Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 55
________________ ૩૬ ] પિસ્તાલીસ આગમ [ પ્રકરણ ઉપપ્રકાર, ચરિત્રનું સંખ્યાના કેમે નિરૂપણ, કર્મ, વેશ્યા, અનગારધર્મ તેમજ જીવ અને અજીવના પ્રકાશ આ આગમમાં અનેક સંવાદો રજૂ કરાયા છે. દા. ત. પુરોહિત અને એના બે પુત્રોને સંવાદ, સાધ્વી જીમતી અને સ્થાનેમિને ગૌતમગેત્રી ઇન્દ્રભૂતિને અને કેશી ગણધરને, જ્યષ અને વિઘાષને તેમજ મૃગાપુત્ર અને એની માતાને વિશેષમાં આ આગમમાં નિમ્નલિખિત વ્યક્તિઓનાં ચરિત્ર પણ આલેખાયાં છે – કપિલ, પ્રત્યેકબુદ્ધ નિમિ, ચંડાળ મુનિ હરિકેશલ, ચિત્ર અને સંભૂતિ, સંજય, અનાથ મુનિ અને સમુદ્રપાલ. આ આગમમાં ધાર્મિક ઉપદેશ સચોટ બનાવવા જાતજાતનાં ઉદાહરણ અપાયાં છે - ઘેટું, કાકણી, કેરી, વેપાર, સમુદ્ર, પાંદડાં અને ગળિયે બળદવળી કેટલાક કેયડાઓને પણ સ્થાન અપાયું છે. સંકલન અને કર્તવ–બૌદ્ધોના સુત્તનિપાતનું સ્મરણ. કરાવનાર આ આગમ કેઈ એક જ કર્તાની રચના નથી. એનાં કેટલાંક અધ્યયને અંગમાંથી ઉદ્ભવેલાં છે, કેટલાંક જિનભાષિત છે, અને કેટલાંક પ્રત્યેકબુદ્ધના સંવાદરૂપ છે. સ્પષ્ટ શબ્દોમાં કહું તે “પરીષહ અધ્યયન દૃષ્ટિવાદમાંથી ઉદ્ભવ્યું છે, દુમપત્રક અધ્યયનના કર્તા મહાવીર સ્વામી છે, અને કપિલીય અધ્યયનના ક્ત પ્રત્યેકબુદ્ધ છે. “કેશિગૌતમ” એ કેશી અને ગૌતમ નામના ૧ એમનું ચરિત્ર આપણા દેશના જનક વિદેહીનું અને માર્કસ ઓરેલિયસનું સ્મરણ કરાવે છે. ૨ ત્રણ વેપારીની વાત બાઈબલની કથાનું સ્મરણ કરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84