________________
પ્રકીર્ણ કે
'પર
વિશેષમાં દિવસ કરતાં તિથિનું, તિથિ કરતાં નક્ષત્રનું એમ ઉત્તરોત્તર અધિક બળ છે એમ અહીં કહ્યું છે. આના ૬૩મા પદ્યમાં હિરો શબ્દ વપરાયું છે. એથી આ ગ્રીક અસરથી પ્રભાવિત હોવાનું મનાય છે. મુનિગણના નાયકને દીક્ષા, જિનમંદિર અને જિનપ્રતિમાની પ્રતિષ્ઠા, તપશ્ચર્યા, ઉદ્યાપન વગેરેને અંગે દિવસાદિના બલાબલ જ્ઞાન આવશ્યક ગણાય છે.
વિવરણ–૧૦૫ લેક જેવડા આ અજ્ઞાતકક પ્રકીર્ણક ઉપર પ્રાકૃત કે સંસ્કૃતમાં કઈ વિવરણ હોય એમ જણાતું નથી. (૪) આઉરપચ્ચકખાણ (આતુરપ્રત્યાખ્યાન)
વિષય- મુખ્યતયા પદ્યમાં રચાયેલા આ પ્રકીર્ણકમાં “બાલમરણ, બાલ-પંડિતમરણ અને પંડિત મરણ એમ મરણના ત્રણ પ્રકારને તેમજ હિતશિક્ષાને વિચાર કરાય છે.
મરણ માહિની પિઠે આ આઉરપચ્ચખાણમાં તેમજ ભત્તપરિણા અને મહાપચ્ચખાણમાં આરાધનાનો વિષય આલેખાય છે.
કર્તા–આના કતાં વીરભદ્ર છે.
સંતુલન–વિવાહપણુત્તિ (શતક ૧૩, ઉ. ૭, સૂત્ર ૪૬)માં બાલ-મરણ અને પંડિત-મરણ વિષે વિસ્તૃત નિરૂપણ છે. મૂલાચારના દ્વિતીય પરિછેદમાં આ પ્રકીર્ણકની ૫૪ ગાથા અને ત્રીજા પરિચછેદમાં પાંચ ગાથા જેવાય છે.
વિવરણ એક સે લેક જેવડી આ લઘુ કૃતિ ઉપર, આંચલિક ભુવનતુંગસૂરિની વિ. સં. ૧૩૫૦ની આસપાસમાં રચાયેલી ( ૧ શરૂઆતમાં દસ ગાથા છે. ત્યાર પછી કેટલુંક લખાણું ગધમાં છે અને ત્યાર બાદ ૬૧ ગાથા છે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org