ‘રાજકુમાર, વિચાર,
સત્ય ધર્મરૂપ ગર્ભથી નવો થયો અવતાર. ૮૦
અર્થ :— તે નાગદેવ આઘો સરી જઈને બોલ્યો ઃ હે રાજકુમાર! આ સત્ય ધર્મરૂપ ગર્ભથી આજે