________________
૩૮ ] પિસ્તાલીસ આગમ
[ પ્રકરણ આજકાલ શ્રમણવર્ગને માટે ભાગ આશ્વિન માસની કૃષ્ણ ચતુર્દશીએ તેમજ દીપત્સવીને દિવસે આ ૩૬ અધ્યયને વાંચી જાય છે, તે ઉપર્યુક્ત અનુશ્રુતિને આભારી હોય એમ લાગે છે. (૩) દસકાલિય (દશવૈકાલિક –
વિભાગ—દસકાલિય એવા નામાંતરવાળા અને ૮૩૫ કલેક જેવડા આ આગમમાં દસ અધ્યયને છે. તેમાં પાંચમા અને નવમાને અનુક્રમે બે અને ચાર ઉદ્દેશક છે; બાકીનાં માટે આવા વિભાગ નથી અંતમાં બે ચૂલા છે.
શૈલી–આ સમગ્ર કૃતિ સવશે ગદ્યમાં કે સર્જાશે પદ્યમાં નથી.
વિષય-આ આગમ ચરણકરણ અનુગને અને સાધુ જિવનને સંક્ષેપમાં પરંતુ સચોટ અને સુગમ બધ કરાવે છે. એમાં વિવિધ વિષયોને સ્થાન અપાયું છે. જેમકે માધુરી વૃત્તિ, સાધુને નહિ આચરવા જેવી ત્રેપન બાબતે, છ જવનિકાય અને પાંચ મહાવ્રતનું સ્વરૂપ, આત્મન્નિતિનાં પાન, વચનની વિશુદ્ધિ ભિક્ષાચર્યાના નિયમે, શ્રમણના ઉત્તમ ગુણ, ગુરુ સાથેનું વર્તન વિનય–સમાધિ વગેરે ચાર જાતની સમાધિ અને આદર્શ શ્રમણતા પ્રથમ ચૂલામાં સાધુ સંયમમાં સ્થિર રહે એવી સમજણ અપાઈ છે અને બીજીમાં સંસાર-પ્રવાહને વશ નહિ થવાને ઉપદેશ અપાયો છે.
નિયંહણ–આત્મપ્રવાદી નામના સાતમા પૂર્વમાંથી ચોથું અધ્યયન, કર્મપ્રવાદ' નામના આઠમા પૂર્વમાંથી પાંચમું અને સત્યપ્રવાર નામના છઠ્ઠા પૂર્વમાંથી સાતમું અધ્યયન નિહિત કરાયાં છે, જ્યારે પ્રત્યાખ્યાન-પ્રવાદ' નામના નવમા પૂર્વના ત્રીજા વત્યુ (વસ્તુ)માંથી બાકીનાં અધ્યયને માટે તેમ કરાયું છે. મતાંતર પ્રમાણે બાર અંગરૂપ ગણિપિટકમાંથી આ આગમન નિસ્પૃહણ કરાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org