________________
પ્રકાશકીય
ઉપર્યુક્ત તપની કાયમ પુણ્ય સ્મૃતિ માટે પૂજ્ય સૂરિદેવને વાત કરતાં તેઓશ્રીએ સૂચન કર્યું કે કંઈ નહિ તે શ્રીઆગમપુરુષનું ચિત્ર ઓઈલ પેઈન્ટથી આલેખવામાં આવે તે તે ચિત્ર જોતાં તમને તેમજ બીજા સૌ કેઈને શ્રીજિનાગમની મહત્તા અને વિશિષ્ટતાને
ખ્યાલ આવે. આ કથન આરાધક–વર્ગને રુચ્યું પણ ખરું. સાથે જ પૂજ્ય આચાર્ય દેવેશે જણાવ્યું કે એકલા ચિત્ર કરતાં જે શ્રીપિસ્તાલીશ આગમનો ટૂંકો પણ પરિચય કરાવનાર એવા એક નિબંધની ખોટ પૂરી પડે તે આ તપની પુણ્ય સ્મૃતિ તે તપના આરાધક જ માટે નહિ પરંતુ સૌ કોઈ જિજ્ઞાસુ માટે ખૂબ લાભદાયક નીવડે. આ સૂચનાને તરત અમલ થાય તે માટે અમે પરમપૂજ્ય આચાર્યદેવના ગાઢ સંપર્કમાં આવેલા તત્વચિંતક શ્રમણોપાસક પ્રોફેસર હીરલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. મહાશયને એ કાર્ય કરવા વિજ્ઞપ્તિ કરી, કેમકે એમણે આ વિષયને અંગે, જૈન તેમજ જૈનેતર વિદ્વાનોને ઉપયોગી થઈ પડેલું “આગમનું દિગદર્શન” નામનું પુસ્તક રચ્યું હતું. એ વિજ્ઞપ્તિ સ્વીકારી તેઓએ તે કામ ખૂબ ટૂંક સમયમાં સુંદર રીતે કરી આપ્યું તે બદલ તેમજ અમારી વિજ્ઞપ્તિ અનુસાર આગમ-પુરુષની પ્રતિકૃતિને સંક્ષિપ્ત પરિચય પણ લખી આપ્યો તે બદલ તેમના અમે આભારી છીએ.
પુસ્તકની શરૂઆતમાં આપેલી શ્રીઆગમ–પુરુષની પ્રતિકૃતિ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ સાહેબે પિતાની દેખરેખ નીચે તૈયાર કરાવી છે તે બદલ અમે તેઓશ્રીના અત્યન્ત જણ છીએ.
પ્રસ્તુત પ્રકાશનને અંગે અમને શ્રીવિવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ સાહેબે જે ત્રણ વિશિષ્ટ સૂચનાઓ કરી હતી એમાંથી બેને નિર્દેશ અમે ઉપર કરી ગયા. એમની ત્રીજી સૂચના એ હતી કે બ્રાહ્મી લિપિમાં નવકારમંત્ર તૈયાર કરાવી આ પ્રકાશનના મંગળાચરણ તરીકે એને સ્થાન આપવું. એમની આ સૂચનાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org